ETV Bharat / state

કોરાનાના ઈન્જેક્શનના કાળાબજારનું નેટવર્ક અમદાવાદ, સુરતથી ઝડપાયું, Remdisivir ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો

author img

By

Published : Jul 24, 2020, 10:18 PM IST

કોરોના મહામારીમાંથી સંક્રમિત થયેલા અતિ ગંભીર દર્દીઓ માટે આશિર્વાદરૂપ ઇન્જેક્શનોની થતી કાળાબજારી ઉપર ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. Remdisivir અને Tocilizumab Injectionના કાળાબજારનું નેટવર્ક બહાર લાવવા તંત્ર દ્વારા અમદાવાદના એક મેડીકલ રીપ્રેઝન્ટેટીવને બોગસ ઓર્ડર આપી એક મોટા કાળાબજારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

કોરાનાના ઈન્જેક્શનના કાળાબજારનું નેટવર્ક
કોરાનાના ઈન્જેક્શનના કાળાબજારનું નેટવર્ક

અમદાવાદ : ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યુ કે, અમદાવાદનો મેડીકલ રીપ્રેઝન્ટેટીવ સુરતના એક ઇસમ સાથે મળીને સમગ્ર નેટવર્ક ચલાવતો હતો. જેના વિગતોના આધારે સુરત ખોરાક અને ઔષધ નિયમનતંત્રની ટીમ દ્વારા સુરત ખાતેથી રૂપિયા 4,65000ની કિંમતના Remdisivir અને Tocilizumab ઇન્જેક્શનોનો જથ્થો પકડી પાડી સમગ્ર ગુનાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રને 21 જુલાઇના રોજ બાતમી મળી હતી કે, અમદાવાદના ઈન્દ્રપ્રસ્થ ટાવર, વસ્ત્રાપુર ખાતે રહેતા સંદિપ માથુકીયા નામનો ઈસમ કે જે Abbott India Ltd ખાતે મેડિકલ રીપ્રેઝન્ટેટીવ તરીકે ફરજ બજાવે છે. તે સુરત ખાતે રહેતા યશ માથુકીયા નામના અન્ય ઈસમ મારફત Remdisivir Injectionના કાળાબજાર કરી નિયત કિંમત કરતા ત્રણથી ચાર ઘણા વધારે ભાવ લઈ આ મહત્વના ઇન્જેક્શનોનો ગેરકાયદે વેપલો કરે છે.

જેના આધારે સુરત ખાતેના મદદનીશ કમિશ્નર આર. એમ. પટેલ અને તેમની ટીમે આરોપીઓને પકડી આ સમગ્ર નેટવર્ક બહાર લાવવા બોગસ ઓર્ડર મુકી દવા મંગાવી હતી. યશ રાજેશભાઈ માથુકીયા નામની વ્યક્તિ પ્રતિ વાયલ રૂપિયા 18000 લેખે કુલ 02 નંગ વાયલનું Remdisivir Injectionના કુલ રૂપિયા 36000 વસુલી વેચાણ કરતા તે સમયે આરોપી યશ રાજેશભાઈ માથુકીયાને નિરુ ફાર્મ, કતાર ગામ રોડ, સુરત ખાતે ઝડપી લીધો હતો.

પકડાયેલા આ આરોપીના રહેણાંક સ્થળ પર જઇને તપાસ કરતા ત્યાંથી જુદીજુદી બ્રાન્ડના Remdisivir-100 મી.ગ્રા.ના કુલ 15 નંગ ઈન્જેક્શનનો જથ્થો તથા Actemra-400 મી.ગ્રા.(Tocilizumab Injection)ના કુલ 03 નંગનો જથ્થો મળી આવ્યો છે. જેમાંથી Remdisivir Injectionના નિયમિત નમુનાઓ લઈ બાકીનો જથ્થો વધુ કાર્યવાહી અર્થે જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આ તમામ દવાઓના જથ્થા અંગે ખરીદ બિલ આરોપી પાસે અધિકારીઓએ માગતા તેણે રજૂ કર્યા ન હતા.

સુરતથી પકડાયેલા Remdisivir Injectionના લેબલની ચકાસણી કરતા આ દવાઓનો વ્યાપ બાંગ્લાદેશ ખાતેથી ઉત્પાદિત થયા હોવાનું જણાવા મળ્‌યું છે. આરોપીને ત્યાંથી કુલ રૂપિયા 4,65,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી દ્વારા કેટલા સમયથી આ પ્રકારે વેપલો કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધીમાં કેટલી ઊંચી કિંમતથી કેટલા દર્દીઓને માલ વેચવામાં આવ્યો છે તે અંગેની ઝીણવટભરી તપાસ સાથે આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તો બીજી તરફ ગાંધીનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને માહીતી મળેલ કે આ ગોરખ ધંધાનો મુખ્ય સુત્રધાર સંદીપ માથુકીયા અમદાવાદથી સમગ્ર નેટવર્ક ચલાવે છે. જેને આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર તેમજ અમદાવાદ વિભાગ-2ના અધિકારીઓએ નિલકંઠ એલિક્ઝિર એલએલપી, સિધ્ધીવિનાયક ટાવર, મકરબા, વેજલપુર, અમદાવાદ રેડ કરી ત્યાંથી રેમડેસીવીર કુલ 99 જેટલા ઇન્જેક્શનનો જથ્થો ઝડપી પાડ્યો હતો.


