ETV Bharat / state

Congress Slams BJP Govt: રસીકરણ મુદ્દે ગુજરાતના નાગરિકો સાથે રમત રમવાનું બંધ કરો

author img

By

Published : Jul 14, 2021, 5:54 PM IST

રસીકરણને લઈ સરકાર પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા મનિષ દોશી (Congress Spokeperson Manish Doshi)એ આકરા પ્રહાર કર્યા હતા. જેમાં ગુજરાતના નાગરિકો સાથે રસીકરણ મુદ્દે રમત રમવાનું બંધ કરવા સૂચન પણ તેઓએ કર્યું હતું.

Manish Doshi
Manish Doshi
  • રસીકરણ કેન્દ્રો બંધ થતાં કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર
  • ગુજરાતમાં વારંવાર રસીકરણ કેન્દ્રો કરવામાં આવે છે બંધ
  • 50 ટકા કેન્દ્રો પર મર્યાદિત રસી રહેલી હોય છે: કોંગ્રેસ

અમદાવાદ: ગુજરાતમાં ફરી એક વખત રસીકરણ કેન્દ્ર બંધ કરવામાં આવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા મનિષ દોશી (Congress Spokeperson Manish Doshi)એ સરકાર પર આક્ષેપો કર્યા છે. રસીકરણ કાર્યક્રમો (Vaccination program)કરી રાજ્ય સરકાર ગુજરાતના નાગરિકો સાથે રમત રમી રહી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Rahul Gandhi: વેકસીનને લઈ સરકાર પર સાધ્યુ નિશાન

રસીકરણ કાર્યક્રમ અંગે ગુજરાત રાજ્ય સરકાર ગુજરાતના નાગરિકો સાથે રમત રમી રહી હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા દ્વારા કરવામાં આવ્યો છે ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ દોશી (Manish Doshi)એ જણાવ્યું છે કે, રસીકરણ રાષ્ટ્રીય કાર્યક્રમ કરવામાં આવ્યો છે. કોરોનાની પહેલી અને બીજી લહેર પાછળ રાજ્ય સરકારની સતત જાહેરાતો અને જાહેરાતો પાછળ કરવામાં આવેલો કરોડો રૂપિયાનો ખર્ચો અને ગુજરાતમાં રસીકરણ કાર્યક્રમ પાછળ જાહેરાત થાય અને અભિયાન ઉઠાવવામાં આવે મફત વેક્સિન આપવાની મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી. જે અંગે થઈ કરોડો રૂપિયાની જાહેરાતો અને મોટા મોટા બેનરો પણ ગુજરાત રાજ્યમાં લગાડવામાં આવ્યા હતા

ટકા કેન્દ્રો રસીકરણના બંધ જ હોય છે: કોંગ્રેસ

ગુજરાત સરકારની કથની અને કરણીમાં અંતર જોવા મળી રહ્યું છે વારંવાર રસીકરણ કેન્દ્ર બંધ કરવામાં આવી રહ્યા છે એટલે કે 50 ટકા જેટલા રસીકરણ કેન્દ્રો તો બંધ અવસ્થામાં જ રહેલા છે. રસીકરણ કેન્દ્ર પર જ્યારે સામાન્ય જનતાના લોકો પહોંચે ત્યારે તેમને મર્યાદિત ટોકન આપીને પાછળ ધકેલવામાં આવી રહ્યા છે પરંતુ આ બધાની પાછળ સરકારને સુપ્રીમ કોર્ટની લપડાક પડ્યા બાદ રસીકરણ પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું હતું. જેને લઇને સરકાર મફત રસી આપવાની વાત કરી રહી છે

Congress Slams BJP Govt: રસીકરણ મુદ્દે ગુજરાતના નાગરિકો સાથે રમત રમવાનું બંધ કરો

તો બીજી બાજુ પોરબંદર જિલ્લા કલેકટર covid 19 vaccine વધુમાં વધુ ઉપયોગ થઇ શકે તેમ જ વધુ ઝડપથી વેક્સિનેશન કામગીરી થઇ શકે તે માટે પ્રાઈવેટ હોસ્પિટલોની આ કામગીરીમાં જોઈન્ટ કરી તેઓ માટે 25 ટકા વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપવામાં આવેલી છે વેક્સિનની કામગીરીમાં વેગ લાવવા માટે મોટી ઔદ્યોગિક સંસ્થાઓ તેમજ ઇન્ડસ્ટ્રીઝ સાથે પ્રાઇવેટ હોસ્પિટલનું સંકલન કરાવી વર્કપ્લેસમાં વેક્સિનની કામગીરી ઝૂંબેશ સ્વરૂપે કરવાની સૂચના થઈ આવેલી છે. જે અંગે થઈને નોડલ ઓફિસરોની પણ પોરબંદરમાં નિમણૂક કરવામાં આવી છે. આ બાબત દેખાઈ આવે છે કે, સરકાર એક તરફ મફત રસીકરણની નામે વાર્તા કરી રહી છે.

