મુંબઈ: બોલીવૂડ સિંગર સોનુ નિગમ હાલમાં દુબઇમાં છે અને ત્યાંથી વર્ચુઅલ કોન્સર્ટ કરી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના કારણે લોકડાઉનના કારણે સોનુ ભારત પાછા આવી શક્યા નથી. આ અંગે ખુદ સોનુ નિગમે માહિતી આપી હતી. પરંતુ સોનુના દુબઈ રોકાવાના મામલે સોશિયલ મીડિયાએ હંગામો મચાવ્યો છે. તેનું કારણ 3 વર્ષ પહેલા કરવામાં આવેલા અઝાન વિશેની તેમની ટ્વિટ છે.
લગભગ 3 વર્ષ પહેલા તેણે અઝાન વિશે ટ્વીટ કર્યું હતું. લોકો હવે તેના પર સવાલ ઉઠાવી રહ્યા છે કે હવે તે દુબઈમાં અટવાયો છે, તો પછી તેને 'અઝાન' ના અવાજથી મુશ્કેલી નથી આવી રહી?.
હવે અચાનક, સોનુ નિગમના જૂના ટ્વીટ્સના સ્ક્રીનશોટ વાઈરલ થઈ રહ્યા છે અને લોકો દુબઈ પોલીસ પાસે તેમની ધરપકડની માગ કરી રહ્યા છે.