ETV Bharat / state

પાયલ કુકરાણીને નરોડા વિધાનસભા બેઠક પર ટિકીટનો સિંધીસમાજે જ વિરોધ કેમ કર્યો જૂઓ

author img

By

Published : Nov 10, 2022, 3:54 PM IST

Updated : Nov 10, 2022, 6:34 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માટે 10 નવેમ્બરે ભાજપનું પ્રથમ ઉમેદવાર લિસ્ટ જાહેર થઈ ગયું છે.. આ યાદીમાં નરોડા વિધાનસભા બેઠક ( Naroda Assembly Seat ) પર ડોક્ટર પાયલ કુકરાણીને ટિકીટ ( BJP Woman Candidate Payal Kukrani ) આપવામાં આવી છે. 30 વર્ષીય સાવ નવા લાગતાં આ ઉમેદવાર વિશે વધુ જાણીએ.

પાયલ કુકરાણીને નરોડા વિધાનસભા બેઠક પર ટિકીટનો સિંધીસમાજે જ વિરોધ કેમ કર્યો જૂઓ
પાયલ કુકરાણીને નરોડા વિધાનસભા બેઠક પર ટિકીટનો સિંધીસમાજે જ વિરોધ કેમ કર્યો જૂઓ

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) ભાજપે પોતાના ઉમેદવારોને ટિકીટો આપવાની શરુઆત કરી છે. ભાજપે 10 નવેમ્બરે પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી છે. તેમાં અમદાવાદ શહેરની કુલ 16 બેઠકો પૈકીની એક નરોડા વિધાનસભા બેઠક ( Naroda Assembly Seat )પર પાયલબેન મનોજકુમાર કુકરાણીને ટિકીટ ( BJP Woman Candidate Payal Kukrani )આપવામાં આવી છે. ભાજપના મહિલા ઉમેદવાર પાયલ કુકરાણી કોણ છે અને તેમની પૂર્વભૂમિકા શું છે તેમજ 47 નંબરની નરોડા વિધાનસભા બેઠકની ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં શી વિગતો રહી હતી તે વિશે વિસ્તૃત માહિતી જોઇએ.

પાયલ કુકરાણીનો પરિચય પાયલ મનોજકુમાર કુકરાણી ( BJP Woman Candidate Payal Kukrani ) વ્યવસાયે એનેસ્થેયિસાના એમડી ડોક્ટર છે. તેઓ ભાજપ સંગઠનમાં સક્રિય કાર્યકર્તા રહ્યાં છે. તેમના પિતા મનોજકુમાર રોગુમલ કુકરાણી વર્ષોથી ભાજપ અને સંઘ પરિવારના સક્રિય સભ્ય તથા હોદ્દેદાર રહ્યાં છે. પાયલ કુકરાણીનો જન્મ 18 ડીસેમ્બર 1992ના રોજ થયો છે. તેઓ કુબેરનગર પાટિયા વિસ્તારમાં જ રહે છે અને સિંધી સમાજમાંથી આવે છે. પાયલ કુકરાણીના ગત ફેબ્રુઆરી માસમાં જ ડોક્ટર અનિલ ચૌહાણ સાથે થયાં છે. તેમણે પ્રેમલગ્ન કરેલા છે. તેમના પતિ એમડી મેડિસિનની ડિગ્રી ધરાવે છે. પાયલ કુકરાણી નરોડા વિસ્તારમાં ગરીબ બાળકોને શિક્ષણ આપવાનું અને નિશુલ્ક તબીબી સહાય આપવાનું સામાજિક કાર્ય કરવામાં પહેલેથી સક્રિય હોવાનું જાણવા મળે છે.

ડોક્ટર પાયલ કુકરાણીના લગ્ન આ વર્ષે જ ડોક્ટર અનિલ ચૌહાણ સાથે થયાં છે
ડોક્ટર પાયલ કુકરાણીના લગ્ન આ વર્ષે જ ડોક્ટર અનિલ ચૌહાણ સાથે થયાં છે

