સુરતની ઘટના બાદ ચારેતરફ લોકો પોતાના બાળકોની સુરક્ષા માટેના પગલાઓ લઇ રહ્યા છે અને તંત્રને પણ તપાસ કરવા માટે આદેશ આપી રહ્યા છે. ત્યારે આણંદ ખાતે પણ ફાયર સેફ્ટી વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. તંંત્ર દ્વારા તપાસના આદેશની ચાર ટીમો અલગ અલગ સ્થળો પર ચાલતા સેફ્ટીના ધારાધોરણો વગર ચાલતા ટ્યુશન ક્લાસીસ અને શાળા - કૉલેજોની તપાસ હાથ ધરી હતી. ત્યારે સ્મૃતિ ઈરાની દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલી જલારામ ઇન્ટરનેશનલ સ્કુલમાં 1600 જેટલા બાળકો જીવના જોખમે શિક્ષણ લઇ રહ્યા છે.ફાયર વિભાગની તપાસમાં અનેક ક્ષતિઓ સામે આવી હતી. પરંતુ સ્કુલના સંચાલકે જણાવ્યું હતું કે, અમારી પાસે બધા દસ્તાવેજો છે જે કાયદાને અનુસાર છે.
સ્મૃતિ ઈરાની દ્વારા ઉદ્ધાટિત શાળામાં ફાયર સેફ્ટીના નામે મીંડું
આણંદઃ જિલ્લામાં એક તરફ પેટ્રોલ પંપ તો બીજી તરફ ગેસના ગોડાઉન વચ્ચે 1600 જેટલા વિદ્યાર્થીઓ જીવનના જોખમે શિક્ષણ લઇ રહ્યા છે.
સુરતની ઘટના બાદ ચારેતરફ લોકો પોતાના બાળકોની સુરક્ષા માટેના પગલાઓ લઇ રહ્યા છે અને તંત્રને પણ તપાસ કરવા માટે આદેશ આપી રહ્યા છે. ત્યારે આણંદ ખાતે પણ ફાયર સેફ્ટી વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. તંંત્ર દ્વારા તપાસના આદેશની ચાર ટીમો અલગ અલગ સ્થળો પર ચાલતા સેફ્ટીના ધારાધોરણો વગર ચાલતા ટ્યુશન ક્લાસીસ અને શાળા - કૉલેજોની તપાસ હાથ ધરી હતી. ત્યારે સ્મૃતિ ઈરાની દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલી જલારામ ઇન્ટરનેશનલ સ્કુલમાં 1600 જેટલા બાળકો જીવના જોખમે શિક્ષણ લઇ રહ્યા છે.ફાયર વિભાગની તપાસમાં અનેક ક્ષતિઓ સામે આવી હતી. પરંતુ સ્કુલના સંચાલકે જણાવ્યું હતું કે, અમારી પાસે બધા દસ્તાવેજો છે જે કાયદાને અનુસાર છે.