ETV Bharat / sitara

દૂરદર્શન પર પરત ફરી રહ્યું છે ’1990 દશક’, રામાયણ સહિતના જુના કાર્યક્રમો થશે ટેલિકાસ્ટ - કોરોના વાઈરસ ન્યૂઝ

કોરોના વાઈરસ સંક્રમણને રાકોવા માટે લોકડાઉન જાહેર કરાયું છે. જેથી લોકો પોતાના ઘરમાં રહેવા માટે મજબૂર થયા છે. ત્યારે લોકોની માગ પર જૂના લોકપ્રિય કાર્યક્રમોને 'રામાયણ' અને 'મહાભારત' દૂરદર્શન પર દર્શાવવામાં આવી રહ્યાં છે. તેમજ શાહરુખનનો ટીવી શૉ 'સર્કસ' , 'જાસૂસી' અને 'વ્યોમકેશ બક્ષી' પર આવી રહ્યાં છે. જેમાં વધુ એક કાર્યક્રમનું નામ જોડાયું છે. એ છે...90 દશકના બાળકોના પસંદીદા સુપર હીરો 'શક્તિમાન'. જે ફરી એકવાર દૂરદર્શન ટેલિકાસ્ટ કરવામાં આવશે.

Doordarshan
Doordarshan
author img

By

Published : Mar 31, 2020, 10:44 AM IST

મુંબઈઃ દેશભરમાં લોકડાઉન છે. કોરોના કહેરના કારણે લોકો પોતાના ઘરમાં પૂરાઈ રહ્યાં છે, ત્યારે તેમના મનોરંજના માટે અને લોકોની માગ દૂરદર્શન પર જૂના કાર્યક્રમોનું ફરીથી પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. જેમાં 'રામાયણ' અને 'મહાભારત' શાહરુખનનો ટીવી શૉ 'સર્કસ' , 'જાસૂસી' અને 'વ્યોમકેશ બક્ષી' આવી રહ્યાં છે, ત્યારે બાળકો માટે વધુ લોકપ્રિય કાર્યક્રમ 'શક્તિમાન' દૂરદર્શન ફરીથી ધૂમ મચાવવા આવી રહ્યો છે.

તમે બરાબર સાચું વાંચી રહ્યાં છો. હમણાં જ 'શક્તિમાન'નું પાત્ર ભજવનાર અભિનેતા મુકેશ ખન્નાએ એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તે 'રામાયણ' અને 'મહાભારતના પુનઃ પ્રસારણની ખુશી વ્યક્ત કરતા કહે છે કે, હું તમને વધુ એક મજાની વાત જણાવવા માગું છું કે, તમારો પસંદીદા ધારાવાહિક 'શક્તિમાન' પણ ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ કેટલા વાગ્યે પ્રાસરિત થશે તેની માહિતી તમને ટૂંક જ સમયમાં મળશે.

દૂરદર્શન પર પરત ફરી રહ્યો છે.... 90 દશકના બાળકોનો પ્રિય સુપરહીરો શક્તિમાન
દૂરદર્શન પર પરત ફરી રહ્યો છે.... 90 દશકના બાળકોનો પ્રિય સુપરહીરો શક્તિમાન

નોંધનીય છે કે, 'શક્તિમાન' કાર્યક્રમ 1997 માં દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તે ભારતનો પહેલો સુપરહીરો માનવામાં આવે છે. મુકેશ ખન્નાએ શક્તિમાનની ભૂમિકા ભજવી હતી. જે લોકોના મનમાં હજી તાજી છે. આ સીરીયલના છેલ્લા ભાગમાં બાળકોને ભણાવવાની અને તેમને સારી ટેવો વિશે જણાવવાની વિશેષતા હતી. આ શૉ લગભગ 8 વર્ષ ચાલ્યો અને લોકોના દિલમાં તે એક સુપરહીરો તરીકે છવાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, ફરી એક વાર રામાનંદ સાગરની રામાયણ અને બી.આર.ચોપરાની મહાભારત સીરિયલ દૂરદર્શન પર શરૂ કરવામાં આવી છે. આ સિરિયલોને લઈને દર્શકોનો ક્રેઝ એટલો જબરદસ્ત હતો કે #રામાયણ અને #મહાભારત આખો દિવસ ટ્વિટર પર ટ્રેન્ડ કરતા રહે છે. સોશિયલ મીડિયા પર પણ આ શૉના છૂટક વેચાણ પર લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.

મુંબઈઃ દેશભરમાં લોકડાઉન છે. કોરોના કહેરના કારણે લોકો પોતાના ઘરમાં પૂરાઈ રહ્યાં છે, ત્યારે તેમના મનોરંજના માટે અને લોકોની માગ દૂરદર્શન પર જૂના કાર્યક્રમોનું ફરીથી પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. જેમાં 'રામાયણ' અને 'મહાભારત' શાહરુખનનો ટીવી શૉ 'સર્કસ' , 'જાસૂસી' અને 'વ્યોમકેશ બક્ષી' આવી રહ્યાં છે, ત્યારે બાળકો માટે વધુ લોકપ્રિય કાર્યક્રમ 'શક્તિમાન' દૂરદર્શન ફરીથી ધૂમ મચાવવા આવી રહ્યો છે.

તમે બરાબર સાચું વાંચી રહ્યાં છો. હમણાં જ 'શક્તિમાન'નું પાત્ર ભજવનાર અભિનેતા મુકેશ ખન્નાએ એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તે 'રામાયણ' અને 'મહાભારતના પુનઃ પ્રસારણની ખુશી વ્યક્ત કરતા કહે છે કે, હું તમને વધુ એક મજાની વાત જણાવવા માગું છું કે, તમારો પસંદીદા ધારાવાહિક 'શક્તિમાન' પણ ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ કેટલા વાગ્યે પ્રાસરિત થશે તેની માહિતી તમને ટૂંક જ સમયમાં મળશે.

દૂરદર્શન પર પરત ફરી રહ્યો છે.... 90 દશકના બાળકોનો પ્રિય સુપરહીરો શક્તિમાન
દૂરદર્શન પર પરત ફરી રહ્યો છે.... 90 દશકના બાળકોનો પ્રિય સુપરહીરો શક્તિમાન

નોંધનીય છે કે, 'શક્તિમાન' કાર્યક્રમ 1997 માં દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તે ભારતનો પહેલો સુપરહીરો માનવામાં આવે છે. મુકેશ ખન્નાએ શક્તિમાનની ભૂમિકા ભજવી હતી. જે લોકોના મનમાં હજી તાજી છે. આ સીરીયલના છેલ્લા ભાગમાં બાળકોને ભણાવવાની અને તેમને સારી ટેવો વિશે જણાવવાની વિશેષતા હતી. આ શૉ લગભગ 8 વર્ષ ચાલ્યો અને લોકોના દિલમાં તે એક સુપરહીરો તરીકે છવાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, ફરી એક વાર રામાનંદ સાગરની રામાયણ અને બી.આર.ચોપરાની મહાભારત સીરિયલ દૂરદર્શન પર શરૂ કરવામાં આવી છે. આ સિરિયલોને લઈને દર્શકોનો ક્રેઝ એટલો જબરદસ્ત હતો કે #રામાયણ અને #મહાભારત આખો દિવસ ટ્વિટર પર ટ્રેન્ડ કરતા રહે છે. સોશિયલ મીડિયા પર પણ આ શૉના છૂટક વેચાણ પર લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.