અમદાવાદઃ શહેરના હાટકેશ્વર સર્કલ પાસેના રસ્તા પર શાકભાજી અને ફેરિયાઓ સાથે સાથે ઉભા છે, જ્યાં લોકો પણ ખરીદવા માટે કોઈ પણ સામાજિક અંતર રાખ્યા વિના ઉભા છે. ત્યારે આ બેદરકારીના કારણે કોરોના વાયરસ અટકાવવાનો બદલે વાઇરસ વધુ ફેલાઈ શકે છે.
લોકો એક સાથે ભેગા થશે તો વાયરસ ઝડપથી ફેલાય તેવી શક્યતાઓ વધુ જોવા મળી રહી છે. પોલીસની સમજાવટ બાદ પણ લોકો પાલન નથી કરતા ત્યારે લોકોએ નૈતિક જવાબદારી સમજીને પાલન કરવું જોઈએ.