અમદાવાદ રાજ્યભરમાં ગુરૂવારે વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) પ્રથમ તબક્કા માટે મતદાન થયું હતું. તે અંતર્ગત મહાનગરો જેવા કે, ભાવનગર, જામનગર, જૂનાગઢ, રાજકોટ અને સુરતમાં મતદાન થયું હતું. અહીં સરેરાશ 59.88 ટકા મતદાન થયું હતું. અહીં ભાવનગરમાં કુલ 59.17 ટકા, જામનગરમાં 58.01 ટકા, જૂનાગઢમાં 59.52 ટકા અને રાજકોટમાં 60.45 ટકા મતદાન થયું હતું. વર્ષ 2017ની વાત કરીએ તો (Low Polling Metro Cities for Gujarat Election) ભાવનગરમાં 62.18 ટકા, જામનગરમાં 64.70 ટકા, જૂનાગઢમાં 63.15 ટકા અને રાજકોટમાં 67.29 ટકા મતદાન થયું હતું. આ સાથે જ આ વખતે ગઈ ચૂંટણી કરતા સૌથી ઓછું 9.61 ટકા મતદાન રાજકોટમાં થયું છે.
ભાવનગરમાં કુલ મતદાન ભાવનગરની વાત કરીએ (Low turnout in Bhavnagar) તો, અહીં ભાવનગર પૂર્વ બેઠક પર 56.08 ટકા, ભાવનગર ગ્રામ્ય બેઠક પર 60.96 ટકા, ભાવનગર પશ્ચિમ બેઠક પર 60.51 ટકા, ગારિયાધર બેઠક પર 60.83 ટકા, મહુવામાં 61.96 ટકા, પાલિતાણામાં 58.94 ટકા અને તળાજામાં 55.01 ટકા મતદાન થયું હતું.
જામનગરમાં કુલ મતદાન જામનગરમાં (Low turnout in Jamnagar) જામજોધપુરમાં 65.42 ટકા, જામનગર ઉત્તરમાં 55.96 ટકા, જામનગર ગ્રામ્યમાં 56.33 ટકા, જામનગર દક્ષિણમાં 57.33 ટકા, કાલાવડમાં 55.61 ટકા મતદાન થયું હતું.
જૂનાગઢમાં કુલ મતદાન જૂનાગઢની (Low turnout in Junagadh) વાત કરીએ તો, જૂનાગઢ બેઠક પર 55.82 ટકા, કેશોદમાં 62.05 ટકા, માણાવદરમાં 61.17 ટકા, માંગરોળમાં 63.52 ટકા, વિસાવદરમાં 56.10 ટકા મતદાન થયું હતું.
રાજકોટમાં કુલ મતદાન રાજકોટમાં ધોરાજીમાં (Low turnout in Rajkot) 57.20 ટકા, ગોંડલમાં 62.81 ટકા, જસદણમાં 62.48 ટકા, જેતપુરમાં 63.22 ટકા, રાજકોટ પૂર્વમાં 62.15 ટકા, રાજકોટ ગ્રામ્યમાં 61.74 ટકા, રાજકોટ દક્ષિણમાં 58.84 ટકા અને રાજકોટ પશ્ચિમમાં 56.15 ટકા મતદાન થયું હતું.
રાજકીય પાર્ટીઓની નિષ્ફળતા આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Saurashtra Mission) સૌરાષ્ટ્રમાં ભાજપની પકડ મજબૂત બનાવવા જામનગર, રાજકોટ સહિતના મહાનગરોમાં સભાઓ ગજવીને પ્રચંડ પ્રચાર કર્યો હતો. સાથે જ તેમણે લોકોને મતદાનની અપીલ કરી હતી. તેમ છતાં તેમની અપીલની મતદારો પર કોઈ અસર જોવા મળી નહતી તેવું ચિત્ર ઉપસીને આવ્યું છે. બીજી તરફ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ પ્રચાર પૂરજોશમાં કર્યો હતો, પરંતુ તેઓ પણ મતદારોને રિઝવવામાં નિષ્ફળ નિવડ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, આ વખતે મતદાનમાં ધરખમ ઘટાડો થયો છે. એટલે કે કોઈ પણ પાર્ટીને મત આપવા કરતા મતદારોએ આરામ કરવાનું વધુ યોગ્ય ગણ્યું હોય તેવું લાગી રહ્યું છે.