ETV Bharat / state

PM મોદી સહિત ભાજપના સ્ટાર પ્રચારકો આજે પણ ગુજરાતભરમાં ગજવશે સભાઓ

author img

By

Published : Nov 28, 2022, 8:53 AM IST

Updated : Nov 28, 2022, 9:12 AM IST

રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે ભાજપ આજે ફરી સ્ટાર પ્રચારકોની (BJP Star Campaigners Campaign for Gujarat ) ટીમને મેદાને ઉતારશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પોતે ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં (Campaign for Gujarat Election 2022) છે. ત્યારે તેઓ પણ પાલીતાણા, અંજાર, જામનગર અને રાજકોટમાં સભા ગજવશે

PM મોદી સહિત ભાજપનાસ્ટાર પ્રચારકો આજે પણ ગુજરાતભરમાં ગજવશે સભાઓ
PM મોદી સહિત ભાજપનાસ્ટાર પ્રચારકો આજે પણ ગુજરાતભરમાં ગજવશે સભાઓ

અમદાવાદ ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપ એચીચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર કરી રહી છે. તેવામાં હવે આજે ભાજપના સ્ટાર પ્રચારકો (Campaign for Gujarat Election 2022) રાજ્યભરમાં સભા ગજવી પાર્ટી માટે વોટ માગશે. તો કયા પ્રચારક (BJP Star Campaigners Campaign for Gujarat) ક્યાં સભા સંબોધશે જોઈએ.

વડાપ્રધાનના કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે બીજા દિવસે બપોરે 12.15 વાગ્યે પાલીતાણામાં, બપોરે 2.45 વાગ્યે અંજારમાં રાધે રિસોર્ટની સામે, બપોરે 4.30 વાગ્યે જામનગરમાં અને સાંજે 6.30 વાગ્યે રાજકોટમાં સભા સંબોધશે.

કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાની કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાની (Smriti Irani Union Minister) પણ ગુજરાત પ્રચાર અભિયાનમાં જોડાયાં છે. તેઓ આજે બપોરે 1.30 વાગ્યે મહેસાણા જિલ્લામાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહૉલ ખાતે મહિલા મોરચા સંમેલનને સંબોધશે. ત્યારબાદ તેઓ સાંજે 6 વાગ્યે ગાંધીનગરમાં ઉવારસદ ગામની ભાગોળે અને રાત્રે 8 વાગ્યે અમદાવાદમાં GB શાહ કૉલેજની પાછળ પોપ્યુલર વ્હીલર ચાર રસ્તા ખાતે જાહેરસભા સંબોધશે.

કેન્દ્રિય ગૃહપ્રધાન કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah Home Minister) રાજ્યમાં 4 સભા ગજવશે. તેઓ સવારે 10 વાગ્યે મહેસાણામાં આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ ખાતે (Mehsana Arts and Science College) ખેરાલુ વિધાનસભા બેઠક માટે, બપોરે 12 વાગ્યે વડોદરામાં ભાટિયા ગ્રાઉન્ડ ખાતે સાવલી વિધાનસભા માટે, બપોરે 2 વાગ્યે અરવલ્લી જિલ્લામાં આર. જી. બારોટ બી. એડ કૉલેજમાં ભિલોડા વિધાનસભા માટે અને રાત્રે 8 વાગ્યે અમદાવાદમાં નવા વાડજના વ્યાસવાડી ચાર રસ્તા ખાતે નારણપુરા વિધાનસભા બેઠક માટે જાહેરસભા ગજવશે.

કેન્દ્રિય પ્રધાન પરષોત્તમ રૂપાલા કેન્દ્રિય પ્રધાન (Parshottam Rupala Union Minister) આજે કુલ 4 જાહેરસભા સંબોધશે. તેઓ સવારે 9 વાગ્યે મોરબી જિલ્લામાં મોરબી વિધાનસભા માટે, બપોરે 3.30 અને 5.15 વાગ્યે અમરેલી જિલ્લામાં અમરેલી વિધાનસભા માટે અને અમરેલી જિલ્લામાં રાત્રે 7.45 વાગ્યે લાઠી વિધાનસભા બેઠક માટે જાહેરસભા સંબોધશે.

મનોજ તિવારીનો પ્રચાર ભાજપના સાંસદ મનોજ તિવારી (BJP MP Manoj Tiwari) પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે મેદાને છે. ત્યારે આજે તેઓ સવારે 10.30 વાગ્યે સુરતમાં દિલીપસિંહ ફાર્મ ખાતે ઉત્તરપ્રદેશને સમુદાય સાથે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ બપોરે 4 વાગ્યે સુરતમાં ઘોડસંબા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પેજ સમિતિ વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત તેઓ સાંજે 5 વાગ્યે સુરતમાં અહુરા કોમ્પ્લેક્સ પાસે પેજ સમિતિ વિજય સંકલ્પ સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે. ઉપરાંત તેઓ સુરતમાં સરદાર નગર ખાતે સાંજે 6.30 વાગ્યે અને આનંદપાર્ક સોસાયટીમાં રાત્રે 8 વાગ્યે જાહેરસભા સંબોધશે.

મુખ્યપ્રધાનના કાર્યક્રમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel Road Show) આજે પ્રચાર માટે મહેસાણા જશે. તેઓ અહીં બેચરાજી વિધાનસભાના પ્રચાર માટે બપોરે 3 વાગ્યે ભવ્ય રોડ શૉ યોજશે. આ રોડ શૉનું પ્રસ્થાન શ્રી બહુચરાજી માતાજીના મંદિરથી થશે.

