મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન ધોની માટે ટીમમાં પરત ફરવાને લઇને લક્કી માનવામાં આવતી હતી. કેટલાક લોકોનું માનવું છે કે ધોનીનો સમય પૂર્ણ થઇ ગયો છે.

બીજી બાજુ કોચ રવિ શાસ્ત્રીએ કહી દીધું છે કે, ધોની સિવાય IPLમાં અન્ય ખેલાડીઓ માટે પણ T-20માં સ્થાન બનાવવાની તક હોઇ છે.

આ IPLનું ભવિષ્ય હજુ પણ સંકટમાં હોઇ તેવું નજર આવી રહ્યું છે. પરંતુ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને કહ્યું કે, ધોની પર નિવૃતિ લેવાનો દબાવ ન બનાવવો જોઇએ. કારણ કે ધોની એકવાર નિવૃતિ લઇને જતો રહેશે તો તેને ટીમમાં પરત નહીં લઇ શકો.