ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્ય: કોરોનાના 23 નવા કેસ નોંધાયા, કુલ સંખ્યા 1738 થઈ

author img

By

Published : Aug 28, 2020, 11:10 PM IST

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારે સાંજ સુધીમાં કોરોનાના નવા 23 કેસ નોંધાતા કુલ આંકડો 1738 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી. આ સાથે જ અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોના પોઝિટિવનો આંકડો 400ને વટાવી ગયો છે.

etv bharat
અમદાવાદ ગ્રામ્ય : કોરોનાના વધુ 23 કેસ નોંધાયા, કુલ સંખ્યા 1738 એ પહોંચી

અમદાવાદ: શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 413 અને સાણંદમાં 403 નોંધાયા છે. જે કુલ કેસના લગભગ 50 ટકા જેટલું થાય છે. દસક્રોઈ 277, બાવળામાં 194 કેસ નોંધાયા છે. હવે મૂળ ધોળકા અને સાણંદમાં કોરોના ફેલાઈ રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકા 132 વિરમગામ 192, બાવળા 194 અને માંડલ તાલુકામાં 77 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાથી પણ 58 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદના ગ્રામિણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.27 લાખ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 30 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.

ધોળકામાં 413 અને સાણંદમાં 403 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ: શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 413 અને સાણંદમાં 403 નોંધાયા છે. જે કુલ કેસના લગભગ 50 ટકા જેટલું થાય છે. દસક્રોઈ 277, બાવળામાં 194 કેસ નોંધાયા છે. હવે મૂળ ધોળકા અને સાણંદમાં કોરોના ફેલાઈ રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકા 132 વિરમગામ 192, બાવળા 194 અને માંડલ તાલુકામાં 77 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાથી પણ 58 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદના ગ્રામિણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.27 લાખ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 30 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.

ધોળકામાં 413 અને સાણંદમાં 403 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.