ETV Bharat / state

સરદારનગર વિરોધ બાદ આંકડો જાહેર, અમદાવાદમાં 8,69,587 લાભાર્થીને અનાજ મળ્યું

author img

By

Published : Apr 29, 2020, 11:33 PM IST

કોરોના વાઇરસના કારણે કોઈ ભૂખ્યું ન સૂઇ તે માટે રાજ્ય સરકાર ગરીબોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરી રહી છે. અમદાવાદ શહેરમાં 8,69,587 રાશન કાર્ડધારકોને અનાજ મળ્યું હોવાનું જાહેર કર્યું છે.

સરદારનગર વિરોધ બાદ સરકારે આંકડો જાહેર કર્યો,
સરદારનગર વિરોધ બાદ સરકારે આંકડો જાહેર કર્યો,

ગાંધીનગરઃ કોરોના વાઇરસના કારણે કોઈ ભૂખ્યું ન સૂઇ તે માટે રાજ્ય સરકાર ગરીબોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરી રહી છે, ત્યારે સરદારનગરમાં વિરોધ થયો હતો અને તેઓને અનાજ ન મળ્યા હોવાની વાત સામે આવી હતી, ત્યારે રાજ્ય સરકારે અમદાવાદ શહેરમાં 8,69,587 રાશન કાર્ડધારકોને અનાજ મળ્યું હોવાનું જાહેર કર્યું છે.

સરદારનગર વિરોધ બાદ સરકારે આંકડો જાહેર કર્યો,
સરદારનગર વિરોધ બાદ સરકારે આંકડો જાહેર કર્યો,
લોકડાઉન દરમિયાન અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી સ્થાનિકો દ્વારા રજૂઆતના પગલે વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરી રાશન વિતરણની તમામ ફરિયાદોનો ઝડપી ઉકેલ લાવવામાં આવ્યો છે. આવા 20થી વધુ કિસ્સામાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ફરિયાદ મળ્યાના દિવસે જ નાગરિકોની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે.
અમદાવાદના સરદારનગર છાપરા વિસ્તારના શિવશક્તિ નગરમાંથી મળેલી ફરિયાદને પણ ગંભીરતાપૂર્વક લઈ જિલ્લા વહીવટી તંત્રના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક જરૂરિયાતવાળા તમામ લોકોને સ્થળ પર જ ‘અન્ન બ્રહ્મ’ યોજના હેઠળ રાશન-કીટ વિતરણ કરી ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લામાં આજદિન સુધી આજ દિન સુધીમાં જિલ્લા વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓના મદદથી 3034967 જેટલા ફુડ-પેકેટ તેમજ 34717 જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવેલુ છે.
અમદાવાદ શહેર વિસ્તારમાં “અન્નબ્રહ્મ યોજના” હેઠળ કુલ 07421 લોકોને તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 41709 મળી કુલ 149130 લોકોને ફુડ-બાસ્કેટનું વિતરણ કરવામાં આવેલ છે. શિવશક્તિનગર છાપરા વિસ્તાર તરીકે ઓળખાય છે. જેમાં 170 જેટલા કુટુંબો વસવાટ કરે છે, તેમાંથી 96 જેટલા કુટુંબો NFSA / NON NFSA-APL-1 કાર્ડ ધરાવે છે અને આ તમામ રેશનકાર્ડ ધારકો પૈકી NFSA રેશનકાર્ડ ધારકોને ચાલુ માસે 1 એપ્રિલથી 7 એપ્રિલ સુધીના પ્રથમ તબકકામાં ધારાધોરણ મુજબ ઘઉં, ચોખા, ચણાદાળ, ખાંડ, અને મીઠાનો જથ્થો આપવામાં આવેલો છે, ત્યારબાદ ચાલુ માસે 13 એપ્રિલથી 18 એપ્રિલના સમયગાળા દરમિયાન તમામ NON NFSA APL-1 કાર્ડધારકોને સરકારના ધારાધોરણ મુજબ ઘઉં, ચોખા, ચણાદાળ, ખાંડનો જથ્થો આપવામાં આવેલ છે.
હાલમાં પણ ચાલુ માસે 25 એપ્રિલથી 30 એપ્રિલ સુધીના સમયગાળામાં તમામ NFSA કાર્ડ ધારકોને તેમજ NON NFSA BPL કાર્ડ ધારકોને P.M.G.K.A.Y ( પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના) હેઠળ વ્યકિત દિઠ ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. આ વિસ્તારમાં કેટલાક કુટુંબો પાસે રેશનકાર્ડ ન હોવાનું અને છુટક મજુરી કરીને પોતાનું જીવન નિર્વાહ કરતા હોવાનું જણાઇ આવતા આવા રેશનકાર્ડ વગરના 96 કુટુંબોને તાત્કાલિક અસરથી સ્થળ પર જ વિગતો મેળવીને સરકારની અન્નબ્રહ્મ યોજના હેઠળ ઘઉં, ચોખા, ચણાદાળ, ખાંડ અને મીઠાનો જથ્થો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી અને શિવશકિતનગર છાપરા વિસ્તારમાં રેશનકાર્ડ ન ધરાવતા તમામને અન્નબ્રહ્મ યોજના હેઠળ આવરીલઇ મળવાપાત્ર અનાજનો જથ્થો આપવામાં આવેલો છે.
અમદાવાદ શહેરમાં લોકડાઉનના સમયગાળામાં અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી તરફથી નીચે પ્રમાણે જુદા જુદા લાભાર્થીઓની અનાજનો જથ્થાનું વિતરણ કરવામાં આવેલુ છે. ઉપરોકત યોજનાઓ હેઠળ સમગ્ર માસ દરમિયાન અનાજ આપવામાં આવેલુ છે. તે ઉપરાંત જે લોકો રેશનકાર્ડ ધરાવતા નથી, તેમજ લોકડાઉનમાં પોતે મજૂરી કે વ્યવસાય કરી શકતા નથી આવા રેશનકાર્ડ વિહોણા લોકોને અન્નબ્રહ્મ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત હાલમાં પણ આ કામગીરી સતત ચાલુ છે.

