ETV Bharat / state

જગન્નાથ મંદિરમાંથી રથયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત

આજે અષાઢી બીજે અમદાવાદના જગન્નાથ મંદિર (Jagannath Mandir)થી રથયાત્રા નીકળવાની સંપૂર્ણ તૈયારી થઇ ગઇ છે. સવારની ચાર વાગ્યાની મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સહ પરિવાર ભાગ લીધો હતો. જ્યારે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સોનાની સાવરણીથી પહિંદવિધિ કરશે.

author img

By

Published : Jul 12, 2021, 6:41 AM IST

Updated : Jul 12, 2021, 9:12 AM IST

રથયાત્રાની તૈયારી પૂર્ણ
રથયાત્રાની તૈયારી પૂર્ણ
  • Jagannath Mandir રોશનીથી ઝલહળી ઉઠ્યું
  • કેન્દ્રીય ગૃહપ્રધાને મંગળા આરતી કરી
  • મંદિરમાં ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી

અમદાવાદ : ભગવાન જગન્નાથ (Bhagwan Jagannath)ની 144મી રથયાત્રાને લઈને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે નિજ મંદિર રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. મંદિર પ્રાંગણમાં ત્રણ રથની સાથે મહંત અને અન્ય વાહનો એમ કુલ પાંચ વાહનો તૈયાર છે. સવારની ચાર વાગ્યાની મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સહ પરિવાર ભાગ લીધો હતો. વર્તમાન પરિસ્થિતિને જોતા ચુસ્ત પોલીસ વ્યવસ્થા ઉપરાંત રેપીડ એક્શન ફોર્સના જવાનો પણ અહીં હાજર છે.

આ પણ વાંચો : Rathyatra 2021: 1 કિમી સુધી રથયાત્રા કાઢવા માટે પરવાનગી આપવામાં આવે તેવી રથયાત્રા સમિતિની માગ

ભગવાનની મૂર્તિઓને રથમાં સ્થાપિત કરાશે

મંગળા આરતી પછી કેન્દ્રીય ગૃહપ્રધાન ગાંધીનગર ખાતેના પોતાના વિવિધ કાર્યક્રમોમાં જશે. જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ જગન્નાથ મંદિર (Jagannath Mandir) ખાતે આવશે. ભગવાનની મૂર્તિઓને રથમાં સ્થાપિત કરવામાં આવશે. આરતી અને પૂજા કરવામાં આવશે. મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સોનાની સાવરણીથી પહિંદવિધિ કરશે. ત્યારબાદ ભગવાન નગરચર્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળશે.

આ પણ વાંચો : રથયાત્રાની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન મોદીએ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથને ધરાવ્યો પ્રસાદ

લોકો ભગવાનના દર્શન ન કરી શકતા નિરાશ

રથયાત્રા પૂર્વે લોકોએ મંદિર ખાતે ભગવાનના દર્શન કર્યા હતા. પરંતુ અષાઢી બીજે લોકો ભગવાનના દર્શન ન કરી શકતા નિરાશ થયા છે. જોકે, વહેલી સવારે ભગવાનની નગરચર્યાને મેઘો વધાવવા આતુર હોય તેમ અમી છાંટણા થયા હતા.

આ પણ વાંચો -

  • Jagannath Mandir રોશનીથી ઝલહળી ઉઠ્યું
  • કેન્દ્રીય ગૃહપ્રધાને મંગળા આરતી કરી
  • મંદિરમાં ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી

અમદાવાદ : ભગવાન જગન્નાથ (Bhagwan Jagannath)ની 144મી રથયાત્રાને લઈને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે નિજ મંદિર રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. મંદિર પ્રાંગણમાં ત્રણ રથની સાથે મહંત અને અન્ય વાહનો એમ કુલ પાંચ વાહનો તૈયાર છે. સવારની ચાર વાગ્યાની મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સહ પરિવાર ભાગ લીધો હતો. વર્તમાન પરિસ્થિતિને જોતા ચુસ્ત પોલીસ વ્યવસ્થા ઉપરાંત રેપીડ એક્શન ફોર્સના જવાનો પણ અહીં હાજર છે.

આ પણ વાંચો : Rathyatra 2021: 1 કિમી સુધી રથયાત્રા કાઢવા માટે પરવાનગી આપવામાં આવે તેવી રથયાત્રા સમિતિની માગ

ભગવાનની મૂર્તિઓને રથમાં સ્થાપિત કરાશે

મંગળા આરતી પછી કેન્દ્રીય ગૃહપ્રધાન ગાંધીનગર ખાતેના પોતાના વિવિધ કાર્યક્રમોમાં જશે. જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ જગન્નાથ મંદિર (Jagannath Mandir) ખાતે આવશે. ભગવાનની મૂર્તિઓને રથમાં સ્થાપિત કરવામાં આવશે. આરતી અને પૂજા કરવામાં આવશે. મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સોનાની સાવરણીથી પહિંદવિધિ કરશે. ત્યારબાદ ભગવાન નગરચર્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળશે.

આ પણ વાંચો : રથયાત્રાની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન મોદીએ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથને ધરાવ્યો પ્રસાદ

લોકો ભગવાનના દર્શન ન કરી શકતા નિરાશ

રથયાત્રા પૂર્વે લોકોએ મંદિર ખાતે ભગવાનના દર્શન કર્યા હતા. પરંતુ અષાઢી બીજે લોકો ભગવાનના દર્શન ન કરી શકતા નિરાશ થયા છે. જોકે, વહેલી સવારે ભગવાનની નગરચર્યાને મેઘો વધાવવા આતુર હોય તેમ અમી છાંટણા થયા હતા.

આ પણ વાંચો -

Last Updated : Jul 12, 2021, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.