અમદાવાદઃ અમદાવાદ શહેરમાં વધતા જતાં કોરોનાના કેસને લઈને વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે માસ સેનિટાઇઝિંગ ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેથી કરીને રેલવેના સ્ટાફ અને પેસેન્જરોને કોરોના વાયરસથી બચાવી શકાય.
આ માસ સેનિટાઇઝિંગ ટનલ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર-1 પર બનાવવામાં આવી છે. સ્ટેશનમાં પ્રવેશતાં દરેક વ્યક્તિએ તે ટનલમાંથી પસાર થઈને પોતાની જાતને સેનિટાઇઝ કરવાની રહે છે. આ ટનલ 20 ફૂટ લાંબી છે. ચાલતાં તમે 10 સેકન્ડમાં તેને પાર કરી શકો છો.

ટનલમાં ડબલ્યુ.એચ.ઓ દ્વારા પ્રમાણિત સેનિટાઈઝર, હોટ ફોગિંગ તેમ જ કોલ્ડ ફોગિંગનો ઉપયોગ કરવામાં આવે છે. એક મિનિટમાં 25 થી 30 વ્યક્તિઓને આ ટનલ સેનિટાઈઝ કરી શકે છે.

ટનલની અંદર પ્રવેશતાં જ સેન્સર દ્વારા શરૂ સેનિટાઇઝિંગ શરૂ થઈ જાય છે. આ ટનલમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ 20ML સેનિટાઈઝરનો વપરાશ થાય છે.