ETV Bharat / state

અમદાવાદમાં કરફ્યૂની અસર, માર્કેટ બન્યા ખાલીખમ

author img

By

Published : Mar 21, 2020, 12:37 PM IST

કોરોના વાઇરસને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે લોકોને સ્વયંભુ કરફ્યૂ રાખવાની અપીલ કરવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં લોકોએ અપીલને સમર્થન આપી અત્યારથી જ સ્વયંભુ બંધ રાખ્યું છે.

ahmedabad
ahmedabad

અમદાવાદ: શહેરમાં આવેલe લાલદારવાજા પાસેનું બજાર જે હંમેશા લોકોથી ભરેલું રહે છે, તે બજાર શનિવારે ખાલીખમ જોવા મળ્યું હતું. લોકોની અવર-જવર બજારમાં નહિવત જોવા મળી હતી. આ ઉપરાંત પાથરણા તથા લારીગલ્લા વાળા પણ જોવા મળ્યા નહોતા. કોર્પોરેશનના કર્મચારીઓ પણ બજારમાં ખડેપગે હતા.

અમદાવાદમાં કરફ્યુની અસર, માર્કેટ બન્યા ખાલીખ

આવતીકાલ એટલે કે, 22 માર્ચે સવારે 7થી 9 વાગ્યા સુધી લોકોને કરફ્યૂ રાખવા વડાપ્રધાન દ્વારા અપીલ કરવામાં આવી છે, ત્યારે કેટલાક વેપારી એસોસિએશન દ્વારા આ બંધને સમર્થન આપી અત્યારથી જ ફરફ્યૂ રાખ્યું છે અને અત્યારના સંજોગો જોતા આવતીકાલે પણ બજારો બંધ રહે તેવી શકયતા છે.

અમદાવાદ: શહેરમાં આવેલe લાલદારવાજા પાસેનું બજાર જે હંમેશા લોકોથી ભરેલું રહે છે, તે બજાર શનિવારે ખાલીખમ જોવા મળ્યું હતું. લોકોની અવર-જવર બજારમાં નહિવત જોવા મળી હતી. આ ઉપરાંત પાથરણા તથા લારીગલ્લા વાળા પણ જોવા મળ્યા નહોતા. કોર્પોરેશનના કર્મચારીઓ પણ બજારમાં ખડેપગે હતા.

અમદાવાદમાં કરફ્યુની અસર, માર્કેટ બન્યા ખાલીખ

આવતીકાલ એટલે કે, 22 માર્ચે સવારે 7થી 9 વાગ્યા સુધી લોકોને કરફ્યૂ રાખવા વડાપ્રધાન દ્વારા અપીલ કરવામાં આવી છે, ત્યારે કેટલાક વેપારી એસોસિએશન દ્વારા આ બંધને સમર્થન આપી અત્યારથી જ ફરફ્યૂ રાખ્યું છે અને અત્યારના સંજોગો જોતા આવતીકાલે પણ બજારો બંધ રહે તેવી શકયતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.