ETV Bharat / state

સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીના સગા અને હોસ્પિટલ વચ્ચે ડખો થતાં સામસામે નોંધાવી ફરિયાદ - Hospital

અમદાવાદઃ શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીના પતિ અને હોસ્પિટલ વચ્ચે બિલને લઈને વિવાદ સર્જાયો હતો. આ વિવાદ વધતા બંને પક્ષે પોલીસ સ્ટેશનમાં આમને-સામને ફરિયાદ નોંધાવી છે. જેથી વસ્ત્રાપુર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

સ્ટર્લિંગ હોસ્પિટલ
author img

By

Published : Jul 21, 2019, 6:32 PM IST

અમદાવાદમાં મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ મહિલાના પતિએ ફરિયાદ નોંધાવી છે કે, તેની પત્નીને 12 જુલાઈએ પથરીનો દુઃખાવો થતો હોવાથી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં બીજા દિવસે તેની પત્નીને રજા આપી દેવામાં આવી હતી, પરંતુ હોસ્પીટલમાં ભરેલા બીલની કાચી ચિઠ્ઠી જ આપી હતી. જે અંગે હિસાબ પૂછતાં વિવાદ થયો હતો અને ત્યારબાદ મહિલાના પતિએ હોસ્પિટલને આ અંગે ફરિયાદ કરતો મેઈલ કર્યો હતો, જેનો યોગ્ય જવાબ પણ મળ્યો નથી.

સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીના સગા અને હોસ્પિટલે સામસામે નોંધાવી ફરિયાદ

બીજી તરફ ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા સાઈગોન વર્ગીસે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, અરવિંદ મહેશ્વરીએ બિલ સુધારા અંગે દબાણ કર્યું હતું, પરંતુ તેમાં કોઈ સુધારો ન કરી અપાતા બીજી વખત આવ્યા હતા. જ્યારે બિલ સુધારવાની ના પાડતા અપશબ્દો બોલવા લાગ્યા હતા. હાલ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે કે, આખરે મામલો શુ છે.

અમદાવાદમાં મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ મહિલાના પતિએ ફરિયાદ નોંધાવી છે કે, તેની પત્નીને 12 જુલાઈએ પથરીનો દુઃખાવો થતો હોવાથી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં બીજા દિવસે તેની પત્નીને રજા આપી દેવામાં આવી હતી, પરંતુ હોસ્પીટલમાં ભરેલા બીલની કાચી ચિઠ્ઠી જ આપી હતી. જે અંગે હિસાબ પૂછતાં વિવાદ થયો હતો અને ત્યારબાદ મહિલાના પતિએ હોસ્પિટલને આ અંગે ફરિયાદ કરતો મેઈલ કર્યો હતો, જેનો યોગ્ય જવાબ પણ મળ્યો નથી.

સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીના સગા અને હોસ્પિટલે સામસામે નોંધાવી ફરિયાદ

બીજી તરફ ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા સાઈગોન વર્ગીસે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, અરવિંદ મહેશ્વરીએ બિલ સુધારા અંગે દબાણ કર્યું હતું, પરંતુ તેમાં કોઈ સુધારો ન કરી અપાતા બીજી વખત આવ્યા હતા. જ્યારે બિલ સુધારવાની ના પાડતા અપશબ્દો બોલવા લાગ્યા હતા. હાલ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે કે, આખરે મામલો શુ છે.

Intro:અમદાવાદ:મેમનગર વિસ્તારમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીના સગા અને હોસ્પિટલ વચ્ચે બિલને લઈને વિવાદ સર્જાયો હતો.વિવાદ વધતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જ્યાં બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.વસ્ત્રાપુર પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.Body:શહેરના મેમનગરમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરેલા મહિલાના પતિએ ફરિયાદ નોંધાવી છે કે તેમની પત્નીને 12 જુલાઈએ પથરીનો દુખાવો થતા સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં બીજા દિવસે તેમની પત્નીને રજા આપી દેવામાં આવી હતી પરંતુ તેમને ભરેલા બીલ અંગે કાચી ચિઠ્ઠી જ આપી હતી જેમાં હિસાબ અંગે પૂછતાં વિવાદ થયો હતો.તે બાદ તેમને હોસ્પિટલને આ અંગે ફરિયાદ સાથે મેલ કર્યો હતો જેમાં યોગ્ય જવાબ પણ તેમને મળ્યો નહતો.

બીજી તરફ ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા સાઈગોન વર્ગીસે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે અરવિંદભાઈ મહેશ્વરીએ બિલ સુધારા અંગે દબાણ કર્યું હતું પરંતુ તેમાં કોઈ સુધારો ના કરી અપાતા બીજી વખત તેઓ આવ્યા હતા બિલ સુધારાવાનું કહ્યું હતું અને તેમને ના પાડતા ગાળો બોલ્યા હતા.બંને પક્ષની ફરિયાદ નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે.


બાઈટ- મુકેશ પટેલ (એસીપી-A-ડિવિઝન)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.