ETV Bharat / opinion

એચવનબી વિઝા અને ગ્રીન કાર્ડસ મુદ્દે ઝળુંબતી અનિશ્ચિતતા : USISPF પ્રેસિડેન્ટ

author img

By

Published : May 4, 2020, 8:40 PM IST

યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ (યુએસઆઈએસપીએફ)ના પ્રેસિડેન્ટ અને સીઈઓ ડૉ. મુકેશ આઘી કહે છે કે, ભારતમાં દેશવ્યાપી લોકડાઉન ઘણું અસરકારક છે, પરંતુ હવે આજીવિકા બચાવવા અને અર્થતંત્રને પુનઃજીવિત કરવાનો સમય પાકી ગયો છે. ન્યુ યોર્કમાં વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્મા સાથે વાતચીત કરતાં ડૉ. આઘીએ ટ્રમ્પ સરકાર દ્વારા લોકડાઉનના અમલની આલોચના કરી હતી. અમેરિકામાં વિયેતનામના યુદ્ધ કરતાં વધુ મૃત્યુ કોરોનાવાયરસને કારણે નોંધાયાં છે. જોકે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થવ્યવસ્થા ઝડપભેર તૂટી રહી હોવાથી ભારતે મોટા પાયે નાણાકીય સહાય આપવી પડશે અને અમેરિકાની માફક જરૂરતમંદોને નાણાકીય ટેકો આપવો પડશે.

USISPF president
એચવનબી વિઝા અને ગ્રીન કાર્ડસ મુદ્દે ઝળુંબતી અનિશ્ચિતતા

નવી દિલ્હીઃ ડૉ. આઘીએ કહ્યું કે, “પ્રત્યેક જીવન મહત્ત્વપૂર્ણ છે, પરંતુ વિશ્વના અન્ય દેશોમાં 1.3 અબજ જેટલી વિશાળ વસ્તી નથી. હવે વધુ મહત્ત્વપૂર્ણ, લોકોને આજીવિકા કેવી રીતે આપશો, તે વિચારવાનો સમય છે. અમેરિકામાં અમારા અનુભવની વાત કરીએ તો, અર્થવ્યવસ્થાને છેલ્લા ત્રિમાસિકમાં ભારે ફટકો પડ્યો છે, આર્થિક વિકાસ 4.8 ટકા જેટલો ઘટ્યો છે, જ્યારે પ્રોત્સાહન પેકેજ લાખો કરોડ ડોલરનું છે. ભારતનું પ્રોત્સાહન પેકેજ અત્યંત ઓછું છે. માપાંકન અને અર્થવ્યવસ્થા ધીમે ધીમે સુગમ કરવામાં આવે તે માટે મહત્ત્વપૂર્ણ છે કે એક એવું પ્રોત્સાહન પેકેજ જાહેર થાય જેનાથી નાગરિકો, વેપારી સમુદાયનો વિશ્વાસ વધે, પરંતુ નાનાં એકમો અને નાના છૂટક વિક્રેતાઓ ઉપર વધુ ધ્યાન અપાયું હોય એ અગત્યનું છે. જો તેઓ ડૂબવા માંડશે, તો અર્થતંત્રને આગામી 6-12 મહિનામાં બેઠું કરવું મુશ્કેલ બની જશે.”

ભારતને અચાનક દેશવ્યાપી લોકડાઉનની આવશ્યકતા હતી કે નહીં અને તે કેટલો લાંબો સમય ચાલુ રહેવું જોઈએ, તે વિશે પૂછતાં ડૉ. આઘીએ જણાવ્યું કે, “વડાપ્રધાન મોદીએ અસાધારણ કામ કરી બતાવ્યું છે, અમલદારશાહીએ સુકાન સંભાળ્યું અને વધુ મહત્ત્વનું કે નાગરિકોએ હાકલ ઝીલી લીધી, સહુ સાથે મળ્યા અને લોકડાઉન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ અત્યંત અસરકારક નીવડ્યુ અને તેનાં સકારાત્મક પરિણામો મળ્યાં, પરંતુ હવે તેને ધીમે ધીમે હળવું કરવાનો સમય થઈ ગયો છે. તમે નાગરિકો અને અર્થતંત્રને લોકડાઉનમાં બાંધીને આજીવિકાને પ્રભાવિત ન કરી શકો, કેમકે ભારત 60 ટકા વપરાશ આધારિત અર્થવ્યવસ્થા છે. જો તમે એ વપરાશ બંધ કરી દો તો અર્થતંત્ર સંપૂર્ણ પણે ઠપ થઈ જશે. એટલે, તમારે તેને ધીમે ધીમે કાર્યાન્વિત કરવું પડસે. લોકડાઉનને લાગેવળગે છે, ત્યાં સુધી અમેરિકા તેનો અસરકારક અમલ ન કરી શક્યું. અમે આનાથી વધુ અસરરકારક કામ કરી શકત. અત્યારે અમેરિકામાં વિયેતનામ સાથેના યુદ્ધમાં થયેલાં મોત કરતાં કોરોના વાયરસને કારણે થયેલાં મોતનો આંકડો ઊંચો છે. એટલે, લોકડાઉનના મુદ્દે અત્યંત અસરકારક કાર્યદક્ષતા દર્શાવનારા ભારતની સરખામણીએ અમેરિકાને પ્રથમ પાંચમાં પણ ગ્રેડ મળે તેમ નથી.”

યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ (યુએસઆઈએસપીએફ)

તેમણે વધુને વધુ ચીજવસ્તુઓને આવશ્યક માલસામાનની શ્રેણીમાં સ્થાન મળવા માંડ્યું છે, તે સકારાત્મક સંકેત હોવાનો આશાવાદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આગામી બેથી ચાર સપ્તાહમાં ભારતમાં લોકડાઉન નોંધપાત્ર રીતે ખૂલ્યું હશે.

મહામારી માટે ચીનને જવાબદાર ઠેરવવા વિશેના સવાલના પ્રત્યુત્તરમાં ડૉ. આઘીએ જણાવ્યું કે અમેરિકામાં મિસૂરી રાજ્યે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી ઉપર કેસ માંડ્યો છે, જે દર્શાવે છે કે વૈશ્વિક સમુદાય આ મહામારી ફેલાવવા માટે બીજિંગને જવાબદાર ગણવાનો પ્રયાસ કરશે. જોકે, ડૉ, આઘીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતે આ કટોકટીનો સકારાત્મક દિશામાં ઉપયોગ કરવો જોઈએ અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં પગપેસારો કરી લેવો જોઈએ.

તેમણે જણાવ્યું કે “ભારતે તેના નીતિ ઘડતરમાં પારદર્શક અને અનુમાન બાંધી શકાય તેવા રહેવું પડશે. તેણે ફક્ત બજારની પહોંચ આપવી પડશે, એટલું જ નહીં, પરંતુ બજારમાં સ્પર્ધાત્મક માહોલ પણ પૂરો પાડવો પડશે. વોલમાર્ટ જ્યારે ભારતમાં આવી અને ફ્લિપકાર્ટને ખરીદી લીધી, ત્યારે શું થયું ? બે સપ્તાહ બાદ તેમણે નીતિ બદલી. આંધ્ર પ્રદેશમાં સરકાર બદલાઈ અને નવી સરકારે તમામ કોન્ટ્રેક્ટ્સ સંપૂર્ણપણે ઉલટાવી નાંખ્યા, ત્યારે શું થયું ? કરારની પવિત્રતા જળવાવી જોઈએ. કોર્પોરેટ ટેક્સ ઘટાડીને ભારતે ઘણું સારું પગલું લીધું, કરવેરા ઘટતાં ઉત્પાદકો પણ ભાવ ઘટાડવા લાગ્યા. પરંતુ ભારતે હજુ શ્રમ કાયદા, જમીન સુધારા બાબતે પણ વિચારવું પડશે. જો વિયેતનામ, કમ્બોડિયા અને અન્ય ભૌગોલિક પ્રદેશો સાથે સ્પર્ધા કરીએ, તો આપણે આ તમામ પાસાંઓ ઉપર ફેરવિચાર કરવો અને તેને આગળ ધપાવવામાં શાણપણ હોવાની ખાતરી કરવી, એ મહત્ત્વપૂર્ણ છે.”

યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ (યુએસઆઈએસપીએફ)

અગાઉ એલ એન્ડ ટી ઈન્ફોટેક અને આઈબીએમ ઈન્ડિયા જેવી કંપનીઓમાં વરિષ્ઠ પદેથી સુકાન સંભાળનારા ડૉ. આઘીએ વધતી જતી બેરોજગારી મોટી ચિંતાનો વિષય હોવાનું જણાવ્યું. તેમણે ભારપૂર્વક કહ્યું કે “અમેરિકામાં છેલ્લાં બે અઠવાડિયાંમાં બેરોજગારીનો આંકડો વધીને 2.6 કરોડ લોકોનો થયો છે. આ આંકડો નાટ્યાત્મક રીતે વધશે તેવું અનુમાન છે. એનો અર્થ કે પ્રવર્તમાન આર્થિક બેરોજગારીનો દર 10 ટકા કરતાં પણ વધુ વધ્યો છે. હજુ ત્રણ અઠવાડિયાં પહેલાં તો અમેરિકામાં બેરોજગારીનો દર શૂન્ય હતો. એટલે આ પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે.”

“વેપારીઓ તેમજ ગ્રાહકોનો વિશ્વાસ ભાંગી પડ્યો છે. વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે. સ્ટોર્સ બંધ હોવાને કારણે વેપારીઓ તેમનો માલ હેરફેર કરી શકે તેમ નથી. આ બધું ફરી થાળે પડતાં અસાધારણ પ્રયાસો કરવા પડશે. વર્ષ 2021માં અર્થતંત્ર થાળે પડે તેમ જણાતું નથી. બધું ઠીકઠાક થતાં 2022 થશે અથવા તેથી પણ વધુ સમય લાગી શકે છે. એટલે, અગાઉથી જ આર્થિક વિકાસ દર 4.5 ટકાથી ઊંચો ટકાવી રાખવા મથામણ કરી રહેલા ભારત તરફ જોઈએ, તો લોકડાઉનની નાટ્યાત્મક અસર જોવા મળશે. સરકાર તરફથી વ્યાપક પ્રોત્સાહન પેકેજની જરૂર પડશે, પરંતુ વધુ મહત્ત્વનું દેશમાં સીધાં વિદેશી રોકાણ (એફડીઆઈ) લાવવાનું રહેશે, જે રોકાણ કરીને રોજગાર સર્જન કરે તે અત્યંત મહત્ત્વનું બનશે. ભારતે આગામી દસ વર્ષ સુધી દર વર્ષે ઓછામાં ઓછાં 100 અબજ અમેરિકન ડોલરનાં રોકાણ લાવવાં પડશે, જેથી અર્થતંત્ર આગળ ધપતું રહે”, એમ પણ તેમણે ઉમેર્યું હતું.

યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ (યુએસઆઈએસપીએફ)

એચવનબી વિઝા હોલ્ડર્સ ઉપર આર્થિક મંદીની અસર બાબતે પૂછતાં ડૉ. આઘીએ જણાવ્યું કે આ મુદ્દો મહત્ત્વપૂર્ણ છે, પરંતુ એટલો જ મોટો પડકાર ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહેલા લોકો માટે પણ છે. “એચવનબી વિઝાનો મુદ્દો મુશ્કેલીભર્યો છે. જો તેઓ રોજગાર ગુમાવશે તો તેમની પાસે નવી નોકરી શોધવા માટે 60 દિવસ હશે. જો તેઓ એ દરમ્યાન નોકરી નહીં શોધી શકે તો તેમણે દેશ છોડવો પડશે. આજે એચવનબી વિઝાધારકોની સંખ્યા લગભગ 2.5 કરોડ જેટલી છે. તેમને માટે રોજગાર શોધવાની પ્રક્રિયા પડાકરજનક બની રહી છે. વધુ મહત્ત્વનું એ છે કે બીજા 8,00,000 ભારતીયો અમેરિકામાં પ્રવેશવા તેમના ગ્રીન કાર્ડની પ્રતીક્ષા કરી રહ્યા છે. પ્રેસિડેન્ટે વિશેષ આદેશ દ્વારા એ પ્રક્રિયા પણ ઓછામાં ઓછા 60 દિવસ માટે બંધ કરી દીધી છે. એ પણ પડકારજનક છે. આની અસર તેમજ મધ્ય પૂર્વના દેશોમાં જે બની રહ્યું છે, તેની અસર ભારતને વિદેશમાં વસતા પોતાના નાગરિકો દ્વારા મળી રહેલા ભંડોળ ઉપર પડશે.”

યુએસઆઈએસપીએફના પ્રેસિડેન્ટે તેલના ભાવમાં તાજેતરમાં જોવા મળેલો ઝડપી ઘટાડો આ કટોકટીની પરિસ્થિતિમાં ભારત માટે વરદાનરૂપ ગણાવ્યો હતો.

યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ (યુએસઆઈએસપીએફ)

તેમણે નોંધ્યું હતું કે “તેલના નીચા ભાવ ભારત માટે આશીર્વાદ છે. બેરલ દીઠ વધતો પ્રત્યેક ડોલર, ભારતના વિદેશી હૂંડિયામણ ઉપર લાખો ડોલરની અસર જન્માવે છે. ભારત, વિશ્વભરમાં તેલનો સૌથી મોટો આયાતકાર છે, એટલે, આ તબક્કે ભારત માટે તેલના ઘટતા ભાવ વરદાનરૂપ છે, જેની મદદથી તેને અર્થવ્યવસ્થા પુનઃજીવિત કરવા મદદ મળશે તેવી આશા છે.”

- સ્મિતા શર્મા

નવી દિલ્હીઃ ડૉ. આઘીએ કહ્યું કે, “પ્રત્યેક જીવન મહત્ત્વપૂર્ણ છે, પરંતુ વિશ્વના અન્ય દેશોમાં 1.3 અબજ જેટલી વિશાળ વસ્તી નથી. હવે વધુ મહત્ત્વપૂર્ણ, લોકોને આજીવિકા કેવી રીતે આપશો, તે વિચારવાનો સમય છે. અમેરિકામાં અમારા અનુભવની વાત કરીએ તો, અર્થવ્યવસ્થાને છેલ્લા ત્રિમાસિકમાં ભારે ફટકો પડ્યો છે, આર્થિક વિકાસ 4.8 ટકા જેટલો ઘટ્યો છે, જ્યારે પ્રોત્સાહન પેકેજ લાખો કરોડ ડોલરનું છે. ભારતનું પ્રોત્સાહન પેકેજ અત્યંત ઓછું છે. માપાંકન અને અર્થવ્યવસ્થા ધીમે ધીમે સુગમ કરવામાં આવે તે માટે મહત્ત્વપૂર્ણ છે કે એક એવું પ્રોત્સાહન પેકેજ જાહેર થાય જેનાથી નાગરિકો, વેપારી સમુદાયનો વિશ્વાસ વધે, પરંતુ નાનાં એકમો અને નાના છૂટક વિક્રેતાઓ ઉપર વધુ ધ્યાન અપાયું હોય એ અગત્યનું છે. જો તેઓ ડૂબવા માંડશે, તો અર્થતંત્રને આગામી 6-12 મહિનામાં બેઠું કરવું મુશ્કેલ બની જશે.”

ભારતને અચાનક દેશવ્યાપી લોકડાઉનની આવશ્યકતા હતી કે નહીં અને તે કેટલો લાંબો સમય ચાલુ રહેવું જોઈએ, તે વિશે પૂછતાં ડૉ. આઘીએ જણાવ્યું કે, “વડાપ્રધાન મોદીએ અસાધારણ કામ કરી બતાવ્યું છે, અમલદારશાહીએ સુકાન સંભાળ્યું અને વધુ મહત્ત્વનું કે નાગરિકોએ હાકલ ઝીલી લીધી, સહુ સાથે મળ્યા અને લોકડાઉન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ અત્યંત અસરકારક નીવડ્યુ અને તેનાં સકારાત્મક પરિણામો મળ્યાં, પરંતુ હવે તેને ધીમે ધીમે હળવું કરવાનો સમય થઈ ગયો છે. તમે નાગરિકો અને અર્થતંત્રને લોકડાઉનમાં બાંધીને આજીવિકાને પ્રભાવિત ન કરી શકો, કેમકે ભારત 60 ટકા વપરાશ આધારિત અર્થવ્યવસ્થા છે. જો તમે એ વપરાશ બંધ કરી દો તો અર્થતંત્ર સંપૂર્ણ પણે ઠપ થઈ જશે. એટલે, તમારે તેને ધીમે ધીમે કાર્યાન્વિત કરવું પડસે. લોકડાઉનને લાગેવળગે છે, ત્યાં સુધી અમેરિકા તેનો અસરકારક અમલ ન કરી શક્યું. અમે આનાથી વધુ અસરરકારક કામ કરી શકત. અત્યારે અમેરિકામાં વિયેતનામ સાથેના યુદ્ધમાં થયેલાં મોત કરતાં કોરોના વાયરસને કારણે થયેલાં મોતનો આંકડો ઊંચો છે. એટલે, લોકડાઉનના મુદ્દે અત્યંત અસરકારક કાર્યદક્ષતા દર્શાવનારા ભારતની સરખામણીએ અમેરિકાને પ્રથમ પાંચમાં પણ ગ્રેડ મળે તેમ નથી.”

યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ (યુએસઆઈએસપીએફ)

તેમણે વધુને વધુ ચીજવસ્તુઓને આવશ્યક માલસામાનની શ્રેણીમાં સ્થાન મળવા માંડ્યું છે, તે સકારાત્મક સંકેત હોવાનો આશાવાદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આગામી બેથી ચાર સપ્તાહમાં ભારતમાં લોકડાઉન નોંધપાત્ર રીતે ખૂલ્યું હશે.

મહામારી માટે ચીનને જવાબદાર ઠેરવવા વિશેના સવાલના પ્રત્યુત્તરમાં ડૉ. આઘીએ જણાવ્યું કે અમેરિકામાં મિસૂરી રાજ્યે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી ઉપર કેસ માંડ્યો છે, જે દર્શાવે છે કે વૈશ્વિક સમુદાય આ મહામારી ફેલાવવા માટે બીજિંગને જવાબદાર ગણવાનો પ્રયાસ કરશે. જોકે, ડૉ, આઘીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતે આ કટોકટીનો સકારાત્મક દિશામાં ઉપયોગ કરવો જોઈએ અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં પગપેસારો કરી લેવો જોઈએ.

તેમણે જણાવ્યું કે “ભારતે તેના નીતિ ઘડતરમાં પારદર્શક અને અનુમાન બાંધી શકાય તેવા રહેવું પડશે. તેણે ફક્ત બજારની પહોંચ આપવી પડશે, એટલું જ નહીં, પરંતુ બજારમાં સ્પર્ધાત્મક માહોલ પણ પૂરો પાડવો પડશે. વોલમાર્ટ જ્યારે ભારતમાં આવી અને ફ્લિપકાર્ટને ખરીદી લીધી, ત્યારે શું થયું ? બે સપ્તાહ બાદ તેમણે નીતિ બદલી. આંધ્ર પ્રદેશમાં સરકાર બદલાઈ અને નવી સરકારે તમામ કોન્ટ્રેક્ટ્સ સંપૂર્ણપણે ઉલટાવી નાંખ્યા, ત્યારે શું થયું ? કરારની પવિત્રતા જળવાવી જોઈએ. કોર્પોરેટ ટેક્સ ઘટાડીને ભારતે ઘણું સારું પગલું લીધું, કરવેરા ઘટતાં ઉત્પાદકો પણ ભાવ ઘટાડવા લાગ્યા. પરંતુ ભારતે હજુ શ્રમ કાયદા, જમીન સુધારા બાબતે પણ વિચારવું પડશે. જો વિયેતનામ, કમ્બોડિયા અને અન્ય ભૌગોલિક પ્રદેશો સાથે સ્પર્ધા કરીએ, તો આપણે આ તમામ પાસાંઓ ઉપર ફેરવિચાર કરવો અને તેને આગળ ધપાવવામાં શાણપણ હોવાની ખાતરી કરવી, એ મહત્ત્વપૂર્ણ છે.”

યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ (યુએસઆઈએસપીએફ)

અગાઉ એલ એન્ડ ટી ઈન્ફોટેક અને આઈબીએમ ઈન્ડિયા જેવી કંપનીઓમાં વરિષ્ઠ પદેથી સુકાન સંભાળનારા ડૉ. આઘીએ વધતી જતી બેરોજગારી મોટી ચિંતાનો વિષય હોવાનું જણાવ્યું. તેમણે ભારપૂર્વક કહ્યું કે “અમેરિકામાં છેલ્લાં બે અઠવાડિયાંમાં બેરોજગારીનો આંકડો વધીને 2.6 કરોડ લોકોનો થયો છે. આ આંકડો નાટ્યાત્મક રીતે વધશે તેવું અનુમાન છે. એનો અર્થ કે પ્રવર્તમાન આર્થિક બેરોજગારીનો દર 10 ટકા કરતાં પણ વધુ વધ્યો છે. હજુ ત્રણ અઠવાડિયાં પહેલાં તો અમેરિકામાં બેરોજગારીનો દર શૂન્ય હતો. એટલે આ પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે.”

