ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્ય કોરોના અપડેટઃ કુલ 2193 પોઝિટિવ કેસ

author img

By

Published : Sep 20, 2020, 6:49 AM IST

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારે સાંજ સુધીમાં નવા 26 કેસ નોંધાતા કુલ આંકડો 2,193 પર પહોંચ્યો છે.

અમદાવાદ ગ્રામ્ય કોરોના અપડેટ
અમદાવાદ ગ્રામ્ય કોરોના અપડેટ

અમદાવાદઃ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમા તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારે સાંજ સુધીમાં નવા 26 કેસ નોંધાયા હતા. આ સાથે કોરોના પિઝિટિવ કેસનો કુલ આંક 2193 પર પહોંચ્યો છે.

નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી. આ સાથે જ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં 500થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાને કારણે 58 દર્દીઓના મોત થયા છે.

અમદાવાદના વિવિધ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા

  • ધોળકા - 507
  • સાણંદ - 480
  • દસક્રોઈ - 325
  • બાવળા - 260
  • ધંધુકા - 196
  • વિરમગામ - 251
  • માંડલ - 87

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. જેમાં 89 હજાર લોકોનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 21 હજાર જેટલા ઘરોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનિટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેનિટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે, ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 89 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

અમદાવાદઃ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમા તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારે સાંજ સુધીમાં નવા 26 કેસ નોંધાયા હતા. આ સાથે કોરોના પિઝિટિવ કેસનો કુલ આંક 2193 પર પહોંચ્યો છે.

નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી. આ સાથે જ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં 500થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાને કારણે 58 દર્દીઓના મોત થયા છે.

અમદાવાદના વિવિધ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા

  • ધોળકા - 507
  • સાણંદ - 480
  • દસક્રોઈ - 325
  • બાવળા - 260
  • ધંધુકા - 196
  • વિરમગામ - 251
  • માંડલ - 87

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. જેમાં 89 હજાર લોકોનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 21 હજાર જેટલા ઘરોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનિટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેનિટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે, ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 89 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.