ETV Bharat / international

તાલિબાનનો દાવો - ટૂંક સમયમાં વિશ્વ માન્યતા આપશે, સંયુક્ત રાષ્ટ્ર સાથે વાતચીત ચાલું

અફઘાનિસ્તાનના નાયબ સુચના અને સંસ્કૃતિ પ્રધાન અને તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે દાવો કર્યો છે કે, વિશ્વ ટૂંક સમયમાં તાલિબાનને માન્યતા આપશે. તેમણે કહ્યું કે, ઘણા દેશોના પ્રતિનિધિઓએ અફઘાનિસ્તાનની મુલાકાત લીધી છે અને તેઓએ સંયુક્ત રાષ્ટ્રને માન્યતા મેળવવા માટે પત્રો પણ મોકલ્યા છે.

author img

By

Published : Sep 27, 2021, 10:37 AM IST

તાલિબાનનો દાવો - ટૂંક સમયમાં વિશ્વ માન્યતા આપશે, સંયુક્ત રાષ્ટ્ર સાથે વાતચીત ચાલું
તાલિબાનનો દાવો - ટૂંક સમયમાં વિશ્વ માન્યતા આપશે, સંયુક્ત રાષ્ટ્ર સાથે વાતચીત ચાલું
  • વિશ્વ ટૂંક સમયમાં તાલિબાનને માન્યતા આપશે
  • સંયુક્ત રાષ્ટ્રને માન્યતા મેળવવા માટે પત્રો પણ મોકલ્યા
  • ઘણા દેશોના પ્રતિનિધિઓએ અફઘાનિસ્તાનની મુલાકાત લીધી

કાબુલ : અફઘાનિસ્તાનના નાયબ સુચના અને સંસ્કૃતિ પ્રધાન અને તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે દાવો કર્યો છે કે, વિશ્વ ટૂંક સમયમાં તાલિબાનને માન્યતા આપશે. સ્થાનિક મીડિયાએ રવિવારે આ માહિતી આપી હતી. ધ ખામા પ્રેસના જણાવ્યા અનુસાર, નાયબ પ્રધાને કહ્યું કે, ઘણા દેશોના પ્રતિનિધિઓએ અફઘાનિસ્તાનની મુલાકાત લીધી છે અને તેઓએ (તાલિબાન) યુએન સેક્રેટરી જનરલને પણ પત્ર મોકલીને માન્યતા માંગી છે.

આ પણ વાંચો : કૃષિ કાયદાઓના વિરોધમાં આજે ખેડૂતોનું ભારત બંધનું એલાન : 10 કલાકના રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન

તાલિબાન નેતાઓ સંયુક્ત રાષ્ટ્ર સાથે વાતચીતમાં વ્યસ્ત

મુજાહિદે કહ્યું કે, માન્યતા તેમનો અધિકાર છે અને તાલિબાન નેતાઓ સંયુક્ત રાષ્ટ્ર સાથે વાતચીતમાં વ્યસ્ત છે. માનવઅધિકાર અને મહિલા અધિકારોનો આદર કરવો, એક સર્વસમાવેશ સરકાર બનાવવી અને અફઘાનિસ્તાનને આતંકવાદ અને ઉગ્રવાદ માટે સુરક્ષિત આશ્રયસ્થાન ન બનવા દેવું એ આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા તાલિબાનને માન્યતા આપવાની શરતો છે.

આ પણ વાંચો : મહિલાઓએ ન્યાયતંત્રમાં 50% અનામતની માંગણી કરવી જોઈએ: CJI રમના

તાલિબાને વચગાળાની સરકારની રચનાની જાહેરાત કરી

અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતે આ તમામ શરતોને અમલમાં મૂકવાનું વચન આપ્યું છે, પરંતુ તેમાંથી એક પણ અમલમાં આવી નથી. આ દરમિયાન, રશિયા, અમેરિકા, જાપાન, કેનેડા, ફ્રાન્સ અને બ્રિટન બધાએ કહ્યું છે કે તેઓ અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા રચાયેલી સરકારને માન્યતા આપવાની યોજના બનાવી રહ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારના પતન બાદ દેશ કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. તેમણે દેશમાંથી અમેરિકન અને નાટો સૈનિકોની વચ્ચે દેશ પર કબજો કર્યો. 15 ઓગસ્ટના રોજ, જ્યારે વિદેશી દળો પાછા ફરવાના હતા ત્યારે તાલિબાન કાબુલમાં પ્રવેશ્યું હતું. 31 ઓગસ્ટ સુધીમાં, અમેરિકન સૈનિકોએ દેશ છોડી દીધો હતો, લગભગ 20 વર્ષના મિશનનો અંત આવ્યો હતો. થોડા દિવસો બાદ તાલિબાને તેમની વચગાળાની સરકારની રચનાની જાહેરાત કરી.