આ પણ વાંચો: CM Rupani: કોંગ્રેસ અને આપ પર પ્રહાર, કહ્યુ અમે સહાય ઓછી અને જાહેરાત મોટી નથી કરતા

રસીકરણના નામે સરકાર કરી રહી છે વેપાર: કોંગ્રેસ

તો બીજી તરફ રસીકરણના નામે ભાજપ સરકાર વેપાર કરી રહી છે હવે જોવાની વાત એ રહી કે, જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળી કચેરી જેને પણ આ પરિપત્ર રજૂ કર્યો છે. એક તરફ સરકાર મફત રસીકરણ આપવાની વાત કરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)નો આભાર માનવાની વાત કરી રહી છે તો બીજી બાજુ ખાનગી કંપનીઓ APMC દૂધ મંડળી સહિત અલગ અલગ ઉદ્યોગગૃહોને રસીકરણ માટે સૂચના આપવામાં આવી રહી છે. ખાનગી દવાઓમાં વેક્સિનેશન કરાવવા માટે સહકારી સંસ્થાઓના સભાસદો ખાનગી વેપારીઓ ઉદ્યોગો યુનિટના કર્મચારીઓ સંચાલકો પર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં વિવિધ મહાનગરપાલિકા નગરપાલિકા અને રાજ્ય સરકારે 20 કરોડ રૂપિયાથી વધુ સ્વપ્રસિદ્ધિ જાહેરાતો, બેનરોમાં ભાજપ સરકારે પ્રજાના નાણાં ખર્ચી નાખ્યા નાખ્યા છે.

ગુજરાતમાં 4.5 કરોડ નાગરિકોને રસીકરણ માટે 9 કરોડની જરૂરીયાત

ગુજરાતમાં મહાનગરોમાં નગરપાલિકામાં વિસ્તારોમાં રસીકરણ કાર્યક્રમ ઓછો વેક્સિન (Vaccine)ના જથ્થાને કારણે ધીમો પડયો છે. ગુજરાતમાં વારંવાર રસીકરણ કેન્દ્રો (Vaccination Center) બંધ કરવામાં આવ્યા છે ગુજરાતમાં 4.5 કરોડ નાગરિકોને રસીકરણ માટે 9 કરોડની જરૂરીયાત રહેલી છે. રોજ માત્ર 7 લાખ ડોઝ પ્રમાણે ઓછામાં ઓછા દસ મહિના રસીકરણ પૂર્ણ કરવાનો સમય લાગી શકે છે તો તીજી લહેર માટે ખુદ નિષ્ણાંતો તબીબો વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી રહ્યા છે છતાં ગુજરાત સહકાર અહંકાર અને જાહેરાતોમાં વ્યસ્ત જોવા મળી રહી છે

  • રસીકરણ કેન્દ્રો બંધ થતાં કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર
  • ગુજરાતમાં વારંવાર રસીકરણ કેન્દ્રો કરવામાં આવે છે બંધ
  • 50 ટકા કેન્દ્રો પર મર્યાદિત રસી રહેલી હોય છે: કોંગ્રેસ

અમદાવાદ: ગુજરાતમાં ફરી એક વખત રસીકરણ કેન્દ્ર બંધ કરવામાં આવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા મનિષ દોશી (Congress Spokeperson Manish Doshi)એ સરકાર પર આક્ષેપો કર્યા છે. રસીકરણ કાર્યક્રમો (Vaccination program)કરી રાજ્ય સરકાર ગુજરાતના નાગરિકો સાથે રમત રમી રહી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Rahul Gandhi: વેકસીનને લઈ સરકાર પર સાધ્યુ નિશાન

રસીકરણ કાર્યક્રમ અંગે ગુજરાત રાજ્ય સરકાર ગુજરાતના નાગરિકો સાથે રમત રમી રહી હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા દ્વારા કરવામાં આવ્યો છે ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ દોશી (Manish Doshi)એ જણાવ્યું છે કે, રસીકરણ રાષ્ટ્રીય કાર્યક્રમ કરવામાં આવ્યો છે. કોરોનાની પહેલી અને બીજી લહેર પાછળ રાજ્ય સરકારની સતત જાહેરાતો અને જાહેરાતો પાછળ કરવામાં આવેલો કરોડો રૂપિયાનો ખર્ચો અને ગુજરાતમાં રસીકરણ કાર્યક્રમ પાછળ જાહેરાત થાય અને અભિયાન ઉઠાવવામાં આવે મફત વેક્સિન આપવાની મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી. જે અંગે થઈ કરોડો રૂપિયાની જાહેરાતો અને મોટા મોટા બેનરો પણ ગુજરાત રાજ્યમાં લગાડવામાં આવ્યા હતા

