ETV Bharat / state

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની સ્થાપના

author img

By

Published : Jul 12, 2020, 11:33 AM IST

ભારતીય રેલવે દ્વારા માલભાડા આવકને વર્ષ 2024 સુધી બેગણું કરવાના લક્ષ્યને અનુલક્ષીને અમદાવાદ ડિવિઝન પર પરિચાલન, વાણીજ્ય, વિત્ત, એકાઉન્ટ અને મિકેનિકલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે મંડળ સ્તર પર બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની સ્થાપના કરવામાં આવી છે. જેનાથી પરંપરાગત કોમોડિટીની સાથે નવી કોમોડિટીને પણ રેલવેની આવક વધારવામાં સામેલ કરવામાં આવશે.

railway
પશ્ચિમ રેલવે

અમદાવાદ: મંડળ રેલવે પ્રબંધક દિપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે, પશ્ચિમ રેલવે અને ભારતીય રેલવેના સૌથી વધુ આવક આપતા મંડળમાં અમદાવાદ મંડળ સામેલ છે. જેમાં કંડલા, મુન્દ્રા અને ટુના પોર્ટ પણ સામેલ છે. જે મંડળની આવક વૃદ્ધિમાં અગ્રેસરની ભૂમિકામાં છે.

આ ઉપરાંત મંડળ પર ખાનગી ફ્રેટ ટર્મિનલ અને ગુડ્સ શેડ પણ છે. જ્યાંથી ઓટોમોબાઈલ, ખાતર, ખાદ્ય તેલ, કોલસા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, વેટોનાઇટ, દૂધ અને દૂધના ઉત્પાદનો લોડ કરવામાં આવી રહ્યાં છે, ત્યાંથી મંડળ સ્તર પર સ્થાપિત બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટમાં વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધકના કોર્ડીંનેશનમાં વરિષ્ઠ મંડળ વાણિજય પ્રબંધક, વરિષ્ઠ મંડળ વિત્ત પ્રબંધક, વરિષ્ઠ મંડળ યાંત્રિક એન્જિનિયર, વરિષ્ઠ મંડળ એન્જિનિયર(સમન્વય) સહિત પાંચ સભ્યોની ટીમ હશે.

જે રેલવેની આવકમાં ઉત્તરોત્તર વૃદ્ધિ માટે ચેમ્બર ઓફ કોમર્સ, વ્યવસાયિક સંગઠનો, વ્યાપારી સંગઠનો, ઉધોગપતિઓની સાથે સતત અને જીવંત સંપર્ક બનાવી રાખશે અને માલ લોડિંગ કરવામાં હર સંભવ સહાયતા ઉપલબ્ધ કરાવશે.

આ સમિતિ નવા ટ્રાફિક પ્રપોઝલને ઝડપથી કર્યાન્વિત કરશે. જો કોઈ ગ્રાહક કોઈ પણ ઉત્પાદનને અમદાવાદ મંડળથી પરિવહન કરવા માંગે છે, તો તેઓ વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધકને 079-22204008 પર ટેલિફોન તથા pksingh.irts@gov.in ઈમેલ એડ્રેસ પર સંપર્ક કરીને સહાયતા મેળવી શકે છે.

અમદાવાદ: મંડળ રેલવે પ્રબંધક દિપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે, પશ્ચિમ રેલવે અને ભારતીય રેલવેના સૌથી વધુ આવક આપતા મંડળમાં અમદાવાદ મંડળ સામેલ છે. જેમાં કંડલા, મુન્દ્રા અને ટુના પોર્ટ પણ સામેલ છે. જે મંડળની આવક વૃદ્ધિમાં અગ્રેસરની ભૂમિકામાં છે.

આ ઉપરાંત મંડળ પર ખાનગી ફ્રેટ ટર્મિનલ અને ગુડ્સ શેડ પણ છે. જ્યાંથી ઓટોમોબાઈલ, ખાતર, ખાદ્ય તેલ, કોલસા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, વેટોનાઇટ, દૂધ અને દૂધના ઉત્પાદનો લોડ કરવામાં આવી રહ્યાં છે, ત્યાંથી મંડળ સ્તર પર સ્થાપિત બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટમાં વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધકના કોર્ડીંનેશનમાં વરિષ્ઠ મંડળ વાણિજય પ્રબંધક, વરિષ્ઠ મંડળ વિત્ત પ્રબંધક, વરિષ્ઠ મંડળ યાંત્રિક એન્જિનિયર, વરિષ્ઠ મંડળ એન્જિનિયર(સમન્વય) સહિત પાંચ સભ્યોની ટીમ હશે.

જે રેલવેની આવકમાં ઉત્તરોત્તર વૃદ્ધિ માટે ચેમ્બર ઓફ કોમર્સ, વ્યવસાયિક સંગઠનો, વ્યાપારી સંગઠનો, ઉધોગપતિઓની સાથે સતત અને જીવંત સંપર્ક બનાવી રાખશે અને માલ લોડિંગ કરવામાં હર સંભવ સહાયતા ઉપલબ્ધ કરાવશે.

આ સમિતિ નવા ટ્રાફિક પ્રપોઝલને ઝડપથી કર્યાન્વિત કરશે. જો કોઈ ગ્રાહક કોઈ પણ ઉત્પાદનને અમદાવાદ મંડળથી પરિવહન કરવા માંગે છે, તો તેઓ વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધકને 079-22204008 પર ટેલિફોન તથા pksingh.irts@gov.in ઈમેલ એડ્રેસ પર સંપર્ક કરીને સહાયતા મેળવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.