ETV Bharat / state

આણંદનું "મહીસાગર વન" બન્યું ચરોતરનું પર્યટન સ્થળ - forest

આણંદઃ વેરાખાડીમાં મહી નદી અને સાગરનો સંગમ થાય છે. જ્યાં રાજ્યના વન વિભાગ દ્વારા "મહીસાગર વન" વિકસિત કરવામાં આવ્યું છે. જે આણંદ સહિત અન્ય જિલ્લાઓના વાસીઓ માટે એક સુંદર પર્યટન સ્થળ બન્યું છે.

anand
author img

By

Published : May 20, 2019, 9:47 PM IST

ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી વૃક્ષોની ઉપાસનાનું મહત્વ રહ્યું છે. વનવિભાગ દ્વારા મહીસાગર વનમાં 27 નક્ષત્રોના આરાધ્ય એવા 27 જાતના વૃક્ષો અહીં વાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ચંદન વન, રાશી વન, નવગ્રહ વન, વન કૈલાસ, સાંસ્કૃતિક વન, નિસર્ગ વન તથા જૈવિક વન જેવા વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. મહીસાગર વનમાં ધ્યાન કુટીર ઉપરાંત બાળકો માટે બાળ કુટીર તેમજ રમત-ગમતના સાધનો પણ મૂકવામાં આવ્યા છે.

આણંદનું "મહીસાગર વન" બન્યું ચરોતરનું પર્યટન સ્થળ

આ ઉપરાંત, વન્યપ્રાણીઓના આકર્ષણ માટે ડાયોગ્રામ શિલ્પો બનાવવામાં આવ્યા છે. જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીં આવતા પ્રવાસીઓને વનમાં પ્રવેશ દ્વાર પર વનવિભાગ દ્વારા નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવે છે. પ્રવાસીઓ આનંદ માણી શકે તે માટે ઝરૂખા તેમજ બર્ડ વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે. સ્થળાંતરિત પક્ષીઓ માટે પણ આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બને છે. પ્રકૃતિ અહીં સોળે કળાએ ખીલી છે અને અલભ્ય પક્ષીઓ વાનરો તથા અન્ય વન્ય જીવો માટે ખૂબ સરસ અને સુંદર આવાસ ઉભો થવા પામ્યો છે.

મહીસાગર વનનું લોકાર્પણ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના હસ્તે વર્ષ 2016માં કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી અહીં ત્રણ લાખથી પણ વધારે પ્રવાસીઓએ વનની મુલાકાત લઈ ચૂક્યા છે. વન સંપૂર્ણપણે નિઃશુલ્ક હોવાથી પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ ઉભું કરે છે. વનમાં વૃક્ષો અને તેના ગુણો વિશે વિગતવાર માહિતી મળતી હોવાથી બાળકોને પણ અહીં જ્ઞાન સાથે ગમ્મત બંનેનો લાભ મળે છે. મહીસાગર વન આણંદ જિલ્લામાં મહત્વનું પર્યટક સ્થળ બનીને ઉભરી આવ્યું છે.

ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી વૃક્ષોની ઉપાસનાનું મહત્વ રહ્યું છે. વનવિભાગ દ્વારા મહીસાગર વનમાં 27 નક્ષત્રોના આરાધ્ય એવા 27 જાતના વૃક્ષો અહીં વાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ચંદન વન, રાશી વન, નવગ્રહ વન, વન કૈલાસ, સાંસ્કૃતિક વન, નિસર્ગ વન તથા જૈવિક વન જેવા વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. મહીસાગર વનમાં ધ્યાન કુટીર ઉપરાંત બાળકો માટે બાળ કુટીર તેમજ રમત-ગમતના સાધનો પણ મૂકવામાં આવ્યા છે.

આણંદનું "મહીસાગર વન" બન્યું ચરોતરનું પર્યટન સ્થળ

આ ઉપરાંત, વન્યપ્રાણીઓના આકર્ષણ માટે ડાયોગ્રામ શિલ્પો બનાવવામાં આવ્યા છે. જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીં આવતા પ્રવાસીઓને વનમાં પ્રવેશ દ્વાર પર વનવિભાગ દ્વારા નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવે છે. પ્રવાસીઓ આનંદ માણી શકે તે માટે ઝરૂખા તેમજ બર્ડ વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે. સ્થળાંતરિત પક્ષીઓ માટે પણ આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બને છે. પ્રકૃતિ અહીં સોળે કળાએ ખીલી છે અને અલભ્ય પક્ષીઓ વાનરો તથા અન્ય વન્ય જીવો માટે ખૂબ સરસ અને સુંદર આવાસ ઉભો થવા પામ્યો છે.