પાયલ કુકરાણીના પિતાની ભાજપમાં ભૂમિકા મનોજકુમાર કુકરાણી (BJP Woman Candidate Payal Kukrani )પાર્ટિશન વખતે ભારત આવી ગયેલા રેફ્યૂજી સિંઘી સમાજના છે. તેઓ 1980માં પાર્ટીમાં જોડાયાં ત્યારથી સક્રિય સભ્ય રહ્યાં છે. 1985માં યુવા પ્રમુખ, 1987માં ઉપપ્રમુખ, 1991માં શહેર ખજાનચી, 1992માં વોર્ડ પ્રમુખ, 1994માં નરોડાના મહામંત્રી, 1998માં નરોડા મંડળ પ્રમુખ બાદમાં સૈજપુર વોર્ડના પ્રમુખ, સિંધી પંચાયતના પ્રમુખ, નરોડા વિધાનસભા બેઠકના સિંધી સમાજના નેતા તેમજ સંલગ્ન સંસ્થાઓ અને યુનિયનો સાથે સક્રિયપણે સંકળાયેલા રહ્યાં છે. મહત્ત્વની વાત છે કે મનોજકુમાર કુકરાણીએ હાલમાં ગોધરાકાંડ બાદના પાટીયા કાંડ કેસમાં હાલમાં જામીન લીધેલા છે. ત્યારે હવે તેમના પુત્રી પાયલ કુકરાણીને ટિકીટ આપવામાં આવી છે. પાયલ કુકરાણીના માતા રેશમા મનોજકુમાર કુકરાણી પણ અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપના કાઉન્સિલર છે.

પાયલ કુકરાણીને ટિકીટનો સિંધી સમાજનો વિરોધ નરોડામાં પાયલ કુકરાણીને નરોડા બેઠક પર ટિકીટ (Naroda Assembly Seat )આપવાના ભાજપના નિર્ણયનો નરોડાના સિંધી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. પાયલ કુકરાણીએ (BJP Woman Candidate Payal Kukrani )સિંધી સમાજની બહાર આંતરજ્ઞાતિય લગ્ન કર્યાં હોવાથી આ વિરોધ થઇ રહ્યો છે અને સંગઠનમાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે તેમજ સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારે આપેલા બાયોડેટામાં ખોટી વિગતો આપવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

નરોેડા બેઠક પર ગત ચૂંટણીની પરિસ્થિતિ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 વખતે આ બેઠક ( Naroda Assembly Seat )પર બલરામ થાવાણીને ભાજપે ટિકીટ આપી હતી. તેમની સામે કોંગ્રેસના તિવારી ઓમપ્રકાશ દરોગાપ્રસાદ હતાં.જેમાં બલરામ થાવાણીએ 60,142 મતથી વિજય મેળવ્યો હતો.

નરોડા વિધાનસભા બેઠક પર મતદાર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માટે ચૂંટણી પંચની યાદી મુજબ મતદાર સંખ્યા જોઇએ. આ બેઠક ( Naroda Assembly Seat ) પર કુલ પુરુષ મતદાર 156379 મહિલા મતદાર 139663 થર્ડ જેન્ડર 33, સાથે કુલ 296075 મતદાર નોંધાયા છે.

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) ભાજપે પોતાના ઉમેદવારોને ટિકીટો આપવાની શરુઆત કરી છે. ભાજપે 10 નવેમ્બરે પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી છે. તેમાં અમદાવાદ શહેરની કુલ 16 બેઠકો પૈકીની એક નરોડા વિધાનસભા બેઠક ( Naroda Assembly Seat )પર પાયલબેન મનોજકુમાર કુકરાણીને ટિકીટ ( BJP Woman Candidate Payal Kukrani )આપવામાં આવી છે. ભાજપના મહિલા ઉમેદવાર પાયલ કુકરાણી કોણ છે અને તેમની પૂર્વભૂમિકા શું છે તેમજ 47 નંબરની નરોડા વિધાનસભા બેઠકની ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં શી વિગતો રહી હતી તે વિશે વિસ્તૃત માહિતી જોઇએ.

