મુંબઈઃ હિન્દી સિનેમાના મહાન એક્ટ્રેસ નરગીસ દત્ત પોતાના ફિલ્મી કેરિયરમાં એક થી એક હીટ ફિલ્મ આપી હતી. 5 વર્ષની ઉંમરમાં બાળ કલાકાર તરીકે તેમણે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. નરગીસ દત્તે 'શ્રી 420', 'મધર ઈન્ડિયા' , 'ચોરી ચોરી', 'આવારા' જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યુ હતું.
1957માં આવેલી તેમની મધર ઈન્ડિયા ફિલ્મ બાદ તેમણે સુનીલ દત્ત સાથે લગ્ન કર્યાા હતાં. 3 મે 1981માં 58 વર્ષે ખબર પડી કે નરગીસને કેન્સર છે, જેને કારણે તેમનું નિધન થયું હતું. આજે નરગીસ દત્તની 39મી ડેથ એનિવર્સરી છે. એવામાં તેમના પુત્ર સંજય દત્તે એક ભાવુક પોસ્ટ લખી માતા સાથેની તસવીર શેર કરી છે.
-
It’s been 39 years since you left us but I know you’re always by my side. I wish you were here with me, today & everyday. Love you and miss you everyday Mom. pic.twitter.com/zuunMIXPwg
— Sanjay Dutt (@duttsanjay) May 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">It’s been 39 years since you left us but I know you’re always by my side. I wish you were here with me, today & everyday. Love you and miss you everyday Mom. pic.twitter.com/zuunMIXPwg
— Sanjay Dutt (@duttsanjay) May 3, 2020It’s been 39 years since you left us but I know you’re always by my side. I wish you were here with me, today & everyday. Love you and miss you everyday Mom. pic.twitter.com/zuunMIXPwg
— Sanjay Dutt (@duttsanjay) May 3, 2020
માતા નરગીસ સાથે ફોટો શેર કરતાં સંજય દત્તે લખ્યું કે, 'તમે અમને છોડીને ગયા એ વાતને આજે 39 વર્ષ થઈ ગયા, પરંતુ મને ખબર છે કે તમે આજે પણ મારી સાથે છો. કાશ.. તમે આજે અને દરરોજ મારી સાથે હોત. હું તમને દરરોજ યાદ કરુ છું અને તમને ખુબ જ પ્રેમ કરું છું માં'
નોંધનીય છે કે, નરગીસ દત્તનું 1981માં 3 મે ના રોજ કેન્સરને કારણે નિધન થયું હતું.