તદુપરાંત જરૂરિયાત મંદ દર્દીઓ અને મેડિકલ સારવાર મળી રહે તે, હેતુથી સંસ્થામાં મેડિકલ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે. પૂજ્ય આત્માનંદ જીના દિવ્ય આત્માને રવિવારે સવારે 10.58 કલાકે આત્મજ્ઞાન સંતો વિશાળતા ગૌણ તથા મોક્ષની ઉપસ્થિતિમાં શાંતિ પૂર્વક દેહત્યાગ કરી સમાધિ પ્રાપ્ત કરી છે.
પૂજ્યશ્રીની અંતિમ સંસ્કાર વિધિ આશ્રમના સંકુલમાં સંપન્ન થયેલી હતી, તેમની વિદાયથી ભારતીય સંત પરંપરા એક ઉજ્જવળ સિતારો આપણી વચ્ચેથી વિદાય પામ્યો છે. પરંતુ તેમની પ્રેરણા તેમણે તૈયાર કરેલા મૂકશો તેમ જ ગ્રંથો અને તેમની સ્મૃતિ વિશાળ જનસમુદાયને સદાય માર્ગદર્શક બની રહેશે.
ગુજરાતની સંત પરંપરાના ધ્રુવતારક સમાન તેજસ્વી આધ્યાત્મિક પુરુષ શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મીક સાધના કેન્દ્ર કોબાના પ્રણેતા સંત આત્માનંદજીના પવિત્ર જીવન વિશાળ શાસ્ત્ર જ્ઞાન અને તીર્થંકર તથા સંતો પ્રત્યેના અપાર ભક્તિ ભાવને કારણે તેમના ઉપદેશને અનુસરનારા તેમના હજારો અનુયાયીઓ દેશ વિદેશમાં વસે છે.