ETV Bharat / state

અમદાવાદ: ગુલબાઈ ટેકરાના લોકો પતરાં અને બેરિઅર તોડીને બહાર આવ્યા - In Ahmedabad Gulbai tekra people broke the barricade

ગુલબાઇ ટેકરામાં કોરોનાના કેસ વધુ આવતા આ સમગ્ર વિસ્તારને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે. જોકે, અહીંના લોકોએ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલા બોર્ડ, બેરિઅર તેમજ પતરાઓ તોડી કાઢ્યા હતા. લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. તેમજ માગ કરી હતી કે, તેમને જમવાનું અને કરિયાણું પૂરું પાડવામાં આવે.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Apr 17, 2020, 11:44 AM IST

અમદાવાદ: ગુલબાઇ ટેકરા ખાતે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકાએક તોડફોડ કરવા લાગ્યું હતું. રસ્તા ઉપર લગાવવામાં આવેલા બેરિઅર તેમજ પતરાઓ તોડીને રોડ ઉપર ઉતરી આવ્યા હતા. આ બાબતની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

બીજી બાજુ તેમને કરિયાણું અને જમવાનું પૂરું પાડવાની માગને લઈને તંત્ર સાથે વાટાઘાટ કરવામાં આવી હતી. પોલીસે તમામ લોકોને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો અને તમામને ઘરમાં પાછા જતા રહેવા વિનંતી કરી હતી. પોલીસ અને તંત્રની હૈયાધારણાથી લોકો પરત ફર્યા હતા.

અમદાવાદ: ગુલબાઇ ટેકરા ખાતે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકાએક તોડફોડ કરવા લાગ્યું હતું. રસ્તા ઉપર લગાવવામાં આવેલા બેરિઅર તેમજ પતરાઓ તોડીને રોડ ઉપર ઉતરી આવ્યા હતા. આ બાબતની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

બીજી બાજુ તેમને કરિયાણું અને જમવાનું પૂરું પાડવાની માગને લઈને તંત્ર સાથે વાટાઘાટ કરવામાં આવી હતી. પોલીસે તમામ લોકોને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો અને તમામને ઘરમાં પાછા જતા રહેવા વિનંતી કરી હતી. પોલીસ અને તંત્રની હૈયાધારણાથી લોકો પરત ફર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.