મુંબઇ: અભિનેતા કે. કે. મેનન કહે છે કે, તેમની પાસે એવા ગુણો અથવા કુશળતા નથી કે, જેના કારણે તે પોતાનો પ્રસાર કરી શકે, તેમણે એમ પણ કહ્યું કે, તે પ્રસિદ્ધિમાં નહીં પણ કામ કરવામાં વિશ્વાસ રાખે છે.
પ્રતિભાશાળી અને સન્માનિય અભિનેતા હોવા છતા કે.કે.મેનન ઘણા લોકો માટે સિદ્ધીથી કઇ કમ નથી. તે ભાગ્યે જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
શું સ્વ-પ્રચાર એ એવી વસ્તુ છે કે, જેનાથી તે બચે છે. અથવા તે ના પંસદ કરે છે. તેમના જવાબમાં તેમણે કહ્યું હતું કે, હું આ કાર્યમાં બિલકુલ કુશળ નથી, મારી જાતને પ્રોત્સાહન આપવા માટે ખરેખર મારામાં ગુણોનો અભાવ છે. કેટલાક લોકો તેમાં માહીર હોય છે. જેથી તેઓેને ધન્ય છે, પરંતુ મારી પાસે આ કળા નથી.
તે વધુમાં જણાવ્યું કે, હું મારા કામનો પ્રચાર કરુ છુ અને પ્રોત્સાહન પણ આપું છું. કારણ કે, તે વધુ જરૂરી છે. સાચું કહું તો, આ સિવાય, હું મારી જાતને કેવી રીતે પ્રોત્સાહન આપું તે બીલકુલ જાણતો નથી, પરંતુ હું ઇચ્છુ છુ કે, મારૂ કામ બોલાઇ. મારામાં પરફોર્મન્સ કરવાના ગુણો છે, પ્રમોશન કરવાના નહી.