ETV Bharat / state

સૌરાષ્ટ્રમાં ખેડૂતોને સિંચાઇ માટે નર્મદાના નીર આપવાનો સરકારનો નિર્ણય

author img

By

Published : Mar 20, 2021, 8:06 AM IST

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાના પાણી માટે સૌની યોજનાની લિંક કેનાલ દ્વારા નર્મદાનું પાણી અપાશે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
  • સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને ‘સૌની’ યોજનાનો લાભ
  • લિંક કેનાલો દ્વારા નર્મદાના નીર અપાશે
  • કુલ 4,000 મિલિયન ઘનફુટ નર્મદાના નીર છોડવાનો નિર્ણય

અમદાવાદ : નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં અત્યારે પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાણીની માંગણી કરાતાં રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.

આ પણ વાંચો : બનાસકાંઠામાં નર્મદાના પાણી માટે શંકર ચૌધરીએ સરકારને રજૂઆત કરી

કુલ 4,000 મિલિયન ઘનફુટ નર્મદાના નીર છોડવાનો નિર્ણય

યોજનાની ચારેય લિંક મારફતે તેમજ ગોમા-સુખભાદર પાઇપલાઇન મારફતે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, મોરબી, અમરેલી, જૂનાગઢ અને જામનગર જિલ્લાના જળાશયો/ ચેકડેમો/ તળાવો ભરવા માટે લિંંક-1 માટે મચ્છું-2 જળાશય ખાતે 375 મિલિયન ઘનફુટ, લિંક-2 માટે લિંબડી ભોગાવો-2 (વડોદ) જળાશય ખાતે 1,875 મિલિયન ઘનફુટ, લિંક-3 માટે ધોળીધજા ડેમ ખાતે 450 મિલિયન ઘનફુટ, લિંંક-4 માટે લીંબડી ભોગાવો-2 (વડોદ) જળાશય ખાતે 1,050 મિલિયન ઘનફુટ અને ગોમા-સુખભાદર પાઇપલાઇન માટે 250 મિલિયન ઘનફુટ મળી કુલ-4,000 મિલિયન ઘનફુટ નર્મદાના નીર પૂરક સિંચાઇ અને પીવાના પાણી માટે છોડવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં નર્મદાના પાણીથી તળાવો ભરાતા ખેડૂતો ખુશખુશાલ

ઉનાળુ પાકો માટે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે
ઉનાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં પાણીની ખેંચ વર્તાતી હોય છે. ત્યારે સરકારના આ નિર્ણયથી ઉનાળુ પાકો માટે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે. તેમજ લોકોને પીવાનું પાણી પણ મળી રહેશે.

  • સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને ‘સૌની’ યોજનાનો લાભ
  • લિંક કેનાલો દ્વારા નર્મદાના નીર અપાશે
  • કુલ 4,000 મિલિયન ઘનફુટ નર્મદાના નીર છોડવાનો નિર્ણય

અમદાવાદ : નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં અત્યારે પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાણીની માંગણી કરાતાં રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.

આ પણ વાંચો : બનાસકાંઠામાં નર્મદાના પાણી માટે શંકર ચૌધરીએ સરકારને રજૂઆત કરી

કુલ 4,000 મિલિયન ઘનફુટ નર્મદાના નીર છોડવાનો નિર્ણય

યોજનાની ચારેય લિંક મારફતે તેમજ ગોમા-સુખભાદર પાઇપલાઇન મારફતે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, મોરબી, અમરેલી, જૂનાગઢ અને જામનગર જિલ્લાના જળાશયો/ ચેકડેમો/ તળાવો ભરવા માટે લિંંક-1 માટે મચ્છું-2 જળાશય ખાતે 375 મિલિયન ઘનફુટ, લિંક-2 માટે લિંબડી ભોગાવો-2 (વડોદ) જળાશય ખાતે 1,875 મિલિયન ઘનફુટ, લિંક-3 માટે ધોળીધજા ડેમ ખાતે 450 મિલિયન ઘનફુટ, લિંંક-4 માટે લીંબડી ભોગાવો-2 (વડોદ) જળાશય ખાતે 1,050 મિલિયન ઘનફુટ અને ગોમા-સુખભાદર પાઇપલાઇન માટે 250 મિલિયન ઘનફુટ મળી કુલ-4,000 મિલિયન ઘનફુટ નર્મદાના નીર પૂરક સિંચાઇ અને પીવાના પાણી માટે છોડવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં નર્મદાના પાણીથી તળાવો ભરાતા ખેડૂતો ખુશખુશાલ

ઉનાળુ પાકો માટે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે
ઉનાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં પાણીની ખેંચ વર્તાતી હોય છે. ત્યારે સરકારના આ નિર્ણયથી ઉનાળુ પાકો માટે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે. તેમજ લોકોને પીવાનું પાણી પણ મળી રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.