ટકા કેન્દ્રો રસીકરણના બંધ જ હોય છે: કોંગ્રેસ

ગુજરાત સરકારની કથની અને કરણીમાં અંતર જોવા મળી રહ્યું છે વારંવાર રસીકરણ કેન્દ્ર બંધ કરવામાં આવી રહ્યા છે એટલે કે 50 ટકા જેટલા રસીકરણ કેન્દ્રો તો બંધ અવસ્થામાં જ રહેલા છે. રસીકરણ કેન્દ્ર પર જ્યારે સામાન્ય જનતાના લોકો પહોંચે ત્યારે તેમને મર્યાદિત ટોકન આપીને પાછળ ધકેલવામાં આવી રહ્યા છે પરંતુ આ બધાની પાછળ સરકારને સુપ્રીમ કોર્ટની લપડાક પડ્યા બાદ રસીકરણ પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું હતું. જેને લઇને સરકાર મફત રસી આપવાની વાત કરી રહી છે

Congress Slams BJP Govt: રસીકરણ મુદ્દે ગુજરાતના નાગરિકો સાથે રમત રમવાનું બંધ કરો

તો બીજી બાજુ પોરબંદર જિલ્લા કલેકટર covid 19 vaccine વધુમાં વધુ ઉપયોગ થઇ શકે તેમ જ વધુ ઝડપથી વેક્સિનેશન કામગીરી થઇ શકે તે માટે પ્રાઈવેટ હોસ્પિટલોની આ કામગીરીમાં જોઈન્ટ કરી તેઓ માટે 25 ટકા વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપવામાં આવેલી છે વેક્સિનની કામગીરીમાં વેગ લાવવા માટે મોટી ઔદ્યોગિક સંસ્થાઓ તેમજ ઇન્ડસ્ટ્રીઝ સાથે પ્રાઇવેટ હોસ્પિટલનું સંકલન કરાવી વર્કપ્લેસમાં વેક્સિનની કામગીરી ઝૂંબેશ સ્વરૂપે કરવાની સૂચના થઈ આવેલી છે. જે અંગે થઈને નોડલ ઓફિસરોની પણ પોરબંદરમાં નિમણૂક કરવામાં આવી છે. આ બાબત દેખાઈ આવે છે કે, સરકાર એક તરફ મફત રસીકરણની નામે વાર્તા કરી રહી છે.

આ પણ વાંચો: CM Rupani: કોંગ્રેસ અને આપ પર પ્રહાર, કહ્યુ અમે સહાય ઓછી અને જાહેરાત મોટી નથી કરતા

રસીકરણના નામે સરકાર કરી રહી છે વેપાર: કોંગ્રેસ

તો બીજી તરફ રસીકરણના નામે ભાજપ સરકાર વેપાર કરી રહી છે હવે જોવાની વાત એ રહી કે, જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળી કચેરી જેને પણ આ પરિપત્ર રજૂ કર્યો છે. એક તરફ સરકાર મફત રસીકરણ આપવાની વાત કરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)નો આભાર માનવાની વાત કરી રહી છે તો બીજી બાજુ ખાનગી કંપનીઓ APMC દૂધ મંડળી સહિત અલગ અલગ ઉદ્યોગગૃહોને રસીકરણ માટે સૂચના આપવામાં આવી રહી છે. ખાનગી દવાઓમાં વેક્સિનેશન કરાવવા માટે સહકારી સંસ્થાઓના સભાસદો ખાનગી વેપારીઓ ઉદ્યોગો યુનિટના કર્મચારીઓ સંચાલકો પર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં વિવિધ મહાનગરપાલિકા નગરપાલિકા અને રાજ્ય સરકારે 20 કરોડ રૂપિયાથી વધુ સ્વપ્રસિદ્ધિ જાહેરાતો, બેનરોમાં ભાજપ સરકારે પ્રજાના નાણાં ખર્ચી નાખ્યા નાખ્યા છે.

ગુજરાતમાં 4.5 કરોડ નાગરિકોને રસીકરણ માટે 9 કરોડની જરૂરીયાત

ગુજરાતમાં મહાનગરોમાં નગરપાલિકામાં વિસ્તારોમાં રસીકરણ કાર્યક્રમ ઓછો વેક્સિન (Vaccine)ના જથ્થાને કારણે ધીમો પડયો છે. ગુજરાતમાં વારંવાર રસીકરણ કેન્દ્રો (Vaccination Center) બંધ કરવામાં આવ્યા છે ગુજરાતમાં 4.5 કરોડ નાગરિકોને રસીકરણ માટે 9 કરોડની જરૂરીયાત રહેલી છે. રોજ માત્ર 7 લાખ ડોઝ પ્રમાણે ઓછામાં ઓછા દસ મહિના રસીકરણ પૂર્ણ કરવાનો સમય લાગી શકે છે તો તીજી લહેર માટે ખુદ નિષ્ણાંતો તબીબો વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી રહ્યા છે છતાં ગુજરાત સહકાર અહંકાર અને જાહેરાતોમાં વ્યસ્ત જોવા મળી રહી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.