ETV Bharat / state

આણંદ જિલ્લામાં વરસાદી ઝાપટાછ સ્થાનિકો માટે ગરમીમાં રાહત, ખેડૂતો માટે આફત

author img

By

Published : May 30, 2020, 4:24 PM IST

ઘણા સમયથી આણંદ જિલ્લામાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર રહેતો હતો. જેથી ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠેલી પ્રજાએ વરસાદ આવતા રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફ અચાનક વાતાવરણમાં આવેલા બદલાવ અને વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.

આણંદ જિલ્લામાં વરસાદી ઝાપટા સ્થાનિકો માટે ગરમીમાં રાહત ખેડૂતો માટે આફત
આણંદ જિલ્લામાં વરસાદી ઝાપટા સ્થાનિકો માટે ગરમીમાં રાહત ખેડૂતો માટે આફત

આણંદઃ શુક્રવાર મોડી રાત્રે જિલ્લાના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે સ્થાનિકોમાં રાહત અને ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. આણંદ જિલ્લાના બોરસદ, તારાપુર, ખંભાત અને સોજીત્રા તાલુકાના ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેથી ઘણા સમયથી ભારે ગરમી અને ઉકળાટમાં જીવતા નાગરિકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. ઘણા લાંબા સમયથી સતત ચરોતરમાં ગરમીનો પારો 40 ડીગ્રીથી વધુ રહ્યો હતો. જેમાં અચાનક વાતાવરણમાં આવેલા બદલાવ અને ત્યારબાદ પવન સાથેના વરસાદે લોકડાઉન વચ્ચે નાગરિકોમાં ઠંડકની લહેર પ્રસરાવી દીધી હતી.

આણંદ જિલ્લામાં વરસાદી ઝાપટા સ્થાનિકો માટે ગરમીમાં રાહત ખેડૂતો માટે આફત
બીજી તરફ તારાપુર, ખંભાત, બોરસદ અને સોજીત્રાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. કારણકે, આ સમયે ઘણા ખેતરોમાં લોકડાઉનના કારણે મજૂર ન મળવાથી ઉપજનો પાક હજુ ખેતરમાંથી ઘરે આવ્યો ન હતો. તો ઉનાળુ બાજરી, તમાકુ, ઘઉં જેવા પાકને નુકશાન પહોંચાડે તેવો વરસાદ ગાજવીજ સાથે આવતા ખેડૂતોનો તૈયાર મોલ પર કુદરત રૂઠી હોય તેમ બેવડો માર પડતા ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

આણંદઃ શુક્રવાર મોડી રાત્રે જિલ્લાના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે સ્થાનિકોમાં રાહત અને ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. આણંદ જિલ્લાના બોરસદ, તારાપુર, ખંભાત અને સોજીત્રા તાલુકાના ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેથી ઘણા સમયથી ભારે ગરમી અને ઉકળાટમાં જીવતા નાગરિકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. ઘણા લાંબા સમયથી સતત ચરોતરમાં ગરમીનો પારો 40 ડીગ્રીથી વધુ રહ્યો હતો. જેમાં અચાનક વાતાવરણમાં આવેલા બદલાવ અને ત્યારબાદ પવન સાથેના વરસાદે લોકડાઉન વચ્ચે નાગરિકોમાં ઠંડકની લહેર પ્રસરાવી દીધી હતી.

આણંદ જિલ્લામાં વરસાદી ઝાપટા સ્થાનિકો માટે ગરમીમાં રાહત ખેડૂતો માટે આફત
બીજી તરફ તારાપુર, ખંભાત, બોરસદ અને સોજીત્રાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. કારણકે, આ સમયે ઘણા ખેતરોમાં લોકડાઉનના કારણે મજૂર ન મળવાથી ઉપજનો પાક હજુ ખેતરમાંથી ઘરે આવ્યો ન હતો. તો ઉનાળુ બાજરી, તમાકુ, ઘઉં જેવા પાકને નુકશાન પહોંચાડે તેવો વરસાદ ગાજવીજ સાથે આવતા ખેડૂતોનો તૈયાર મોલ પર કુદરત રૂઠી હોય તેમ બેવડો માર પડતા ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.