ETV Bharat / sitara

Russsia Ukarin War: યૂક્રેનમાં રશિયન હુમલામાં ભારતીય વિદ્યાર્થીની મોત પર ફરહાન અખ્તતરે તોડ્યુ મૌન, સરકારને કરી આ અપીલ

author img

By

Published : Mar 2, 2022, 10:32 AM IST

અભિનેતા ફરહાન અખ્તરે યૂક્રેન પર રશિયન હુમલામાં (Russsia Ukarin War) ભોગ બનેલો ભારતીય વિદ્યાર્થીના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કરીને આ અપીલ (Farhan Akhtar Indian Student Death tweet) કરી છે.

Russsia Ukarin War: યૂક્રેનમાં રશિયન હુમલામાં ભારતીય વિદ્યાર્થીની મોત પર ફરહાન અખ્તતરે તોડ્યુ મૌન, સરકારને કરી આ અપીલ
Russsia Ukarin War: યૂક્રેનમાં રશિયન હુમલામાં ભારતીય વિદ્યાર્થીની મોત પર ફરહાન અખ્તતરે તોડ્યુ મૌન, સરકારને કરી આ અપીલ

ન્યૂઝ ડેસ્ક: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધને (Russsia Ukarin War) આજે બુધવારે સાતમો દિવસ છે. આ સંજોગોમાં યૂક્રેનમાં અત્યાર સુધીમાં અનેક જાન-માલનું નુકસાન થયું છે. યુદ્ધના છઠ્ઠા દિવસે, યુક્રેનમાં ગોળીબારમાં એક વિદ્યાર્થી માર્યો ગયો હતો. આ સમાચારથી આખો દેશ ચોંકી ગયો છે. મૃતક વિદ્યાર્થીના પરિવારમાં તો માતમ છવાઇ ગયું છે. આ સંદર્ભે અભિનેતા ફરહાન અખ્તરે એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર દુઃખ વ્યક્ત (Farhan Akhtar Indian Student Death tweet) કર્યું છે.

ફરહાન અખ્તરે કરી સરકારને અપીલ

યૂક્રેનમાં ઘણા ભારતીયો હજુ પણ ફસાયેલા છે અને તેઓ તેમના ઘરે પરત ફરવા માટે પ્રાર્થના કરી રહ્યા છે, ત્યારે ફરહાન અખ્તરે સરકારને તમામ ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાની અપીલ કરી છે. અભિનેતાએ મંગળવારે ટ્વીટમાં લખ્યું હતું કે, 'એક ભારતીય વિદ્યાર્થી, હવે યુક્રેન હુમલાનો શિકાર બન્યો છે. આ વિધાર્થીના પરિવાર માટે ખુબ દુ:ખી છે. તેમના પ્રત્યે મારી ખૂબ જ સંવેદના..આશા છે કે, અમારા તમામ નાગરિકોને સુરક્ષિત ઘરે પરત લાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ભારતમાંથી હજારો વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ માટે યુક્રેન જાય છે.

Russsia Ukarin War:  યુક્રેનમાં રશિયન હુમલામાં ભારતીય વિદ્યાર્થીની મોત પર ફરહાન અખ્તતરે તોડ્યુ મૌન, સરકારને કરી આ અપીલ
Russsia Ukarin War: યુક્રેનમાં રશિયન હુમલામાં ભારતીય વિદ્યાર્થીની મોત પર ફરહાન અખ્તતરે તોડ્યુ મૌન, સરકારને કરી આ અપીલ

આ પણ વાંચો: બેબી પિંક શોર્ટ ડ્રેસમાં ક્રિતી સેનન કમાલનો જાદુ, ચાહકોએ કહ્યું- 'અરે મેરી પરમ સુંદરી

જાણો મૃત્યું થનાર ભારતીય વિધાર્થી મૂળ ક્યાનો

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ, યૂક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ વિશે અપડેટ આપતા જણાવ્યું કે, રશિયન હુમલામાં યુક્રેનિયવાસીઓને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ દુઃખદ છે. તમને જણાવી દઈએ કે, મૃતક વિદ્યાર્થી કર્ણાટકના ચાલગેરીનો રહેવાસી હતો, જેનું નામ નવીન શેખરપ્પા ગ્યાંગૌદાર હતું.

