અભિનેત્રી નેહા ધૂપિયા તેના સેલિબ્રિટી ચેટ શો 'નો ફિલ્ટર નેહા' ની ચોથી સીઝન સાથે પરત ફરી રહી છે. આ શૉને લઈ તે ઘણી ઉત્સાહિત છે. શૉ વિશે વાત કરતાં નેહાએ જણાવ્યું હતું કે, અમે શૉમાં આવનાર મહેમાનોનું રિસર્ચ કરીએ છીએ. આ વાત પર મને ગર્વ છે."
ગત મંગળવારે નવી સીઝનનો પહેલો એપિસોડ પ્રસારિત થયો હતો. જેમાં શાહિદ કપૂર શૉનો પહેલો મહેમાન બન્યો હતો. આ સિઝનના અન્ય અતિથિઓ વિશે વાત કરતાં નેહાએ કહ્યું હતું કે," આ શૉમાં ઘણા મજેદાર મહેમાન આવવાના છે. શૉની શરૂઆત જ શાહિદ કપૂરની સાથે થઈ છે. હવે રાજકુમાર રાવ અને ત્યારબાદ મલાઈકા અરોરા આવશે. આ સિવાય દલકીર સલમાન, તાપસી પન્નુ, રફ્તાર, સિદ્ધાંત ચતુર્વેદી સહિત ઘણા લોકો છે."
શૉની વાતચીત દરમિયાન તેને પૂછવામાં આવ્યું હતું કે, કોઈ એવી વસ્તુ છે જેનાથી તે છુટાકારો ઈચ્છે છે? તેના જવાબમાં નેહાએ કહ્યું હતું કે, શું એવી કોઈ પણ જૂની ટેવો છે કે જેનાથી તે છુટકારો મેળવવા માંગે છે? તેના જવાબમાં નેહાએ કહ્યું હતું કે, " હું આવનાર સમયને લઈને વધારે પડતું વિચારું છું. જે નથી બન્યું તેના વિશે મને સતત ચિંતા રહ્યાં કરે છે.આશા છે કે, હું મારી આદતથી છુટકારો મેળવી શકું."