ETV Bharat / state

રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં પૂર્યા નવા પ્રાણ, જનતાને આપ્યા કેટલાક વાયદા - Rahul Gandhi

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી છે. આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને સંબોધન કરી નવા પ્રાણ પૂર્યા હતા. રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને અનેક વાયદાઓ પણ આપ્યા હતા.Gujarat Assembly Election 2022, Rahul Gandhi Gujarat Visit, Gujarat Congress

રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં પૂર્યા નવા પ્રાણ, જનતાને આપ્યા કેટલાક વાયદા
રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં પૂર્યા નવા પ્રાણ, જનતાને આપ્યા કેટલાક વાયદા
author img

By

Published : Sep 5, 2022, 8:56 PM IST

અમદાવાદ ગુુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના ચૂંટણી (Gujarat Assembly Election 2022)પ્રચારનો આજથી શુભારંભ થયો છે. રાહુલ ગાંધી અમદાવાદમાં કાર્યક્રમ દ્વારા વિધાનસભાની ચૂંટણી પ્રચારના (Rahul Gandhi Gujarat Visit )શ્રીગણેશ કરાવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલન આયોજિત કરાયું છે. જેમાં રાહુલ ગાંધી બુથ સ્તરના કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું સાથે જ ગુજરાતની જનતા( Gujarat Congress)માટે વચનોના વાયદા પણ આપ્યા હતા.

કોંગ્રેસના 52000 બુથ કાર્યકરોને સંબોધન રાહુલ ગાંધીએ કોંગ્રેસના 52000 બુથ કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે આખા ગુજરાતમાંથી અહીં આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ આવ્યા છે. મતલબ ગુજરાતના દરેક ગામ અને ખૂણાથી હજારો બબ્બર શેર અહીં આવ્યા છે અને આ જે બબ્બર શેર છે તે એક વિચારધારા માટે લડે છે. આ સામાન્ય બબ્બર નથી જે કોઈપણ વસ્તુ માટે લડે. આ વિચારધારાની લડાઈ લડે છે. તેઓ વિચારધારાની લડાઈ લડે છે. પરંતું ગુજરાતમાં 25 વર્ષથી ગુજરાતીઓ સહન કરી રહ્યાં છે. તમારી લડાઈ રાજકીય પાર્ટી સાથે નથી, આ લડાઈ કોંગ્રેસ-ભાજપ વચ્ચેની નથી. સૌથી પહેલા સમજો કે તમે શાની વિરુદ્ધ લડો છો.

ગુજરાતની જનતા માટે વચનોના વાયદા રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે સરદાર પટેલની દુનિયાની સૌથી મોટી મૂર્તિ બીજેપીએ બનાવી. સરદાર પટેલ કેમ લડ્યા, શા માટે લડ્યા, કેવી રીતે લડ્યા તે ન જાણ્યું. સરદાર પટેલ એક વ્યક્તિત્વ ન હતા, તેઓ હિન્દુસ્તાનના ખેડૂતોનો અવાજ હતા. તેઓ ખેડૂતોના હિત માટે કામ કરતા. સરદાર પટેલ વગર અમૂલ પેદા થઈ શક્તુ ન હોત. એક તરફ બીજેપી તેમની મૂર્તિ ઉભી કરે છે, અને બીજી તરફ જે એવા કાયદા લાવ્યા જે ખેડૂતોની વિરુદ્ધમાં હોય. ત્રણ કાયદા લાવ્યા, જેની સામે ખેડૂતો લડ્યા. અને ભાજપનું કહેવુ છે કે ખેડૂતો માટે લડે છે. બધાનું વ્યાજ માફ થશે, પરંતું ખેડૂતોનું નહીં થાય. સરદાર પટેલ હોત તો કોનું વ્યાજ માફ થાત. એક તરફ મૂર્તિ બનાવે છે, અને બીજી તરફ તેમની જ વિચારધારા પર આક્રમણ કરે છે.

ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવુ માફ કરીશું તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસની જ્યાં પણ સરકારમાં આવી એ રાજ્યોમાં ખેડૂતોનું દેવુ માફ કર્યું છે. અહીં પણ અમે ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવુ માફ કરીશું. ગુજરાતની તમામ સંસ્થાઓને બીજેપીએ કેપ્ચર કરી છે. ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બની ગયું છે. બધા પ્રકારનું ડ્રગ્સ મુન્દ્રા પોર્ટથી નીકળી રહ્યું છે, પરંતુ સરકાર કોઈ કાર્યવાહી નથી કરી રહી. આ માટે શું કારણ છે. દર બે-ત્રણ મહિનામાં મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સ મળે છે જે ગુજરાતના યુવા અને ભવિષ્યને નષ્ટ કરે છે. કોઈને કોઈ કારણ તો હશે જ જો કોઈ ગરીબના ઘરમાં ડ્રગ્સ મળે તો જેલભેગા કરાય છે. પરંતુ હજારો કરોડોનું ડ્રગ્સ મુન્દ્રા પોર્ટ પર મળે તો પોલીસ કોઈ કાર્યવાહી નહિ કરે ગુજરાત મોડલમાં બે ચાર ઉદ્યોગપતિઓનું રાજ છે. આ ઉદ્યોગપતિઓને જે પણ જમીન જોઈએ બે મિનિટમાં સરકાર આપે છે. પરંતું ગુજરાતનો ગરીબ-આદિવાસી હાથ છોડીને જમીન આપે તો કંઈ મળતુ નથી.

વીજળીનો ભાવ ગુજરાતમાં સૌથી વધુ રાહુલ ગાંધીએ કહ્યું કે વીજળીનો ભાવ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ છે. તમારા ખિસ્સામાંથી નીકળેલા રૂપિયા એ જ બે-ત્રણ ઉદ્યોગપતિઓ પાસે જાય છે. વર્ષોથી અહી લોકતંત્ર પર આક્રમણ થઈ રહ્યું છે. કોઈ બોલી શક્તુ નથી. ગુજરાતમાં આંદોલન માટે પરમિશન લેવી પડે છે. જેની વિરુદ્ધ આંદોલન કરશો તેની પાસેથી જ પરમિશન માંગવી પડે છે. જો હિન્દુસ્તાનના કોઈ વ્યક્તિને વેપાર સમજવો હોય તો ગુજરાત તેને શીખવાડી શકે છે. પરંતુ ગુજરાતની સ્ટ્રેન્થ, કોમ્પિટિટીવ એડવાન્ટેજ નાના અને મધ્યમ વેપાર હતા.

નોટબંધીએ તેમને નષ્ટ કર્યાં તેમણે વધુમાં કહ્યું કે પરંતુ નાના અને મધ્યમ કેટેગરીના વેપારીઓને ગુજરાત મદદ નથી કરતું તમે કોઈ પણ દુકાનદારને પૂછો, તમને જણાવશે કે નોટબંધીએ તેમને નષ્ટ કર્યાં છે. ખોટા જીએસટી લાગુ કર્યું છે જો ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓને ફાયદો નહીં તો, ફાયદો કોને છે. એ જ ત્રણ-ચાર મોટા ઉદ્યોગપતિઓને આખો પ્રદેશ એ લોકોના હવાલે કર્યું છે. એરપોર્ટ, પોર્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેલિકોમ બધુ જ તેમના હવાલે કર્યું. જો તમે તેની સામે લડવા માંગો, આંદોલન કરવા માંગો તો પહેલા પરમિશન માંગવી પડે. એ ઉદ્યોગપતિઓની પરમિશન લેવી પડે. શું સરદાર પટેલે અંગ્રેજો સામે આંદોલન કરવા પરમિશન લીધી હતી?

પાંચ વર્ષમાં ભ્રષ્ટાચાર જ થયો તેમણે ગત વિધાનસભાની ચૂંટણીને લક્ષીને કહ્યું કે ગત ચૂંટણીમાં એવુ કહેવાતું હતું કે કોંગ્રેસ પિક્ચરમાં નથી, પરંતું ચૂંટણીના છ મહિના પહેલા તમે ભાજપની હવા કાઢી હતી. તમે બહુ જ સારું લડ્યા. તમે બબ્બર શેર જેવા લડ્યા. આ વખતે પણ એવુ જ થશે. જો તમે ગત સમયની જેમ લડ્યા તો જોઈ લેજો કે અહીં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. પાંચ વર્ષમાં ભ્રષ્ટાચાર જ થયો. ક્રિકેટ ટીમમાં એક પ્લેયર ફેલ જાય તો તેને હટાવે છે. ગુજરાતમાં આખી ટીમને હટાવીની ફેંકી દીધી. તમે લડો, હું તમારી સાથે છું.

