ETV Bharat / state

અમદાવાદ: રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ, રથ મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા

author img

By

Published : Jun 22, 2020, 12:49 PM IST

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના કલાકો બાકી છે. આ વર્ષે કોરોનાને કારણે રથયાત્રા તો નહીં નીકળે પણ મંદિર પરિસરમાં જ રથને પરિક્રમા કરાવવામાં આવશે. ભગવાનના ત્રણેય રથને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે. આ વર્ષે કોરોનાની મહામારીને કારણે પ્રથમ વખત રથયાત્રા નહીં નીકળે. જોકે ભક્તો મંદિરમાં ભગવાનના દર્શન કરી શકશે.

રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ, રથ મંદિરના પરિસરમાં લાવવામાં આવ્યાં
રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ, રથ મંદિરના પરિસરમાં લાવવામાં આવ્યાં

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે મંદિર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભગવાનના ત્રણેય રથને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે.

રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ, રથ મંદિરના પરિસરમાં લાવવામાં આવ્યાં
કોરોના વાઇરસની મહામરીને લઈને આ વર્ષે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નહીં નીકળે. પરંતુ મંદિર પરિસરમાં જ રથને પરિક્રમા કરાવવામાં આવશે, ત્યારબાદ ત્રણેય રથને એક જગ્યા પર સ્થાયી કરવામાં આવશે જેથી લોકો દર્શન કરી શકશે.
રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ, રથ મંદિરના પરિસરમાં લાવવામાં આવ્યાં
રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ, રથ મંદિરના પરિસરમાં લાવવામાં આવ્યાં


વર્ષોથી રથનું સંચાલન કરતા મફતલાલે જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી ભગવાનના રથ ખેંચવામાં ખલાસી તરીકે ભાગ લે છે. ગમે તેવી સ્થિતિમાં પણ રથયાત્રા નીકળે જ છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને લઈને પ્રથમ વખત રથયાત્રા નહીં નીકળે પરંતુ ભક્તો મંદિરમાંથી ભગવાનન દર્શન કરી શકશે. અત્યારે રથ મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે અને રથને તૈયાર કરવામાં આવી રહ્યા છે.

આ વર્ષે ત્રણેય રથના આગળના 2 પૈડાં એમ કુલ 6 પૈડાં નવા નાખવામાં આવ્યા છે. ઉપરાંત રથને કલર કરીને તૈયાર કરી દેવામાં આવ્યો છે. રથને ખેંચવા માટે 30 જેટલા ખલાસી જ રહેશે અને પરિક્રમા કર્યા બાદ તેઓ મંદિર પરિરસમાં જ રહેશે.

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે મંદિર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભગવાનના ત્રણેય રથને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે.

રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ, રથ મંદિરના પરિસરમાં લાવવામાં આવ્યાં
કોરોના વાઇરસની મહામરીને લઈને આ વર્ષે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નહીં નીકળે. પરંતુ મંદિર પરિસરમાં જ રથને પરિક્રમા કરાવવામાં આવશે, ત્યારબાદ ત્રણેય રથને એક જગ્યા પર સ્થાયી કરવામાં આવશે જેથી લોકો દર્શન કરી શકશે.
રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ, રથ મંદિરના પરિસરમાં લાવવામાં આવ્યાં
રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ, રથ મંદિરના પરિસરમાં લાવવામાં આવ્યાં


વર્ષોથી રથનું સંચાલન કરતા મફતલાલે જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી ભગવાનના રથ ખેંચવામાં ખલાસી તરીકે ભાગ લે છે. ગમે તેવી સ્થિતિમાં પણ રથયાત્રા નીકળે જ છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને લઈને પ્રથમ વખત રથયાત્રા નહીં નીકળે પરંતુ ભક્તો મંદિરમાંથી ભગવાનન દર્શન કરી શકશે. અત્યારે રથ મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે અને રથને તૈયાર કરવામાં આવી રહ્યા છે.

આ વર્ષે ત્રણેય રથના આગળના 2 પૈડાં એમ કુલ 6 પૈડાં નવા નાખવામાં આવ્યા છે. ઉપરાંત રથને કલર કરીને તૈયાર કરી દેવામાં આવ્યો છે. રથને ખેંચવા માટે 30 જેટલા ખલાસી જ રહેશે અને પરિક્રમા કર્યા બાદ તેઓ મંદિર પરિરસમાં જ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.