ETV Bharat / state

આણંદ શાહપુર નજીક ઈકો અને બાઈક વચ્ચે ટક્કર, પિતા પુત્રીના ઘટનાસ્થળે મોત - આણંદ ન્યૂઝ

આણંદ પાસે પેટલાદ-ખંભાત રોડ ઉપર આવેલા શાહપુર પાટીયા પાસે પુરપાટ ઝડપે જતી ઈકો કારે બાઈકને ટક્કર મારતાં ધર્મજના પિતા-પુત્રીના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે માતાને ઈજાઓ થતાં સારવાર માટે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ અંગે પેટલાદ શહેર પોલીસે ઈકો કારના ચાલક વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક
બાઇક
author img

By

Published : Sep 14, 2020, 1:07 PM IST

આણંદ: પેટલાદ-ખંભાત રોડ ઉપર આવેલા શાહપુર પાટીયા પાસે પુરપાટ ઝડપે જતી ઈકો કારે બાઈકને ટક્કર મારતાં ધર્મજના પિતા-પુત્રીના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે માતાને ઈજાઓ થતા સારવાર માટે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ અંગે પેટલાદ શહેર પોલીસે ઈકો કારના ચાલક વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની મળતી વિગતો મુજબ ધર્મજ ગામે રહેતા કનૈયાલાલ ઠાકોર (ઉ. વ. ૩૩), પેટલાદના ચાવડી બજારમાં દૂધ-દહીની દુકાન ચલાવીને જીવન ગુજરાન ચલાવે છે. આજે સવાસના સુમારે તેઓ પત્ની રોશનીબેન અને નાની પુત્રી અવની (ઉ. વ. ૩)ને બાઈક પર બેસાડીને કામ અર્થે નીકળ્યા હતા. તેઓ સાડા અગિયાર વાગ્યે પેટલાદ-ખંભાત રોડ ઉપર આવેલા શાહપુર પાટીયા નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી ઈકો કાર અને બાઈક વચ્ચે ટક્કર થતાં માતા-પિતા અને પુત્રી ત્રણેય રોડ ઉપર ફંગોળાયા હતાં. જેમાં કનૈયાલાલ તેમજ અવનીને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જ્યારે રોશનીબેનને સામાન્ય ઈજાઓ થવા પામી હતી.

ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત
ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત
અકસ્માતને કારણે સ્થળ પર રાહદારીઓ અન વાહનચાલકોના ટોળા ભેગા થયા હતાં. ઘટનાની જાણ 108 મોબાઈલ વાન અને પેટલાદ શહેર પોલીસને કરવામાં આવતાં તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતાં. ત્રણેયને સારવાર માટે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે કનૈયાલાલ અને અવનીને મૃત જાહેર કર્યા હતા. પોલીસે ટક્કર મારીને કાર મુકી ફરાર થઈ ગયેલા ઈકો કારના ચાલક વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ: પેટલાદ-ખંભાત રોડ ઉપર આવેલા શાહપુર પાટીયા પાસે પુરપાટ ઝડપે જતી ઈકો કારે બાઈકને ટક્કર મારતાં ધર્મજના પિતા-પુત્રીના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે માતાને ઈજાઓ થતા સારવાર માટે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ અંગે પેટલાદ શહેર પોલીસે ઈકો કારના ચાલક વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની મળતી વિગતો મુજબ ધર્મજ ગામે રહેતા કનૈયાલાલ ઠાકોર (ઉ. વ. ૩૩), પેટલાદના ચાવડી બજારમાં દૂધ-દહીની દુકાન ચલાવીને જીવન ગુજરાન ચલાવે છે. આજે સવાસના સુમારે તેઓ પત્ની રોશનીબેન અને નાની પુત્રી અવની (ઉ. વ. ૩)ને બાઈક પર બેસાડીને કામ અર્થે નીકળ્યા હતા. તેઓ સાડા અગિયાર વાગ્યે પેટલાદ-ખંભાત રોડ ઉપર આવેલા શાહપુર પાટીયા નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી ઈકો કાર અને બાઈક વચ્ચે ટક્કર થતાં માતા-પિતા અને પુત્રી ત્રણેય રોડ ઉપર ફંગોળાયા હતાં. જેમાં કનૈયાલાલ તેમજ અવનીને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જ્યારે રોશનીબેનને સામાન્ય ઈજાઓ થવા પામી હતી.

ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત
ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત
અકસ્માતને કારણે સ્થળ પર રાહદારીઓ અન વાહનચાલકોના ટોળા ભેગા થયા હતાં. ઘટનાની જાણ 108 મોબાઈલ વાન અને પેટલાદ શહેર પોલીસને કરવામાં આવતાં તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતાં. ત્રણેયને સારવાર માટે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે કનૈયાલાલ અને અવનીને મૃત જાહેર કર્યા હતા. પોલીસે ટક્કર મારીને કાર મુકી ફરાર થઈ ગયેલા ઈકો કારના ચાલક વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.