ક્યાં ક્યાં રાહુલ ગાંધીએ આપ્યા વાયદા ગુજરાતમાં ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પોતાના વાયદા કરી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેમણે પણ કેટલાક વાયદાઓ કર્યા છે.

રાહુલ ગાંધીએ આપ્યા વાયદા
રાહુલ ગાંધીએ આપ્યા વાયદા

ગુજરાતમાં AAP ની સક્રિયતા વિધાનસભા 2022 મિશન સાથે રાહુલ ગાંધીએ આજના ગુજરાત પ્રવાસમાં દરમિયાન ગુજરાત કોંગ્રેસ પાર્ટી અને કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો છે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી તૂટી રહી હોવાની સ્થિતિએ રાહુલ ગાંધીનું આજનું માર્ગદર્શન કાર્યકરોમાં નવા પ્રાણ પુરી શકે છે. કારણકે ગુજરાતમાં AAP ની સક્રિયતા વચ્ચે કોંગ્રેસે દમ દેખાડવો જરૂરી છે. ત્યારે ભારત જોડો યાત્રા પૂર્વે ગુજરાતથી દેશને રાહુલ ગાંધીએ સંદેશો આપ્યો છે, ગુજરાતમાં કોંગ્રેસની જમીન બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ ગુજરાતમાં ચૂંટણી મુદ્દે ગંભીર હોવા ન હોવા મુદ્દે ઉભા થયેલા સવાલ સામે પણ આજે રાહુલ ગાંધીનો આ પ્રવાસ મહત્વનો ભાગ ભજવી ગયો છે.

કોંગ્રેસ 182 માંથી 125 સીટ પર જીતની આશા વ્યક્ત કરી રાહુલ ગાંધી પાર્ટીને મજબૂત કરવાના પ્રયાસોમાં લાગ્યા છે. તેઓ સતત બીજેપી પર શાબ્દિક પ્રહારોથી માહોલ બનાવી રહ્યાં છે. કોંગ્રેસે આ વર્ષના અંતમાં થનારા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રણ મહિના લાંબુ અભિયાન તૈયાર કર્યું છે. જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને ગુજરાતનો પ્રવાસ કરવાના છે. કોંગ્રેસ પાર્ટી પણ ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરવા માટે 15 સપ્ટેમ્બરનું લક્ષ્ય રાખ્યું છે. જેમાં આજે સ્ક્રીનીંગ કમિટીની બેઠકનું પણ આયોજન થયેલ છે. જો. કે હાલ કોંગ્રેસ 182 માંથી 125 સીટ પર જીતની આશા વ્યક્ત કરી છે.

અમદાવાદ ગુુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના ચૂંટણી (Gujarat Assembly Election 2022)પ્રચારનો આજથી શુભારંભ થયો છે. રાહુલ ગાંધી અમદાવાદમાં કાર્યક્રમ દ્વારા વિધાનસભાની ચૂંટણી પ્રચારના (Rahul Gandhi Gujarat Visit )શ્રીગણેશ કરાવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલન આયોજિત કરાયું છે. જેમાં રાહુલ ગાંધી બુથ સ્તરના કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું સાથે જ ગુજરાતની જનતા( Gujarat Congress)માટે વચનોના વાયદા પણ આપ્યા હતા.

કોંગ્રેસના 52000 બુથ કાર્યકરોને સંબોધન રાહુલ ગાંધીએ કોંગ્રેસના 52000 બુથ કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે આખા ગુજરાતમાંથી અહીં આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ આવ્યા છે. મતલબ ગુજરાતના દરેક ગામ અને ખૂણાથી હજારો બબ્બર શેર અહીં આવ્યા છે અને આ જે બબ્બર શેર છે તે એક વિચારધારા માટે લડે છે. આ સામાન્ય બબ્બર નથી જે કોઈપણ વસ્તુ માટે લડે. આ વિચારધારાની લડાઈ લડે છે. તેઓ વિચારધારાની લડાઈ લડે છે. પરંતું ગુજરાતમાં 25 વર્ષથી ગુજરાતીઓ સહન કરી રહ્યાં છે. તમારી લડાઈ રાજકીય પાર્ટી સાથે નથી, આ લડાઈ કોંગ્રેસ-ભાજપ વચ્ચેની નથી. સૌથી પહેલા સમજો કે તમે શાની વિરુદ્ધ લડો છો.