સંદીપ માથુકીયા મે.નિલકંઠ એલિક્ઝિર એલએલપીના અન્ય ભાગીદારો દર્શન એસ. સોની તથા પાર્થ બાબુલાલ ગોયાણી સાથે મળીને સમગ્ર કૌભાંડ આચરતા હોવાનો પર્દાફાશ થયો છે.


તમામ ઇસમોની પુછપરછમાં તેઓએ કબુલાત કરી છે કે, આ રેમડેસીવીર ઇન્જેક્શન તેઓ બાંગ્લાદેશના શબ્બીર અહેમદ નામની વ્યક્તિ પાસેથી ગેરકાયદેસર અગરતલા સુધી મંગાવી તેની ડીલીવરી લેવા સંદીપ માથુકીયા અગરતલા જઈને અમદાવાદ ખાતે લાવતો હતો. જે બાદ અમદાવાદથી પોતાના નેટવર્ક દ્વારા અન્ય સાગરીતો પાર્થ ગોપાણી, દર્શન સોની સાથે મળી રાજ્યભરમાં જુદી-જુદી જગ્યાએ મનફાવે તે રીતે વધુ ભાવ લઈ દર્દીઓને દવાઓનું વેચાણ કરતા હતા.

આ ઇસમોના તમામ વ્યવહારો રોકડથી થયા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓને ત્યાંથી કુલ 10,80,000 નો મુદ્દામાલ મળી આવતા જરૂરી નમુનાઓ લઈ બાકીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

પ્રાથમીક રીતે એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ હોય વગર બીલે કે ઇમ્પોર્ટના પરવાના વગર મનફાવે તે રીતે જરૂરીયાતમંદ પાસેથી ભાવ વસુલ કરી સને 1940નો ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારો અને તે અન્વયેના નિયમો, આવશ્યક ચીજવસ્તુઓનો ધારો-૧૯૫૫ અંતર્ગત ઔષધ ભાવ નિયમન આદેશ-2013નો ભંગ કર્યો છે.


વગર પરવાને દવાઓનો સંગ્રહ, (કેશ/ક્રેડીટ મેમો) રજૂ ન કરી સને 1940ના ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારો અને તે અન્વયેના નિયમો તથા આવશ્યક ચીજવસ્તુઓનો ધારો સને 1955 અને ઔષધ ભાવ નિયમન આદેશ 2013ની જોગવાઈઓના ભંગ બદલ આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક કાર્યવાહીને પગલે કાળાબજારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. આવા તત્વોનું નેટવર્ક તોડી તમામને પકડી પાડી જેલ ભેગા કરવા તથા તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તત્પર છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડો. એચ.જી.કોશિયાએ જણાવ્યું છે.

અમદાવાદ : ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યુ કે, અમદાવાદનો મેડીકલ રીપ્રેઝન્ટેટીવ સુરતના એક ઇસમ સાથે મળીને સમગ્ર નેટવર્ક ચલાવતો હતો. જેના વિગતોના આધારે સુરત ખોરાક અને ઔષધ નિયમનતંત્રની ટીમ દ્વારા સુરત ખાતેથી રૂપિયા 4,65000ની કિંમતના Remdisivir અને Tocilizumab ઇન્જેક્શનોનો જથ્થો પકડી પાડી સમગ્ર ગુનાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રને 21 જુલાઇના રોજ બાતમી મળી હતી કે, અમદાવાદના ઈન્દ્રપ્રસ્થ ટાવર, વસ્ત્રાપુર ખાતે રહેતા સંદિપ માથુકીયા નામનો ઈસમ કે જે Abbott India Ltd ખાતે મેડિકલ રીપ્રેઝન્ટેટીવ તરીકે ફરજ બજાવે છે. તે સુરત ખાતે રહેતા યશ માથુકીયા નામના અન્ય ઈસમ મારફત Remdisivir Injectionના કાળાબજાર કરી નિયત કિંમત કરતા ત્રણથી ચાર ઘણા વધારે ભાવ લઈ આ મહત્વના ઇન્જેક્શનોનો ગેરકાયદે વેપલો કરે છે.

જેના આધારે સુરત ખાતેના મદદનીશ કમિશ્નર આર. એમ. પટેલ અને તેમની ટીમે આરોપીઓને પકડી આ સમગ્ર નેટવર્ક બહાર લાવવા બોગસ ઓર્ડર મુકી દવા મંગાવી હતી. યશ રાજેશભાઈ માથુકીયા નામની વ્યક્તિ પ્રતિ વાયલ રૂપિયા 18000 લેખે કુલ 02 નંગ વાયલનું Remdisivir Injectionના કુલ રૂપિયા 36000 વસુલી વેચાણ કરતા તે સમયે આરોપી યશ રાજેશભાઈ માથુકીયાને નિરુ ફાર્મ, કતાર ગામ રોડ, સુરત ખાતે ઝડપી લીધો હતો.

