ETV Bharat / state

અમદાવાદ શાહઆલમ હિંસા: કોર્ટે મુખ્ય આરોપી શહેઝાદ ખાનના 5 કલાકના જામીન મંજૂર કર્યા

author img

By

Published : Jan 22, 2020, 4:51 PM IST

CAA અને NRC બિલના વિરોધમાં અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં હિંસા ફાટી નિકળી હતી. જેમાં 49 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ હિંસાના મુખ્ય આરોપી શહેઝાદ ખાનની વચગાળાની જામીન અરજી પર કોર્ટે 5 કલાકના જામીન મંજૂર કર્યા છે.

ahmedabad shahalam violance news
ahmedabad shahalam violance news

અમદાવાદઃ 19મી ડિસેમ્બરના રોજ અમદાવાદના શાહઆલમમાં CAA અને NRC બિલના વિરોધમાં સ્વૈચ્છિક રીતે રાખવામાં આવેલા બંધમાં અડધા દિવસની શાંતિ બાદ સાંજે પથ્થરમારાની ઘટના સામે આવી હતી. જેના ભાગરૂપે પોલીસે ધરપકડ કરેલા મુખ્ય આરોપી કાઉન્સિલર શહેઝાદ ખાને કોર્પોરેશનની બોર્ડની બેઠકમાં ભાગ લેવા માટે વચગાળા જામીન અરજી કરતા શેસન્સ કોર્ટે 5 કલાકના જામીન મંજૂર કર્યા છે.

કોર્ટે શહેઝાદ ખાનના 5 કલાકના જામીન મંજૂર કર્યા

29મી જાન્યુઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડની બેઠકમાં ભાગ લેવા દાણીલીમડા વોર્ડના કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણ દ્વારા વચગાળા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્પોરેશનની બોર્ડની બેઠકમાં જો શહેઝાદ ખાન હાજર ન રહે તો તેને ગેરલાયક ઠેરવવાની પણ શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, 19મી ડિસેમ્બરના રોજ અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં હિંસાની જે ઘટના બની હતી ત્યારબાદ પોલીસે કોર્પોરેટરની ધરપકડ કરી હતી. પોલીસે શાહઆલમ વિસ્તારમાં હિંસાને લીધે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે કોર્પોરેશન પરીસરમાં કચરો ઠાલલવવાના કેસમાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

શાહઆલમ હિંસા કેસમાં પોલીસે હાલ 49 લોકોની અટકાયત કરી છે. હિંસાની નોંધ લઇ ગઈકાલે ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જડેજાએ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં હિંસા ફેલાવનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો આદેશ આપ્યો હતો.

પોલીસે હાલ CCTVના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે. ગુરૂવારે સાંજે બનેલી સમગ્ર ઘટનામાં 12 જેટલા પોલીસ કર્મચારી અને સામાન્ય લોકો મળીને કુલ 30 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા વિસ્તારમાં પેટ્રોલિંગ અને 10થી વધું ટિયરગેસના સેલ છોડ્યા હતા.

અમદાવાદઃ 19મી ડિસેમ્બરના રોજ અમદાવાદના શાહઆલમમાં CAA અને NRC બિલના વિરોધમાં સ્વૈચ્છિક રીતે રાખવામાં આવેલા બંધમાં અડધા દિવસની શાંતિ બાદ સાંજે પથ્થરમારાની ઘટના સામે આવી હતી. જેના ભાગરૂપે પોલીસે ધરપકડ કરેલા મુખ્ય આરોપી કાઉન્સિલર શહેઝાદ ખાને કોર્પોરેશનની બોર્ડની બેઠકમાં ભાગ લેવા માટે વચગાળા જામીન અરજી કરતા શેસન્સ કોર્ટે 5 કલાકના જામીન મંજૂર કર્યા છે.

કોર્ટે શહેઝાદ ખાનના 5 કલાકના જામીન મંજૂર કર્યા

29મી જાન્યુઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડની બેઠકમાં ભાગ લેવા દાણીલીમડા વોર્ડના કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણ દ્વારા વચગાળા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્પોરેશનની બોર્ડની બેઠકમાં જો શહેઝાદ ખાન હાજર ન રહે તો તેને ગેરલાયક ઠેરવવાની પણ શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, 19મી ડિસેમ્બરના રોજ અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં હિંસાની જે ઘટના બની હતી ત્યારબાદ પોલીસે કોર્પોરેટરની ધરપકડ કરી હતી. પોલીસે શાહઆલમ વિસ્તારમાં હિંસાને લીધે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે કોર્પોરેશન પરીસરમાં કચરો ઠાલલવવાના કેસમાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

શાહઆલમ હિંસા કેસમાં પોલીસે હાલ 49 લોકોની અટકાયત કરી છે. હિંસાની નોંધ લઇ ગઈકાલે ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જડેજાએ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં હિંસા ફેલાવનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો આદેશ આપ્યો હતો.

પોલીસે હાલ CCTVના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે. ગુરૂવારે સાંજે બનેલી સમગ્ર ઘટનામાં 12 જેટલા પોલીસ કર્મચારી અને સામાન્ય લોકો મળીને કુલ 30 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા વિસ્તારમાં પેટ્રોલિંગ અને 10થી વધું ટિયરગેસના સેલ છોડ્યા હતા.

Intro:(નોંધ - આ સ્ટોરીની પીટુસી મોજોથી મોકલી છે)

19મી ડિસેમ્બરના રોજ અમદાવાદના શાહઆલમમાં CAA અને NRC બિલના વિરોધમાં રાખવામાં આવેલા સ્વૈચ્છિક બંધમાં અડધા દિવસની શાંતિ બાદ સાંજે ફાટી નીકળેલા પથ્થરમારાના ભાગરૂપે પોલીસે ધરપકડ કરેલા મુખ્ય આરોપી કાઉન્સિલર શહેઝાદ ખાને કોર્પોરેશનની બોર્ડની બેઠકમાં ભાગ લેવા માટે વચગાળા જામીન અરજી કરતા શેસન્સ કોર્ટે 5 કલાકના જામીન મંજૂર કર્યા છે.Body:29મી જાન્યુઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડની બેઠકમાં ભાગ લેવા દાણીમીમડા વોર્ડના કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણ દ્વારા વચગાળા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્પોરેશનની બોર્ડની બેઠકમાં જો શહેઝાદ ખાન હાજર ન રહે તો તેને ગેરલાયક ઠેરવવાની પણ શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 19મી ડિસેમ્બરના રોજ અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં હિંસાની જે ઘટના બની હતી ત્યારબાદ પોલીસે કોર્પોરેટરની ધરપકડ કરી હતી. પોલીસે શાહઆલમ વિસ્તારમાં હિંસાને લીધે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યાકે કોર્પોરેશન પરીસર કચરો ઠાલલવવાના કેસમાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. Conclusion:શાહઆલમ હિંસા કેસમાં પોલીસે હાલ 49 લોકોની અટકાયત કરી છે. હિંસાની નોંધ લેતા ગઈકાલે ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જડેજાએ તપાસના આદેશ આપ્યા હતા જેમાં હિંસા ફેલાવનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો આદેશ આપ્યો હતો. પોલીસ હાલ સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે. ગુરુવારે સાંજે બનેલી સમગ્ર ઘટનામાં 12 જેટલા પોલીસ કર્મચારી અને સામાન્ય લોકોને મળીને કુલ 30 લોકો ઈજાગ્રસ્ત પામ્યા હતા. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા વિસ્તારમાં પેટ્રોલિંગ અને 10થી વધું ટિયરગેસના સેલ છોડયા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.