ગુજરાતની જનતા માટે વચનોના વાયદા રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે સરદાર પટેલની દુનિયાની સૌથી મોટી મૂર્તિ બીજેપીએ બનાવી. સરદાર પટેલ કેમ લડ્યા, શા માટે લડ્યા, કેવી રીતે લડ્યા તે ન જાણ્યું. સરદાર પટેલ એક વ્યક્તિત્વ ન હતા, તેઓ હિન્દુસ્તાનના ખેડૂતોનો અવાજ હતા. તેઓ ખેડૂતોના હિત માટે કામ કરતા. સરદાર પટેલ વગર અમૂલ પેદા થઈ શક્તુ ન હોત. એક તરફ બીજેપી તેમની મૂર્તિ ઉભી કરે છે, અને બીજી તરફ જે એવા કાયદા લાવ્યા જે ખેડૂતોની વિરુદ્ધમાં હોય. ત્રણ કાયદા લાવ્યા, જેની સામે ખેડૂતો લડ્યા. અને ભાજપનું કહેવુ છે કે ખેડૂતો માટે લડે છે. બધાનું વ્યાજ માફ થશે, પરંતું ખેડૂતોનું નહીં થાય. સરદાર પટેલ હોત તો કોનું વ્યાજ માફ થાત. એક તરફ મૂર્તિ બનાવે છે, અને બીજી તરફ તેમની જ વિચારધારા પર આક્રમણ કરે છે.

ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવુ માફ કરીશું તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસની જ્યાં પણ સરકારમાં આવી એ રાજ્યોમાં ખેડૂતોનું દેવુ માફ કર્યું છે. અહીં પણ અમે ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવુ માફ કરીશું. ગુજરાતની તમામ સંસ્થાઓને બીજેપીએ કેપ્ચર કરી છે. ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બની ગયું છે. બધા પ્રકારનું ડ્રગ્સ મુન્દ્રા પોર્ટથી નીકળી રહ્યું છે, પરંતુ સરકાર કોઈ કાર્યવાહી નથી કરી રહી. આ માટે શું કારણ છે. દર બે-ત્રણ મહિનામાં મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સ મળે છે જે ગુજરાતના યુવા અને ભવિષ્યને નષ્ટ કરે છે. કોઈને કોઈ કારણ તો હશે જ જો કોઈ ગરીબના ઘરમાં ડ્રગ્સ મળે તો જેલભેગા કરાય છે. પરંતુ હજારો કરોડોનું ડ્રગ્સ મુન્દ્રા પોર્ટ પર મળે તો પોલીસ કોઈ કાર્યવાહી નહિ કરે ગુજરાત મોડલમાં બે ચાર ઉદ્યોગપતિઓનું રાજ છે. આ ઉદ્યોગપતિઓને જે પણ જમીન જોઈએ બે મિનિટમાં સરકાર આપે છે. પરંતું ગુજરાતનો ગરીબ-આદિવાસી હાથ છોડીને જમીન આપે તો કંઈ મળતુ નથી.

વીજળીનો ભાવ ગુજરાતમાં સૌથી વધુ રાહુલ ગાંધીએ કહ્યું કે વીજળીનો ભાવ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ છે. તમારા ખિસ્સામાંથી નીકળેલા રૂપિયા એ જ બે-ત્રણ ઉદ્યોગપતિઓ પાસે જાય છે. વર્ષોથી અહી લોકતંત્ર પર આક્રમણ થઈ રહ્યું છે. કોઈ બોલી શક્તુ નથી. ગુજરાતમાં આંદોલન માટે પરમિશન લેવી પડે છે. જેની વિરુદ્ધ આંદોલન કરશો તેની પાસેથી જ પરમિશન માંગવી પડે છે. જો હિન્દુસ્તાનના કોઈ વ્યક્તિને વેપાર સમજવો હોય તો ગુજરાત તેને શીખવાડી શકે છે. પરંતુ ગુજરાતની સ્ટ્રેન્થ, કોમ્પિટિટીવ એડવાન્ટેજ નાના અને મધ્યમ વેપાર હતા.

