ETV Bharat / international

બલુચીસ્તાનમાં 1572 ફૂટ ઉંડી ખીણમાં બસ ખાબકતા અરેરાટી, 22ના મોત

author img

By

Published : Jun 8, 2022, 6:19 PM IST

પાકિસ્તાનના પર્વતીય પ્રદેશ બલૂચિસ્તાન પ્રાંતમાં (Accident in Balochistan ) બુધવારે એક પેસેન્જર વાન હજારો ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા 22 લોકોના (22 Killed in accident) મૃત્યું નીપજ્યા છે.

બલુચીસ્તાન: પ્રવાસીઓનું વાહન ખીણમાં ખાબકતા 22ના મૃત્યું, 1572 ફૂટની ઊંચાઈએથી ખાબકી વાન
બલુચીસ્તાન: પ્રવાસીઓનું વાહન ખીણમાં ખાબકતા 22ના મૃત્યું, 1572 ફૂટની ઊંચાઈએથી ખાબકી વાન

કરાંચી: પાકિસ્તાનના પર્વતીય બલૂચિસ્તાન પ્રાંતમાં બુધવારે એક બસ સેંકડો ફૂટ ઉંચી કોતરમાં પડી જવાથી મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 1,572 મીટરની ઉંચાઈ પર આવેલા કિલ્લા સૈફુલ્લાહ નજીક અખ્તરઝાઈના પર્વતીય વિસ્તારમાં ડ્રાઈવર દેખીતી રીતે જોખમી વળાંકને પાર કરતી વખતે બસને કાબુમાં કરવામાં નિષ્ફળ ગયો ત્યારે વાહન કોતરમાં પડી ગયું.ડોન અખબારે અહેવાલ આપ્યો છે કે અકસ્માતમાં 22 લોકોના મોત થયા હતા અને એક બાળક ઈજાગ્રસ્ત થયો હતો.

ક્વેટાથી ટીમ બોલાવી: ઝોબ જિલ્લાના ડેપ્યુટી કમિશનર હાફિઝ મુહમ્મદ કાસિમે જણાવ્યું કે પેસેન્જર બસ લોરાલિયાથી ઝોબ શહેર જઈ રહી હતી. બસ અખ્તરઝાઈ નજીક એક ટેકરી પરથી પડી ગઈ હતી. અમે અત્યાર સુધીમાં 10 મૃતદેહો બહાર કાઢ્યા છે કારણ કે પર્વતોમાં ઊંડી કોતરને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. નજીકની હોસ્પિટલ્સમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. બચાવ કામગીરીમાં મદદ માટે ક્વેટાથી ટીમને બોલાવવામાં આવી છે. દર વર્ષે, બલૂચિસ્તાન પ્રાંતમાં મુશ્કેલ અને ડુંગરાળ પ્રદેશને કારણે માર્ગ અકસ્માતોમાં સેંકડો લોકોના જીવ જાય છે. પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને અધિકારીઓને ઇજાગ્રસ્તોને પર્યાપ્ત તબીબી સારવાર સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી, તેમને ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળવા પગલાં લેવા હાકલ કરી હતી.

કરાંચી: પાકિસ્તાનના પર્વતીય બલૂચિસ્તાન પ્રાંતમાં બુધવારે એક બસ સેંકડો ફૂટ ઉંચી કોતરમાં પડી જવાથી મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 1,572 મીટરની ઉંચાઈ પર આવેલા કિલ્લા સૈફુલ્લાહ નજીક અખ્તરઝાઈના પર્વતીય વિસ્તારમાં ડ્રાઈવર દેખીતી રીતે જોખમી વળાંકને પાર કરતી વખતે બસને કાબુમાં કરવામાં નિષ્ફળ ગયો ત્યારે વાહન કોતરમાં પડી ગયું.ડોન અખબારે અહેવાલ આપ્યો છે કે અકસ્માતમાં 22 લોકોના મોત થયા હતા અને એક બાળક ઈજાગ્રસ્ત થયો હતો.

ક્વેટાથી ટીમ બોલાવી: ઝોબ જિલ્લાના ડેપ્યુટી કમિશનર હાફિઝ મુહમ્મદ કાસિમે જણાવ્યું કે પેસેન્જર બસ લોરાલિયાથી ઝોબ શહેર જઈ રહી હતી. બસ અખ્તરઝાઈ નજીક એક ટેકરી પરથી પડી ગઈ હતી. અમે અત્યાર સુધીમાં 10 મૃતદેહો બહાર કાઢ્યા છે કારણ કે પર્વતોમાં ઊંડી કોતરને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. નજીકની હોસ્પિટલ્સમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. બચાવ કામગીરીમાં મદદ માટે ક્વેટાથી ટીમને બોલાવવામાં આવી છે. દર વર્ષે, બલૂચિસ્તાન પ્રાંતમાં મુશ્કેલ અને ડુંગરાળ પ્રદેશને કારણે માર્ગ અકસ્માતોમાં સેંકડો લોકોના જીવ જાય છે. પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને અધિકારીઓને ઇજાગ્રસ્તોને પર્યાપ્ત તબીબી સારવાર સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી, તેમને ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળવા પગલાં લેવા હાકલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.