ગાંધીનગરઃ કોરોના વાઇરસના કારણે કોઈ ભૂખ્યું ન સૂઇ તે માટે રાજ્ય સરકાર ગરીબોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરી રહી છે, ત્યારે સરદારનગરમાં વિરોધ થયો હતો અને તેઓને અનાજ ન મળ્યા હોવાની વાત સામે આવી હતી, ત્યારે રાજ્ય સરકારે અમદાવાદ શહેરમાં 8,69,587 રાશન કાર્ડધારકોને અનાજ મળ્યું હોવાનું જાહેર કર્યું છે.

સરદારનગર વિરોધ બાદ સરકારે આંકડો જાહેર કર્યો,
સરદારનગર વિરોધ બાદ સરકારે આંકડો જાહેર કર્યો,
લોકડાઉન દરમિયાન અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી સ્થાનિકો દ્વારા રજૂઆતના પગલે વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરી રાશન વિતરણની તમામ ફરિયાદોનો ઝડપી ઉકેલ લાવવામાં આવ્યો છે. આવા 20થી વધુ કિસ્સામાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ફરિયાદ મળ્યાના દિવસે જ નાગરિકોની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે.
અમદાવાદના સરદારનગર છાપરા વિસ્તારના શિવશક્તિ નગરમાંથી મળેલી ફરિયાદને પણ ગંભીરતાપૂર્વક લઈ જિલ્લા વહીવટી તંત્રના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક જરૂરિયાતવાળા તમામ લોકોને સ્થળ પર જ ‘અન્ન બ્રહ્મ’ યોજના હેઠળ રાશન-કીટ વિતરણ કરી ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લામાં આજદિન સુધી આજ દિન સુધીમાં જિલ્લા વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓના મદદથી 3034967 જેટલા ફુડ-પેકેટ તેમજ 34717 જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવેલુ છે.
અમદાવાદ શહેર વિસ્તારમાં “અન્નબ્રહ્મ યોજના” હેઠળ કુલ 07421 લોકોને તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 41709 મળી કુલ 149130 લોકોને ફુડ-બાસ્કેટનું વિતરણ કરવામાં આવેલ છે. શિવશક્તિનગર છાપરા વિસ્તાર તરીકે ઓળખાય છે. જેમાં 170 જેટલા કુટુંબો વસવાટ કરે છે, તેમાંથી 96 જેટલા કુટુંબો NFSA / NON NFSA-APL-1 કાર્ડ ધરાવે છે અને આ તમામ રેશનકાર્ડ ધારકો પૈકી NFSA રેશનકાર્ડ ધારકોને ચાલુ માસે 1 એપ્રિલથી 7 એપ્રિલ સુધીના પ્રથમ તબકકામાં ધારાધોરણ મુજબ ઘઉં, ચોખા, ચણાદાળ, ખાંડ, અને મીઠાનો જથ્થો આપવામાં આવેલો છે, ત્યારબાદ ચાલુ માસે 13 એપ્રિલથી 18 એપ્રિલના સમયગાળા દરમિયાન તમામ NON NFSA APL-1 કાર્ડધારકોને સરકારના ધારાધોરણ મુજબ ઘઉં, ચોખા, ચણાદાળ, ખાંડનો જથ્થો આપવામાં આવેલ છે.
હાલમાં પણ ચાલુ માસે 25 એપ્રિલથી 30 એપ્રિલ સુધીના સમયગાળામાં તમામ NFSA કાર્ડ ધારકોને તેમજ NON NFSA BPL કાર્ડ ધારકોને P.M.G.K.A.Y ( પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના) હેઠળ વ્યકિત દિઠ ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. આ વિસ્તારમાં કેટલાક કુટુંબો પાસે રેશનકાર્ડ ન હોવાનું અને છુટક મજુરી કરીને પોતાનું જીવન નિર્વાહ કરતા હોવાનું જણાઇ આવતા આવા રેશનકાર્ડ વગરના 96 કુટુંબોને તાત્કાલિક અસરથી સ્થળ પર જ વિગતો મેળવીને સરકારની અન્નબ્રહ્મ યોજના હેઠળ ઘઉં, ચોખા, ચણાદાળ, ખાંડ અને મીઠાનો જથ્થો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી અને શિવશકિતનગર છાપરા વિસ્તારમાં રેશનકાર્ડ ન ધરાવતા તમામને અન્નબ્રહ્મ યોજના હેઠળ આવરીલઇ મળવાપાત્ર અનાજનો જથ્થો આપવામાં આવેલો છે.
અમદાવાદ શહેરમાં લોકડાઉનના સમયગાળામાં અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી તરફથી નીચે પ્રમાણે જુદા જુદા લાભાર્થીઓની અનાજનો જથ્થાનું વિતરણ કરવામાં આવેલુ છે. ઉપરોકત યોજનાઓ હેઠળ સમગ્ર માસ દરમિયાન અનાજ આપવામાં આવેલુ છે. તે ઉપરાંત જે લોકો રેશનકાર્ડ ધરાવતા નથી, તેમજ લોકડાઉનમાં પોતે મજૂરી કે વ્યવસાય કરી શકતા નથી આવા રેશનકાર્ડ વિહોણા લોકોને અન્નબ્રહ્મ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત હાલમાં પણ આ કામગીરી સતત ચાલુ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.