ETV Bharat / state

ગેરકાયદેસર રીતે ઘેટાં-બકરા વેચનારા આશા ફાઉન્ડેશનના મેજેનરના હાઈકોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા

author img

By

Published : Feb 20, 2020, 6:33 PM IST

હાથીજણ ખાતે આવેલા આશા ફાઉન્ડેશન જીવદયા સંસ્થાને પોલીસે સાચવવા આપેલા 1380 જેટલા ઘેટાં-બકરાઓને રૂપિયા 38 લાખમાં ગેરકાયદેસર રીતે વેંચી દેવાના મામલે uહાઈકોર્ટે આરોપી અમિત ભાવસારના આગોતરા જામીન મંજૂર કર્યા હોવાની વિગતો સામે આવી છે.

High Court granted advance bail for Asha Foundation's Majner
High Court granted advance bail for Asha Foundation's Majner

હાઈકોર્ટે જીવદયા સંસ્થા આશા ફાઉન્ડેશનના મેનેજર અમિત ભાવસારના બંને પોલીસ સ્ટેશન-રામોલ અને નરોડા ખાતે નોંધાયેલી ફરિયાદમાં આગોતરા જામીન મંજૂર કર્યા છે. આ કેસના મુખ્ય આરોપી અને આશા ફાઉન્ડેશનના પ્રમુખ હર્મેશ ભટ્ટના શેસન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા હતા. પશુ માલિકો દ્વારા તેની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

પોલીસે સાચવવા આપેલા 1380 ઘેટાં-બકરા વેચનાર આશા ફાઉન્ડેશનના મેજેનરના હાઈકોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા

આ કેસમાં અગાઉ સેસન્સ કોર્ટે આશા ફાઉન્ડેશનના મેનેજર અમિત ભાવસારના આગોતરા જામીન ફગાવ્યા હતા. આશા ફાઉન્ડેશનના સભ્ય હર્મેશ ભટ્ટ પર પોલીસે સાચવવા આપેલા 1380 જેટલા ઘેટાં - બકરા કે જેની કિંમત 32 લાખ રૂપિયા જેટલી થાય છે તેને ગેરકાયદેસર રીતે 38 લાખ રૂપિયામાં વેંચી મારવાનો કૌભાંડ સામે આવ્યો છે.

અમદાવાદ જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી દ્વારા 4થી ડિસેમ્બરના રોજ રામોલ પોલીસ સ્ટેશનની હદમાંથી 218 જેટલા ઘેટા બકરા કબજે કરી પોલીસને સોંપ્યા હતા. બાતમીના આધારે ઘેટા બકરા ને લઇ જતી ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં આશા ફાઉન્ડેશનના સભ્ય અને સંચાલક હર્મેશ ભટ્ટ, રાણીપ બકરા મંડીના શહીદ અહેમદ, હનીફ થરુણ સહિતના લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

પોલીસે અલગ-અલગ વિસ્તારમાં બાતમીના આધારે છ ડિસેમ્બરના રોજ નરોડામાં દરોડા પાડી 960 ઘેટાં-બકરાને લઈ જતી ચાર ટ્રક ઝડપી પાડી હતી. ૮ મી ડિસેમ્બરના રોજ ઓઢવમાંથી 182 ઘેટા-બકરા પોલીસે કબજે કર્યા હતા. કબજે કરાયેલા તમામ ઘેટાં-બકરાઓને હાથીજણ ખાતે આવેલી જીવદયા સંસ્થા આશા ફાઉન્ડેશન ને સોંપવામાં આવ્યા હતા.

હાઈકોર્ટે જીવદયા સંસ્થા આશા ફાઉન્ડેશનના મેનેજર અમિત ભાવસારના બંને પોલીસ સ્ટેશન-રામોલ અને નરોડા ખાતે નોંધાયેલી ફરિયાદમાં આગોતરા જામીન મંજૂર કર્યા છે. આ કેસના મુખ્ય આરોપી અને આશા ફાઉન્ડેશનના પ્રમુખ હર્મેશ ભટ્ટના શેસન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા હતા. પશુ માલિકો દ્વારા તેની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

પોલીસે સાચવવા આપેલા 1380 ઘેટાં-બકરા વેચનાર આશા ફાઉન્ડેશનના મેજેનરના હાઈકોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા

આ કેસમાં અગાઉ સેસન્સ કોર્ટે આશા ફાઉન્ડેશનના મેનેજર અમિત ભાવસારના આગોતરા જામીન ફગાવ્યા હતા. આશા ફાઉન્ડેશનના સભ્ય હર્મેશ ભટ્ટ પર પોલીસે સાચવવા આપેલા 1380 જેટલા ઘેટાં - બકરા કે જેની કિંમત 32 લાખ રૂપિયા જેટલી થાય છે તેને ગેરકાયદેસર રીતે 38 લાખ રૂપિયામાં વેંચી મારવાનો કૌભાંડ સામે આવ્યો છે.

અમદાવાદ જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી દ્વારા 4થી ડિસેમ્બરના રોજ રામોલ પોલીસ સ્ટેશનની હદમાંથી 218 જેટલા ઘેટા બકરા કબજે કરી પોલીસને સોંપ્યા હતા. બાતમીના આધારે ઘેટા બકરા ને લઇ જતી ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં આશા ફાઉન્ડેશનના સભ્ય અને સંચાલક હર્મેશ ભટ્ટ, રાણીપ બકરા મંડીના શહીદ અહેમદ, હનીફ થરુણ સહિતના લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

પોલીસે અલગ-અલગ વિસ્તારમાં બાતમીના આધારે છ ડિસેમ્બરના રોજ નરોડામાં દરોડા પાડી 960 ઘેટાં-બકરાને લઈ જતી ચાર ટ્રક ઝડપી પાડી હતી. ૮ મી ડિસેમ્બરના રોજ ઓઢવમાંથી 182 ઘેટા-બકરા પોલીસે કબજે કર્યા હતા. કબજે કરાયેલા તમામ ઘેટાં-બકરાઓને હાથીજણ ખાતે આવેલી જીવદયા સંસ્થા આશા ફાઉન્ડેશન ને સોંપવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.