નોટબંધીએ તેમને નષ્ટ કર્યાં તેમણે વધુમાં કહ્યું કે પરંતુ નાના અને મધ્યમ કેટેગરીના વેપારીઓને ગુજરાત મદદ નથી કરતું તમે કોઈ પણ દુકાનદારને પૂછો, તમને જણાવશે કે નોટબંધીએ તેમને નષ્ટ કર્યાં છે. ખોટા જીએસટી લાગુ કર્યું છે જો ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓને ફાયદો નહીં તો, ફાયદો કોને છે. એ જ ત્રણ-ચાર મોટા ઉદ્યોગપતિઓને આખો પ્રદેશ એ લોકોના હવાલે કર્યું છે. એરપોર્ટ, પોર્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેલિકોમ બધુ જ તેમના હવાલે કર્યું. જો તમે તેની સામે લડવા માંગો, આંદોલન કરવા માંગો તો પહેલા પરમિશન માંગવી પડે. એ ઉદ્યોગપતિઓની પરમિશન લેવી પડે. શું સરદાર પટેલે અંગ્રેજો સામે આંદોલન કરવા પરમિશન લીધી હતી?

પાંચ વર્ષમાં ભ્રષ્ટાચાર જ થયો તેમણે ગત વિધાનસભાની ચૂંટણીને લક્ષીને કહ્યું કે ગત ચૂંટણીમાં એવુ કહેવાતું હતું કે કોંગ્રેસ પિક્ચરમાં નથી, પરંતું ચૂંટણીના છ મહિના પહેલા તમે ભાજપની હવા કાઢી હતી. તમે બહુ જ સારું લડ્યા. તમે બબ્બર શેર જેવા લડ્યા. આ વખતે પણ એવુ જ થશે. જો તમે ગત સમયની જેમ લડ્યા તો જોઈ લેજો કે અહીં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. પાંચ વર્ષમાં ભ્રષ્ટાચાર જ થયો. ક્રિકેટ ટીમમાં એક પ્લેયર ફેલ જાય તો તેને હટાવે છે. ગુજરાતમાં આખી ટીમને હટાવીની ફેંકી દીધી. તમે લડો, હું તમારી સાથે છું.

ક્યાં ક્યાં રાહુલ ગાંધીએ આપ્યા વાયદા ગુજરાતમાં ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પોતાના વાયદા કરી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેમણે પણ કેટલાક વાયદાઓ કર્યા છે.

રાહુલ ગાંધીએ આપ્યા વાયદા
રાહુલ ગાંધીએ આપ્યા વાયદા

ગુજરાતમાં AAP ની સક્રિયતા વિધાનસભા 2022 મિશન સાથે રાહુલ ગાંધીએ આજના ગુજરાત પ્રવાસમાં દરમિયાન ગુજરાત કોંગ્રેસ પાર્ટી અને કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો છે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી તૂટી રહી હોવાની સ્થિતિએ રાહુલ ગાંધીનું આજનું માર્ગદર્શન કાર્યકરોમાં નવા પ્રાણ પુરી શકે છે. કારણકે ગુજરાતમાં AAP ની સક્રિયતા વચ્ચે કોંગ્રેસે દમ દેખાડવો જરૂરી છે. ત્યારે ભારત જોડો યાત્રા પૂર્વે ગુજરાતથી દેશને રાહુલ ગાંધીએ સંદેશો આપ્યો છે, ગુજરાતમાં કોંગ્રેસની જમીન બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ ગુજરાતમાં ચૂંટણી મુદ્દે ગંભીર હોવા ન હોવા મુદ્દે ઉભા થયેલા સવાલ સામે પણ આજે રાહુલ ગાંધીનો આ પ્રવાસ મહત્વનો ભાગ ભજવી ગયો છે.

કોંગ્રેસ 182 માંથી 125 સીટ પર જીતની આશા વ્યક્ત કરી રાહુલ ગાંધી પાર્ટીને મજબૂત કરવાના પ્રયાસોમાં લાગ્યા છે. તેઓ સતત બીજેપી પર શાબ્દિક પ્રહારોથી માહોલ બનાવી રહ્યાં છે. કોંગ્રેસે આ વર્ષના અંતમાં થનારા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રણ મહિના લાંબુ અભિયાન તૈયાર કર્યું છે. જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને ગુજરાતનો પ્રવાસ કરવાના છે. કોંગ્રેસ પાર્ટી પણ ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરવા માટે 15 સપ્ટેમ્બરનું લક્ષ્ય રાખ્યું છે. જેમાં આજે સ્ક્રીનીંગ કમિટીની બેઠકનું પણ આયોજન થયેલ છે. જો. કે હાલ કોંગ્રેસ 182 માંથી 125 સીટ પર જીતની આશા વ્યક્ત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.