મહીસાગર વનનું લોકાર્પણ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના હસ્તે વર્ષ 2016માં કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી અહીં ત્રણ લાખથી પણ વધારે પ્રવાસીઓએ વનની મુલાકાત લઈ ચૂક્યા છે. વન સંપૂર્ણપણે નિઃશુલ્ક હોવાથી પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ ઉભું કરે છે. વનમાં વૃક્ષો અને તેના ગુણો વિશે વિગતવાર માહિતી મળતી હોવાથી બાળકોને પણ અહીં જ્ઞાન સાથે ગમ્મત બંનેનો લાભ મળે છે. મહીસાગર વન આણંદ જિલ્લામાં મહત્વનું પર્યટક સ્થળ બનીને ઉભરી આવ્યું છે.

Intro:આણંદ જિલ્લામાં આવેલ વેરાખાડી સ્થળ જ્યાં મહી નદી અને સાગર નો સંગમ થાય છે જ્યાં રાજ્યના વન વિભાગ દ્વારા "મહીસાગર વન" વિકસિત કરવામાં આવ્યું છે, જે આણંદ સહિત અન્ય જિલ્લાઓના વાસીઓ માટે એક સુંદર ફરવાનું સ્થળ બન્યુ છે.


Body:ભરતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી વૃક્ષોની ઉપાસના નું મહત્વ રહ્યું છે, વનવિભાગ દ્વારા મહીસાગર વન માં 27 નક્ષત્રોના આરાધ્ય એવા 27 જાતના વૃક્ષો અહીં વાવવામાં આવ્યા છે.આ ઉપરાંત ચંદનવન રાશી વન, નવગ્રહ વન ,વન કૈલાસ ,અને સંસ્કૃતિક વન ,નિસર્ગ વન જૈવિક વન જેવા વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. મહીસાગર વન માં ધ્યાન કુટીર ઉપરાંત બાળકો બાળ કુટીર તેમજ બાળકો માટે રમત ગમતના સાધનો પણ મૂકવામાં આવ્યા છે, આ ઉપરાંત વન્યપ્રાણીઓના આકર્ષણ માટે ડાયોગ્રામ શિલ્પો બનાવવામાં આવ્યા છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીં આવતા પ્રવાસીઓને વન ના પ્રવેશ દ્વાર પર વનવિભાગ દ્વારા નિશુલ્ક છાશ નું વિતરણ કરવામાં આવે છે. પ્રવાસીઓ આનંદ માણી શકે તે માટે ઝરૂખા તેમજ બળ વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે, સ્થળાંતરિત પક્ષીઓ માટે પણ આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બને છે. પ્રકૃતિ અહીં સોળે કળાએ ખીલી છે ,અને અલભ્ય પક્ષીઓ વાનરો તથા અન્ય વન્ય જીવો માટે ખુબ સરસ અને સુંદર આવાસ તું ઉભો થવા પામ્યો છે.


Conclusion:મહિસાગર વનનું લોકાર્પણ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે વર્ષ 2016માં કરવામાં આવ્યું હતું, અત્યાર સુધી અહીં ત્રણ લાખથી પણ વધારે પ્રવાસીઓ આ વનની મુલાકાત લઈ ચૂક્યા છે,વન સંપૂર્ણપણે નિશુલ્ક હોવાથી પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ ઉભું કરે છે. તથા વનમાં વૃક્ષો અને તેના ગુણો વિશે વિગતવાર માહિતી મળતી હોવાથી બાળકોને પણ અહીં જ્ઞાન સાથે ગમ્મત બંનેનો લાભ લેવા મળે છે. આજે મહીસાગર વન આણંદ જિલ્લામાં મહત્વનું પર્યટક સ્થળ બનીને ઉભરી આવ્યૂ છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.