ETV Bharat / sitara

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પોલીસે તપાસ પૂર્ણ કરી

author img

By

Published : Jul 14, 2020, 10:53 PM IST

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસમાં એક મહિના સુધી તપાસ કર્યા બાદ પોલીસ હવે અંતિમ નિર્ણય પર પહોંચી ગઈ છે. આ કેસની નજીકના પોલીસ સૂત્રોએ મીડિયાને માહિતી આપી છે કે, સુશાંતના મામલાની પૂછપરછ અને તબીબી કાર્યવાહી બાદ પોલીસે તેમની તપાસ પૂર્ણ કરી લીધી છે અને તેઓ આગામી 10 થી 15 દિવસમાં આ સમગ્ર કેસનો અંતિમ રિપોર્ટ રજૂ કરશે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત ગત મહિનાની 14 મી તારીખે તેમના મુંબઇ નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યો હતો, તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જોકે તેના મોતને હત્યા કહેવામાં આવી રહ્યું હતું, જે બાદ મુંબઈ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. માહીતી મુજબ, પોલીસ આ મામલે આગામી 10 થી 15 દિવસમાં પોતાનો અંતિમ રિપોર્ટ રજૂ કરવાની છે.

મળતી માહિતી મુજબ શનિવારે ફોરેન્સિક ટીમના વરિષ્ઠ પાંચ અધિકારીઓએ આ મામલાની ચર્ચા કરી હતી. આ વાતચીતમાં બહાર આવ્યું છે કે તે ટૂંક સમયમાં આ કેસનો અંતિમ રિપોર્ટ રજૂ કરશે.આ અંગે વધુમાં જણાવા મળ્યું હતું કે જો આ કેસમાં કેટલાક અન્ય લોકોની પૂછપરછ કરવાની જરૂર જણાશે, તો તેઓને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે.

ગત મહિનાની 14 મી જૂને સુશાંતસિંહ રાજપૂતે પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. તે દિવસથી પોલીસે લગભગ ત્રણ ડઝન લોકોની પૂછપરછ કરી છે. સુશાંતના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ફાંસી લગાવવાથી તેમનું મોત થયું હતું.

આ સિવાય ફોરેન્સિક રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની દવાઓ અથવા ઝેરના પુરાવા મળ્યા નથી. દરમિયાન, સોશિયલ મીડિયા પર સુશાંતના ચાહકો શરૂઆતથી જ આ કેસની CBI તપાસની માગ કરી રહ્યા છે. માત્ર ચાહકો જ નહીં, રાજ્યસભાના સભ્ય સુબ્રમણ્યમ સ્વામી, અભિનેતા શેખર સુમન અને દિગ્દર્શક શેખર કપૂરે પણ સુશાંતના કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવે તેવી માગ કરી છે.

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત ગત મહિનાની 14 મી તારીખે તેમના મુંબઇ નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યો હતો, તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જોકે તેના મોતને હત્યા કહેવામાં આવી રહ્યું હતું, જે બાદ મુંબઈ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. માહીતી મુજબ, પોલીસ આ મામલે આગામી 10 થી 15 દિવસમાં પોતાનો અંતિમ રિપોર્ટ રજૂ કરવાની છે.

મળતી માહિતી મુજબ શનિવારે ફોરેન્સિક ટીમના વરિષ્ઠ પાંચ અધિકારીઓએ આ મામલાની ચર્ચા કરી હતી. આ વાતચીતમાં બહાર આવ્યું છે કે તે ટૂંક સમયમાં આ કેસનો અંતિમ રિપોર્ટ રજૂ કરશે.આ અંગે વધુમાં જણાવા મળ્યું હતું કે જો આ કેસમાં કેટલાક અન્ય લોકોની પૂછપરછ કરવાની જરૂર જણાશે, તો તેઓને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે.

ગત મહિનાની 14 મી જૂને સુશાંતસિંહ રાજપૂતે પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. તે દિવસથી પોલીસે લગભગ ત્રણ ડઝન લોકોની પૂછપરછ કરી છે. સુશાંતના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ફાંસી લગાવવાથી તેમનું મોત થયું હતું.

આ સિવાય ફોરેન્સિક રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની દવાઓ અથવા ઝેરના પુરાવા મળ્યા નથી. દરમિયાન, સોશિયલ મીડિયા પર સુશાંતના ચાહકો શરૂઆતથી જ આ કેસની CBI તપાસની માગ કરી રહ્યા છે. માત્ર ચાહકો જ નહીં, રાજ્યસભાના સભ્ય સુબ્રમણ્યમ સ્વામી, અભિનેતા શેખર સુમન અને દિગ્દર્શક શેખર કપૂરે પણ સુશાંતના કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવે તેવી માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.