અન્ય પ્રચારકો ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા અને ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા (ravindra jadeja cricketer) પણ આજે ભાજપ માટે પ્રચાર કરશે. આ બંને મહાનુભાવો સવારે 9.30 વાગ્યે નર્મદામાં પીઠા ગ્રાઉન્ડ ખાતે અને બપોરે 12.30 વાગ્યે ભાવનગરમાં શાંતિનગરના કોમન પ્લોટમાં જાહેરસભા સંબોધશે.

અમદાવાદ ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપ એચીચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર કરી રહી છે. તેવામાં હવે આજે ભાજપના સ્ટાર પ્રચારકો (Campaign for Gujarat Election 2022) રાજ્યભરમાં સભા ગજવી પાર્ટી માટે વોટ માગશે. તો કયા પ્રચારક (BJP Star Campaigners Campaign for Gujarat) ક્યાં સભા સંબોધશે જોઈએ.

વડાપ્રધાનના કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે બીજા દિવસે બપોરે 12.15 વાગ્યે પાલીતાણામાં, બપોરે 2.45 વાગ્યે અંજારમાં રાધે રિસોર્ટની સામે, બપોરે 4.30 વાગ્યે જામનગરમાં અને સાંજે 6.30 વાગ્યે રાજકોટમાં સભા સંબોધશે.

કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાની કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાની (Smriti Irani Union Minister) પણ ગુજરાત પ્રચાર અભિયાનમાં જોડાયાં છે. તેઓ આજે બપોરે 1.30 વાગ્યે મહેસાણા જિલ્લામાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહૉલ ખાતે મહિલા મોરચા સંમેલનને સંબોધશે. ત્યારબાદ તેઓ સાંજે 6 વાગ્યે ગાંધીનગરમાં ઉવારસદ ગામની ભાગોળે અને રાત્રે 8 વાગ્યે અમદાવાદમાં GB શાહ કૉલેજની પાછળ પોપ્યુલર વ્હીલર ચાર રસ્તા ખાતે જાહેરસભા સંબોધશે.

કેન્દ્રિય ગૃહપ્રધાન કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah Home Minister) રાજ્યમાં 4 સભા ગજવશે. તેઓ સવારે 10 વાગ્યે મહેસાણામાં આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ ખાતે (Mehsana Arts and Science College) ખેરાલુ વિધાનસભા બેઠક માટે, બપોરે 12 વાગ્યે વડોદરામાં ભાટિયા ગ્રાઉન્ડ ખાતે સાવલી વિધાનસભા માટે, બપોરે 2 વાગ્યે અરવલ્લી જિલ્લામાં આર. જી. બારોટ બી. એડ કૉલેજમાં ભિલોડા વિધાનસભા માટે અને રાત્રે 8 વાગ્યે અમદાવાદમાં નવા વાડજના વ્યાસવાડી ચાર રસ્તા ખાતે નારણપુરા વિધાનસભા બેઠક માટે જાહેરસભા ગજવશે.

કેન્દ્રિય પ્રધાન પરષોત્તમ રૂપાલા કેન્દ્રિય પ્રધાન (Parshottam Rupala Union Minister) આજે કુલ 4 જાહેરસભા સંબોધશે. તેઓ સવારે 9 વાગ્યે મોરબી જિલ્લામાં મોરબી વિધાનસભા માટે, બપોરે 3.30 અને 5.15 વાગ્યે અમરેલી જિલ્લામાં અમરેલી વિધાનસભા માટે અને અમરેલી જિલ્લામાં રાત્રે 7.45 વાગ્યે લાઠી વિધાનસભા બેઠક માટે જાહેરસભા સંબોધશે.

મનોજ તિવારીનો પ્રચાર ભાજપના સાંસદ મનોજ તિવારી (BJP MP Manoj Tiwari) પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે મેદાને છે. ત્યારે આજે તેઓ સવારે 10.30 વાગ્યે સુરતમાં દિલીપસિંહ ફાર્મ ખાતે ઉત્તરપ્રદેશને સમુદાય સાથે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ બપોરે 4 વાગ્યે સુરતમાં ઘોડસંબા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પેજ સમિતિ વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત તેઓ સાંજે 5 વાગ્યે સુરતમાં અહુરા કોમ્પ્લેક્સ પાસે પેજ સમિતિ વિજય સંકલ્પ સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે. ઉપરાંત તેઓ સુરતમાં સરદાર નગર ખાતે સાંજે 6.30 વાગ્યે અને આનંદપાર્ક સોસાયટીમાં રાત્રે 8 વાગ્યે જાહેરસભા સંબોધશે.

મુખ્યપ્રધાનના કાર્યક્રમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel Road Show) આજે પ્રચાર માટે મહેસાણા જશે. તેઓ અહીં બેચરાજી વિધાનસભાના પ્રચાર માટે બપોરે 3 વાગ્યે ભવ્ય રોડ શૉ યોજશે. આ રોડ શૉનું પ્રસ્થાન શ્રી બહુચરાજી માતાજીના મંદિરથી થશે.

અન્ય પ્રચારકો ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા અને ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા (ravindra jadeja cricketer) પણ આજે ભાજપ માટે પ્રચાર કરશે. આ બંને મહાનુભાવો સવારે 9.30 વાગ્યે નર્મદામાં પીઠા ગ્રાઉન્ડ ખાતે અને બપોરે 12.30 વાગ્યે ભાવનગરમાં શાંતિનગરના કોમન પ્લોટમાં જાહેરસભા સંબોધશે.

Last Updated : Nov 28, 2022, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.