“વેપારીઓ તેમજ ગ્રાહકોનો વિશ્વાસ ભાંગી પડ્યો છે. વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે. સ્ટોર્સ બંધ હોવાને કારણે વેપારીઓ તેમનો માલ હેરફેર કરી શકે તેમ નથી. આ બધું ફરી થાળે પડતાં અસાધારણ પ્રયાસો કરવા પડશે. વર્ષ 2021માં અર્થતંત્ર થાળે પડે તેમ જણાતું નથી. બધું ઠીકઠાક થતાં 2022 થશે અથવા તેથી પણ વધુ સમય લાગી શકે છે. એટલે, અગાઉથી જ આર્થિક વિકાસ દર 4.5 ટકાથી ઊંચો ટકાવી રાખવા મથામણ કરી રહેલા ભારત તરફ જોઈએ, તો લોકડાઉનની નાટ્યાત્મક અસર જોવા મળશે. સરકાર તરફથી વ્યાપક પ્રોત્સાહન પેકેજની જરૂર પડશે, પરંતુ વધુ મહત્ત્વનું દેશમાં સીધાં વિદેશી રોકાણ (એફડીઆઈ) લાવવાનું રહેશે, જે રોકાણ કરીને રોજગાર સર્જન કરે તે અત્યંત મહત્ત્વનું બનશે. ભારતે આગામી દસ વર્ષ સુધી દર વર્ષે ઓછામાં ઓછાં 100 અબજ અમેરિકન ડોલરનાં રોકાણ લાવવાં પડશે, જેથી અર્થતંત્ર આગળ ધપતું રહે”, એમ પણ તેમણે ઉમેર્યું હતું.

યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ (યુએસઆઈએસપીએફ)

એચવનબી વિઝા હોલ્ડર્સ ઉપર આર્થિક મંદીની અસર બાબતે પૂછતાં ડૉ. આઘીએ જણાવ્યું કે આ મુદ્દો મહત્ત્વપૂર્ણ છે, પરંતુ એટલો જ મોટો પડકાર ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહેલા લોકો માટે પણ છે. “એચવનબી વિઝાનો મુદ્દો મુશ્કેલીભર્યો છે. જો તેઓ રોજગાર ગુમાવશે તો તેમની પાસે નવી નોકરી શોધવા માટે 60 દિવસ હશે. જો તેઓ એ દરમ્યાન નોકરી નહીં શોધી શકે તો તેમણે દેશ છોડવો પડશે. આજે એચવનબી વિઝાધારકોની સંખ્યા લગભગ 2.5 કરોડ જેટલી છે. તેમને માટે રોજગાર શોધવાની પ્રક્રિયા પડાકરજનક બની રહી છે. વધુ મહત્ત્વનું એ છે કે બીજા 8,00,000 ભારતીયો અમેરિકામાં પ્રવેશવા તેમના ગ્રીન કાર્ડની પ્રતીક્ષા કરી રહ્યા છે. પ્રેસિડેન્ટે વિશેષ આદેશ દ્વારા એ પ્રક્રિયા પણ ઓછામાં ઓછા 60 દિવસ માટે બંધ કરી દીધી છે. એ પણ પડકારજનક છે. આની અસર તેમજ મધ્ય પૂર્વના દેશોમાં જે બની રહ્યું છે, તેની અસર ભારતને વિદેશમાં વસતા પોતાના નાગરિકો દ્વારા મળી રહેલા ભંડોળ ઉપર પડશે.”

યુએસઆઈએસપીએફના પ્રેસિડેન્ટે તેલના ભાવમાં તાજેતરમાં જોવા મળેલો ઝડપી ઘટાડો આ કટોકટીની પરિસ્થિતિમાં ભારત માટે વરદાનરૂપ ગણાવ્યો હતો.

યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ (યુએસઆઈએસપીએફ)

તેમણે નોંધ્યું હતું કે “તેલના નીચા ભાવ ભારત માટે આશીર્વાદ છે. બેરલ દીઠ વધતો પ્રત્યેક ડોલર, ભારતના વિદેશી હૂંડિયામણ ઉપર લાખો ડોલરની અસર જન્માવે છે. ભારત, વિશ્વભરમાં તેલનો સૌથી મોટો આયાતકાર છે, એટલે, આ તબક્કે ભારત માટે તેલના ઘટતા ભાવ વરદાનરૂપ છે, જેની મદદથી તેને અર્થવ્યવસ્થા પુનઃજીવિત કરવા મદદ મળશે તેવી આશા છે.”

- સ્મિતા શર્મા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.