પાયલ કુકરાણીનો પરિચય પાયલ મનોજકુમાર કુકરાણી ( BJP Woman Candidate Payal Kukrani ) વ્યવસાયે એનેસ્થેયિસાના એમડી ડોક્ટર છે. તેઓ ભાજપ સંગઠનમાં સક્રિય કાર્યકર્તા રહ્યાં છે. તેમના પિતા મનોજકુમાર રોગુમલ કુકરાણી વર્ષોથી ભાજપ અને સંઘ પરિવારના સક્રિય સભ્ય તથા હોદ્દેદાર રહ્યાં છે. પાયલ કુકરાણીનો જન્મ 18 ડીસેમ્બર 1992ના રોજ થયો છે. તેઓ કુબેરનગર પાટિયા વિસ્તારમાં જ રહે છે અને સિંધી સમાજમાંથી આવે છે. પાયલ કુકરાણીના ગત ફેબ્રુઆરી માસમાં જ ડોક્ટર અનિલ ચૌહાણ સાથે થયાં છે. તેમણે પ્રેમલગ્ન કરેલા છે. તેમના પતિ એમડી મેડિસિનની ડિગ્રી ધરાવે છે. પાયલ કુકરાણી નરોડા વિસ્તારમાં ગરીબ બાળકોને શિક્ષણ આપવાનું અને નિશુલ્ક તબીબી સહાય આપવાનું સામાજિક કાર્ય કરવામાં પહેલેથી સક્રિય હોવાનું જાણવા મળે છે.

ડોક્ટર પાયલ કુકરાણીના લગ્ન આ વર્ષે જ ડોક્ટર અનિલ ચૌહાણ સાથે થયાં છે
ડોક્ટર પાયલ કુકરાણીના લગ્ન આ વર્ષે જ ડોક્ટર અનિલ ચૌહાણ સાથે થયાં છે

પાયલ કુકરાણીના પિતાની ભાજપમાં ભૂમિકા મનોજકુમાર કુકરાણી (BJP Woman Candidate Payal Kukrani )પાર્ટિશન વખતે ભારત આવી ગયેલા રેફ્યૂજી સિંઘી સમાજના છે. તેઓ 1980માં પાર્ટીમાં જોડાયાં ત્યારથી સક્રિય સભ્ય રહ્યાં છે. 1985માં યુવા પ્રમુખ, 1987માં ઉપપ્રમુખ, 1991માં શહેર ખજાનચી, 1992માં વોર્ડ પ્રમુખ, 1994માં નરોડાના મહામંત્રી, 1998માં નરોડા મંડળ પ્રમુખ બાદમાં સૈજપુર વોર્ડના પ્રમુખ, સિંધી પંચાયતના પ્રમુખ, નરોડા વિધાનસભા બેઠકના સિંધી સમાજના નેતા તેમજ સંલગ્ન સંસ્થાઓ અને યુનિયનો સાથે સક્રિયપણે સંકળાયેલા રહ્યાં છે. મહત્ત્વની વાત છે કે મનોજકુમાર કુકરાણીએ હાલમાં ગોધરાકાંડ બાદના પાટીયા કાંડ કેસમાં હાલમાં જામીન લીધેલા છે. ત્યારે હવે તેમના પુત્રી પાયલ કુકરાણીને ટિકીટ આપવામાં આવી છે. પાયલ કુકરાણીના માતા રેશમા મનોજકુમાર કુકરાણી પણ અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપના કાઉન્સિલર છે.

પાયલ કુકરાણીને ટિકીટનો સિંધી સમાજનો વિરોધ નરોડામાં પાયલ કુકરાણીને નરોડા બેઠક પર ટિકીટ (Naroda Assembly Seat )આપવાના ભાજપના નિર્ણયનો નરોડાના સિંધી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. પાયલ કુકરાણીએ (BJP Woman Candidate Payal Kukrani )સિંધી સમાજની બહાર આંતરજ્ઞાતિય લગ્ન કર્યાં હોવાથી આ વિરોધ થઇ રહ્યો છે અને સંગઠનમાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે તેમજ સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારે આપેલા બાયોડેટામાં ખોટી વિગતો આપવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

નરોેડા બેઠક પર ગત ચૂંટણીની પરિસ્થિતિ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 વખતે આ બેઠક ( Naroda Assembly Seat )પર બલરામ થાવાણીને ભાજપે ટિકીટ આપી હતી. તેમની સામે કોંગ્રેસના તિવારી ઓમપ્રકાશ દરોગાપ્રસાદ હતાં.જેમાં બલરામ થાવાણીએ 60,142 મતથી વિજય મેળવ્યો હતો.

નરોડા વિધાનસભા બેઠક પર મતદાર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માટે ચૂંટણી પંચની યાદી મુજબ મતદાર સંખ્યા જોઇએ. આ બેઠક ( Naroda Assembly Seat ) પર કુલ પુરુષ મતદાર 156379 મહિલા મતદાર 139663 થર્ડ જેન્ડર 33, સાથે કુલ 296075 મતદાર નોંધાયા છે.

Last Updated : Nov 10, 2022, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.