ETV Bharat / state

અમદાવાદમાં વેલેન્ટાઈનડેને લઈ VHP અને બજરંગદળના કાર્યકર્તાઓએ પ્રેમીયુગલોને રસ્તા પરથી ભગાડ્યા

અમદાવાદ શહેર બજરંગદળ અને VHPના કાર્યકર્તાઓએ જાહેર માર્ગ પર અશ્લિલ હરકતો કરતા પ્રેમીયુગલોને ભગાડ્યા હતા. તેમજ 50થી વધુ કાર્યકર્તાઓ દ્વારા શહેરના રિવરફ્રન્ટ અને અન્ય જાહેરમાર્ગો પર વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા યુવક-યુવતીઓને સંસ્કૃતિ અંગે જાણકારી આપતી પત્રિકા આપી હતી. જેમાં લવજેહાદ અંગેની વિગતો મુકવામાં આવી હતી.

author img

By

Published : Feb 14, 2020, 7:42 PM IST

amd
અમદાવાદ

અમદાવાદ : શહેર બજરંગદળના અધ્યક્ષ જ્વલિત મહેતા સાથે Etv Bharatના સંવાદદાતા પાર્થ શાહ દ્વારા વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, બજરંગદળ પ્રેમનો વિરોધ નથી કરી રહી. તેઓ માત્ર વેલેન્ટાઈન ડેનો વિરોધ કરી રહ્યા છે. જેમાં પ્રેમીયુગલો જે રીતે જાહેર રોડ પર અશ્લિલ હરકતો કરી રહ્યા છે. જેને રોકવા અને સંસ્કૃતિની જાણકારી સમાજ સુધી પહોંચી રહે તે માટે થઈ તેઓ પ્રેમીયુગલોને એક પત્રિકા આપી રહ્યા છે. જેમાં લવજેહાદ અને વિધર્મીઓ હિન્દુ નામ જણાવી હિન્દુ યુવતીઓને લવજેહાદના ષડયંત્રમાં ફસાવવાની કોશિષ કરી રહ્યા છે. જેવા આક્ષેપો સાથે વિરોધ કર્યો હતો.

અમદાવાદમાં વેલેન્ટાઈનડેને લઈ VHP અને બજરંગદળના કાર્યકર્તાઓએ પ્રેમીયુગલોને રસ્તા પરથી ભગાડ્યા

બજરંગદળ અને VHPના કાર્યકર્તાઓ દર વર્ષે રિવરફ્રન્ટ અને જાહેરમાર્ગો પર અશ્લિલ હરકતો કરતા યુવક-યુવતીઓને ભગાડવાનું કામ કરતા હોય છે. જેને પગલે પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહિ જેને ધ્યાનમાં રાખીને પૂરતો બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો. તેમજ કાર્યકર્તા આવે તે પહેલાં જ પ્રેમીપંખીડાઓને પોલીસે ભગાડી મુક્યા હતા. જો કે, VHP અને બજરંગદળનું માનવું છે કે, વેલેન્ટાઈન ડે ભારતીય સંસ્કૃતિને નાશ કરી રહી છે. જ્યારે લવજેહાદનું દૂષણ અટકાવવા માટે થઈ જ્વલંત કાર્યક્રમો પણ આપતા રહીશું તેવું જણાવ્યું હતું.

અમદાવાદ : શહેર બજરંગદળના અધ્યક્ષ જ્વલિત મહેતા સાથે Etv Bharatના સંવાદદાતા પાર્થ શાહ દ્વારા વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, બજરંગદળ પ્રેમનો વિરોધ નથી કરી રહી. તેઓ માત્ર વેલેન્ટાઈન ડેનો વિરોધ કરી રહ્યા છે. જેમાં પ્રેમીયુગલો જે રીતે જાહેર રોડ પર અશ્લિલ હરકતો કરી રહ્યા છે. જેને રોકવા અને સંસ્કૃતિની જાણકારી સમાજ સુધી પહોંચી રહે તે માટે થઈ તેઓ પ્રેમીયુગલોને એક પત્રિકા આપી રહ્યા છે. જેમાં લવજેહાદ અને વિધર્મીઓ હિન્દુ નામ જણાવી હિન્દુ યુવતીઓને લવજેહાદના ષડયંત્રમાં ફસાવવાની કોશિષ કરી રહ્યા છે. જેવા આક્ષેપો સાથે વિરોધ કર્યો હતો.

અમદાવાદમાં વેલેન્ટાઈનડેને લઈ VHP અને બજરંગદળના કાર્યકર્તાઓએ પ્રેમીયુગલોને રસ્તા પરથી ભગાડ્યા

બજરંગદળ અને VHPના કાર્યકર્તાઓ દર વર્ષે રિવરફ્રન્ટ અને જાહેરમાર્ગો પર અશ્લિલ હરકતો કરતા યુવક-યુવતીઓને ભગાડવાનું કામ કરતા હોય છે. જેને પગલે પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહિ જેને ધ્યાનમાં રાખીને પૂરતો બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો. તેમજ કાર્યકર્તા આવે તે પહેલાં જ પ્રેમીપંખીડાઓને પોલીસે ભગાડી મુક્યા હતા. જો કે, VHP અને બજરંગદળનું માનવું છે કે, વેલેન્ટાઈન ડે ભારતીય સંસ્કૃતિને નાશ કરી રહી છે. જ્યારે લવજેહાદનું દૂષણ અટકાવવા માટે થઈ જ્વલંત કાર્યક્રમો પણ આપતા રહીશું તેવું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.