ફરહાન ખાને હાલમાં જ શિબાની દાંડેકર સાથે લગ્ન કર્યા

તમને જણાવી દઈએ કે, ફરહાન ખાને હાલમાં જ શિબાની દાંડેકર સાથે લગ્ન કર્યા છે. ફરહાન-શિબાનીના લગ્નમાં કપલના સંબંધીઓ અને કેટલાક નજીકના મિત્રો સહિત બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. આ કપલે ફેન્સ માટે સોશિયલ મીડિયા (Social Media) પર લગ્નની તસવીરો શેર કરી હતી, જે તેમને ખૂબ પસંદ આવી હતી.

આ પણ વાંચો: રશિયા-યુક્રેન સંગ્રામમાં ઉતરી પૂર્વ મિસ યુક્રેન અનાસ્તાસિયા લેના, જાણો કોણ છે આ..

ન્યૂઝ ડેસ્ક: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધને (Russsia Ukarin War) આજે બુધવારે સાતમો દિવસ છે. આ સંજોગોમાં યૂક્રેનમાં અત્યાર સુધીમાં અનેક જાન-માલનું નુકસાન થયું છે. યુદ્ધના છઠ્ઠા દિવસે, યુક્રેનમાં ગોળીબારમાં એક વિદ્યાર્થી માર્યો ગયો હતો. આ સમાચારથી આખો દેશ ચોંકી ગયો છે. મૃતક વિદ્યાર્થીના પરિવારમાં તો માતમ છવાઇ ગયું છે. આ સંદર્ભે અભિનેતા ફરહાન અખ્તરે એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર દુઃખ વ્યક્ત (Farhan Akhtar Indian Student Death tweet) કર્યું છે.

ફરહાન અખ્તરે કરી સરકારને અપીલ

યૂક્રેનમાં ઘણા ભારતીયો હજુ પણ ફસાયેલા છે અને તેઓ તેમના ઘરે પરત ફરવા માટે પ્રાર્થના કરી રહ્યા છે, ત્યારે ફરહાન અખ્તરે સરકારને તમામ ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાની અપીલ કરી છે. અભિનેતાએ મંગળવારે ટ્વીટમાં લખ્યું હતું કે, 'એક ભારતીય વિદ્યાર્થી, હવે યુક્રેન હુમલાનો શિકાર બન્યો છે. આ વિધાર્થીના પરિવાર માટે ખુબ દુ:ખી છે. તેમના પ્રત્યે મારી ખૂબ જ સંવેદના..આશા છે કે, અમારા તમામ નાગરિકોને સુરક્ષિત ઘરે પરત લાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ભારતમાંથી હજારો વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ માટે યુક્રેન જાય છે.

Russsia Ukarin War:  યુક્રેનમાં રશિયન હુમલામાં ભારતીય વિદ્યાર્થીની મોત પર ફરહાન અખ્તતરે તોડ્યુ મૌન, સરકારને કરી આ અપીલ
Russsia Ukarin War: યુક્રેનમાં રશિયન હુમલામાં ભારતીય વિદ્યાર્થીની મોત પર ફરહાન અખ્તતરે તોડ્યુ મૌન, સરકારને કરી આ અપીલ

આ પણ વાંચો: બેબી પિંક શોર્ટ ડ્રેસમાં ક્રિતી સેનન કમાલનો જાદુ, ચાહકોએ કહ્યું- 'અરે મેરી પરમ સુંદરી

જાણો મૃત્યું થનાર ભારતીય વિધાર્થી મૂળ ક્યાનો

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ, યૂક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ વિશે અપડેટ આપતા જણાવ્યું કે, રશિયન હુમલામાં યુક્રેનિયવાસીઓને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ દુઃખદ છે. તમને જણાવી દઈએ કે, મૃતક વિદ્યાર્થી કર્ણાટકના ચાલગેરીનો રહેવાસી હતો, જેનું નામ નવીન શેખરપ્પા ગ્યાંગૌદાર હતું.

ફરહાન ખાને હાલમાં જ શિબાની દાંડેકર સાથે લગ્ન કર્યા

તમને જણાવી દઈએ કે, ફરહાન ખાને હાલમાં જ શિબાની દાંડેકર સાથે લગ્ન કર્યા છે. ફરહાન-શિબાનીના લગ્નમાં કપલના સંબંધીઓ અને કેટલાક નજીકના મિત્રો સહિત બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. આ કપલે ફેન્સ માટે સોશિયલ મીડિયા (Social Media) પર લગ્નની તસવીરો શેર કરી હતી, જે તેમને ખૂબ પસંદ આવી હતી.

આ પણ વાંચો: રશિયા-યુક્રેન સંગ્રામમાં ઉતરી પૂર્વ મિસ યુક્રેન અનાસ્તાસિયા લેના, જાણો કોણ છે આ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.