- આજે સિંધીઓનો તહેવાર ચેટીચંદ
- મુખ્ય પ્રધાનની જાહેરાત બાદ સિંધી સમાજે શોભાયાત્રા કરી કેન્સલ
- સોશિયલ ડિસ્ટન્સ સાથે મનાવ્યો તહેવાર
- ગત વર્ષે પણ શોભા યાત્રા રદ કરાઈ હતી
અમદાવાદઃ આજના દિવસે સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલનો જન્મ થયો હતો. આ દિવસે સિંધીઓ ભગવાનના દર્શન કરી શોભા યાત્રા કાઢતા હોય છે, પણ હાલની કોરોનાની પરિસ્થિતિ અને સોમવારે હાઇકોર્ટે વ્યક્ત કરેલી ચિંતાને જોઈ સમાજના આગેવાનોએ શોભાયાત્રા ન કાઢવાનું નક્કી કર્યું છે. વધુમાં આ દિવસે લોકો મંદિરે જઇ પૂજા કરી પોતાની આગવી સંસ્કૃતિ મુજબ દાંડિયા અને મટકા નૃત્ય કરે છે.

આ પણ વાંચોઃ કોરોના સંક્રમણને પગલે મહેસાણામાં સિંધી સમાજના લોકોએ ઘરમાં જ રહી ચેટીચાંદની ઉજવણી કરી
લોકડાઉનના કારણે ગત વર્ષે શોભાયાત્રા કાઢી શકાઇ ન હતી
સિંધી સમાજના આગેવાન સોનુ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે પણ કોરોનાની મહામારી વકરતા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે શોભાયાત્રા કાઢી શકાઇ ન હતી. આ વખતે પણ જે મુજબ આંકડાઓ વધી રહ્યા છે, તેને જોઈ સૌ કોઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે એ જ અપીલ છે.