  • વિશ્વ ટૂંક સમયમાં તાલિબાનને માન્યતા આપશે
  • સંયુક્ત રાષ્ટ્રને માન્યતા મેળવવા માટે પત્રો પણ મોકલ્યા
  • ઘણા દેશોના પ્રતિનિધિઓએ અફઘાનિસ્તાનની મુલાકાત લીધી

કાબુલ : અફઘાનિસ્તાનના નાયબ સુચના અને સંસ્કૃતિ પ્રધાન અને તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે દાવો કર્યો છે કે, વિશ્વ ટૂંક સમયમાં તાલિબાનને માન્યતા આપશે. સ્થાનિક મીડિયાએ રવિવારે આ માહિતી આપી હતી. ધ ખામા પ્રેસના જણાવ્યા અનુસાર, નાયબ પ્રધાને કહ્યું કે, ઘણા દેશોના પ્રતિનિધિઓએ અફઘાનિસ્તાનની મુલાકાત લીધી છે અને તેઓએ (તાલિબાન) યુએન સેક્રેટરી જનરલને પણ પત્ર મોકલીને માન્યતા માંગી છે.

આ પણ વાંચો : કૃષિ કાયદાઓના વિરોધમાં આજે ખેડૂતોનું ભારત બંધનું એલાન : 10 કલાકના રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન

તાલિબાન નેતાઓ સંયુક્ત રાષ્ટ્ર સાથે વાતચીતમાં વ્યસ્ત

મુજાહિદે કહ્યું કે, માન્યતા તેમનો અધિકાર છે અને તાલિબાન નેતાઓ સંયુક્ત રાષ્ટ્ર સાથે વાતચીતમાં વ્યસ્ત છે. માનવઅધિકાર અને મહિલા અધિકારોનો આદર કરવો, એક સર્વસમાવેશ સરકાર બનાવવી અને અફઘાનિસ્તાનને આતંકવાદ અને ઉગ્રવાદ માટે સુરક્ષિત આશ્રયસ્થાન ન બનવા દેવું એ આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા તાલિબાનને માન્યતા આપવાની શરતો છે.

આ પણ વાંચો : મહિલાઓએ ન્યાયતંત્રમાં 50% અનામતની માંગણી કરવી જોઈએ: CJI રમના

તાલિબાને વચગાળાની સરકારની રચનાની જાહેરાત કરી

અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતે આ તમામ શરતોને અમલમાં મૂકવાનું વચન આપ્યું છે, પરંતુ તેમાંથી એક પણ અમલમાં આવી નથી. આ દરમિયાન, રશિયા, અમેરિકા, જાપાન, કેનેડા, ફ્રાન્સ અને બ્રિટન બધાએ કહ્યું છે કે તેઓ અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા રચાયેલી સરકારને માન્યતા આપવાની યોજના બનાવી રહ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારના પતન બાદ દેશ કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. તેમણે દેશમાંથી અમેરિકન અને નાટો સૈનિકોની વચ્ચે દેશ પર કબજો કર્યો. 15 ઓગસ્ટના રોજ, જ્યારે વિદેશી દળો પાછા ફરવાના હતા ત્યારે તાલિબાન કાબુલમાં પ્રવેશ્યું હતું. 31 ઓગસ્ટ સુધીમાં, અમેરિકન સૈનિકોએ દેશ છોડી દીધો હતો, લગભગ 20 વર્ષના મિશનનો અંત આવ્યો હતો. થોડા દિવસો બાદ તાલિબાને તેમની વચગાળાની સરકારની રચનાની જાહેરાત કરી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.