પકડાયેલા આ આરોપીના રહેણાંક સ્થળ પર જઇને તપાસ કરતા ત્યાંથી જુદીજુદી બ્રાન્ડના Remdisivir-100 મી.ગ્રા.ના કુલ 15 નંગ ઈન્જેક્શનનો જથ્થો તથા Actemra-400 મી.ગ્રા.(Tocilizumab Injection)ના કુલ 03 નંગનો જથ્થો મળી આવ્યો છે. જેમાંથી Remdisivir Injectionના નિયમિત નમુનાઓ લઈ બાકીનો જથ્થો વધુ કાર્યવાહી અર્થે જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આ તમામ દવાઓના જથ્થા અંગે ખરીદ બિલ આરોપી પાસે અધિકારીઓએ માગતા તેણે રજૂ કર્યા ન હતા.

સુરતથી પકડાયેલા Remdisivir Injectionના લેબલની ચકાસણી કરતા આ દવાઓનો વ્યાપ બાંગ્લાદેશ ખાતેથી ઉત્પાદિત થયા હોવાનું જણાવા મળ્‌યું છે. આરોપીને ત્યાંથી કુલ રૂપિયા 4,65,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી દ્વારા કેટલા સમયથી આ પ્રકારે વેપલો કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધીમાં કેટલી ઊંચી કિંમતથી કેટલા દર્દીઓને માલ વેચવામાં આવ્યો છે તે અંગેની ઝીણવટભરી તપાસ સાથે આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તો બીજી તરફ ગાંધીનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને માહીતી મળેલ કે આ ગોરખ ધંધાનો મુખ્ય સુત્રધાર સંદીપ માથુકીયા અમદાવાદથી સમગ્ર નેટવર્ક ચલાવે છે. જેને આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર તેમજ અમદાવાદ વિભાગ-2ના અધિકારીઓએ નિલકંઠ એલિક્ઝિર એલએલપી, સિધ્ધીવિનાયક ટાવર, મકરબા, વેજલપુર, અમદાવાદ રેડ કરી ત્યાંથી રેમડેસીવીર કુલ 99 જેટલા ઇન્જેક્શનનો જથ્થો ઝડપી પાડ્યો હતો.


સંદીપ માથુકીયા મે.નિલકંઠ એલિક્ઝિર એલએલપીના અન્ય ભાગીદારો દર્શન એસ. સોની તથા પાર્થ બાબુલાલ ગોયાણી સાથે મળીને સમગ્ર કૌભાંડ આચરતા હોવાનો પર્દાફાશ થયો છે.


તમામ ઇસમોની પુછપરછમાં તેઓએ કબુલાત કરી છે કે, આ રેમડેસીવીર ઇન્જેક્શન તેઓ બાંગ્લાદેશના શબ્બીર અહેમદ નામની વ્યક્તિ પાસેથી ગેરકાયદેસર અગરતલા સુધી મંગાવી તેની ડીલીવરી લેવા સંદીપ માથુકીયા અગરતલા જઈને અમદાવાદ ખાતે લાવતો હતો. જે બાદ અમદાવાદથી પોતાના નેટવર્ક દ્વારા અન્ય સાગરીતો પાર્થ ગોપાણી, દર્શન સોની સાથે મળી રાજ્યભરમાં જુદી-જુદી જગ્યાએ મનફાવે તે રીતે વધુ ભાવ લઈ દર્દીઓને દવાઓનું વેચાણ કરતા હતા.

આ ઇસમોના તમામ વ્યવહારો રોકડથી થયા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓને ત્યાંથી કુલ 10,80,000 નો મુદ્દામાલ મળી આવતા જરૂરી નમુનાઓ લઈ બાકીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

પ્રાથમીક રીતે એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ હોય વગર બીલે કે ઇમ્પોર્ટના પરવાના વગર મનફાવે તે રીતે જરૂરીયાતમંદ પાસેથી ભાવ વસુલ કરી સને 1940નો ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારો અને તે અન્વયેના નિયમો, આવશ્યક ચીજવસ્તુઓનો ધારો-૧૯૫૫ અંતર્ગત ઔષધ ભાવ નિયમન આદેશ-2013નો ભંગ કર્યો છે.


વગર પરવાને દવાઓનો સંગ્રહ, (કેશ/ક્રેડીટ મેમો) રજૂ ન કરી સને 1940ના ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારો અને તે અન્વયેના નિયમો તથા આવશ્યક ચીજવસ્તુઓનો ધારો સને 1955 અને ઔષધ ભાવ નિયમન આદેશ 2013ની જોગવાઈઓના ભંગ બદલ આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક કાર્યવાહીને પગલે કાળાબજારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. આવા તત્વોનું નેટવર્ક તોડી તમામને પકડી પાડી જેલ ભેગા કરવા તથા તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તત્પર છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડો. એચ.જી.કોશિયાએ જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.