ETV Bharat / international

નેપાળ સંકટ: 6 દિવસ બાદ વડાપ્રધાન ઓલી અને પ્રચંડની વચ્ચે વાતચીત શરૂ

author img

By

Published : Jul 14, 2020, 6:40 PM IST

સત્તાધારી નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટીના સહઅધ્યક્ષ અને વડાપ્રધાન કેપી શર્મા ઓલીની વચ્ચે ફરીથી વાતચીત શરૂ થઇ ગઇ છે. આ વાતચીત શુક્રવારના રોજ થનારી બેઠકમાં ઓલીનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. જ્યારે પ્રચંડે કહ્યું કે તે પક્ષને ,કોઇ પણ રીતે વિભાજીત નહી થવા દે. જણાવી દઇ એ કે ભારતના ત્રણ ભાગને પોતાના નકશામાં સામેલ કર્યા બાદ બંને નેતાઓ વચ્ચે મતભેદ સર્જાયા છે.

નેપાળ સંકટ: 6 દિવસ બાદ વડાપ્રધાન ઓલી અને પ્રચંડની વચ્ચે વાતચીત શરૂ
નેપાળ સંકટ: 6 દિવસ બાદ વડાપ્રધાન ઓલી અને પ્રચંડની વચ્ચે વાતચીત શરૂ

કાઠમંડૂ: નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને સતારૂઢ કોમ્યુનિસ્ટ પક્ષના સહ અધ્યક્ષ પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'ની વચ્ચે 6 દિવસ બાદ ફરી વાતચીત શરૂ થઇ ગઇ છે. તેની આ વાતચીત પક્ષ વચ્ચે વધતા મતભેદને દૂર કરવા માટે છે.

કાઠમંડૂ પોસ્ટની રિપોર્ટ મુજબ પ્રચંડના પ્રેસ સલાહકારે કહ્યું કે બે ખુરશીઓએ આજથી ફરી ચર્ચા શરૂ કરી છે. ઉલ્લેખનિય છે કે ગત બુધવારે બંને નેતાઓએ સામ સામે ચર્ચા કરી હતી.

આ ચર્ચા શુક્રવારે થનારી બેઠક પહેલા થઇ હતી, જેમાં વડાપ્રધાન શર્મા ઓલીનું રાજકીય ભવિષ્યની આશા છે, જેઓએ પહેલા આરોપ લગાવ્યો હતો કે તેના લોકો તેને ભારતની મદદ કરવાથી દુર કરવાની કોશિશ કરી રહ્યાં છે.

પક્ષના કાર્યકારી અધ્યક્ષ દહલે કહ્યું કે મહત્વની બેઠક થઇ રહી છે. તેઓએ કહ્યું કે પક્ષને વિભાજીત નહી થવા દઇએ.

ભૂતપુર્વ વડાપ્રધાન પ્રચંડે રવિવારે પોતાના ઘરે પક્ષના સભ્યોને સંબોધન કરતા કહ્યું કે તે પક્ષની એકતાને જાળવી રાખવા દ્રઢ છે. કારણ કે એક મોટા પક્ષમાં મતભેદ, વિવાદ અને બહેસ હોવી સ્વાભાવિક છે.

ઉલ્લેખનિય છે કે પ્રચંડ સહિત પક્ષના ટોંચના નેતા વડાપ્રધાન ઓલી પાસેથી રાજીનામાની માગ કરી રહ્યાં છે. તે સમયે તે કહી રહ્યાં છે કે તેની હાલની ભારત વિરોધી ટિપ્પ્ણી ન તો રાજકીય રીતે સાચી છે ન તો રાજકીય રૂપથી ઉચીત છે.

ઓલીએ કહ્યું કે તેની સરકારે ત્રણ ભારતીય વિસ્તારોને પોતાના નકશામાં સામેલ કર્યા બાદ એક નવુ રાજકીય ચિત્ર જાહેર કર્યુ છે, ત્યારબાદ સત્તાધારી પક્ષના કેટલાક નેતા દક્ષિણી પાડોસીની સાથે ગઠબંધન કરી રહ્યાં છે જેથી તેને સત્તામાંથી દુર કરી શકે.

કાઠમંડૂ: નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને સતારૂઢ કોમ્યુનિસ્ટ પક્ષના સહ અધ્યક્ષ પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'ની વચ્ચે 6 દિવસ બાદ ફરી વાતચીત શરૂ થઇ ગઇ છે. તેની આ વાતચીત પક્ષ વચ્ચે વધતા મતભેદને દૂર કરવા માટે છે.

કાઠમંડૂ પોસ્ટની રિપોર્ટ મુજબ પ્રચંડના પ્રેસ સલાહકારે કહ્યું કે બે ખુરશીઓએ આજથી ફરી ચર્ચા શરૂ કરી છે. ઉલ્લેખનિય છે કે ગત બુધવારે બંને નેતાઓએ સામ સામે ચર્ચા કરી હતી.

આ ચર્ચા શુક્રવારે થનારી બેઠક પહેલા થઇ હતી, જેમાં વડાપ્રધાન શર્મા ઓલીનું રાજકીય ભવિષ્યની આશા છે, જેઓએ પહેલા આરોપ લગાવ્યો હતો કે તેના લોકો તેને ભારતની મદદ કરવાથી દુર કરવાની કોશિશ કરી રહ્યાં છે.

પક્ષના કાર્યકારી અધ્યક્ષ દહલે કહ્યું કે મહત્વની બેઠક થઇ રહી છે. તેઓએ કહ્યું કે પક્ષને વિભાજીત નહી થવા દઇએ.

ભૂતપુર્વ વડાપ્રધાન પ્રચંડે રવિવારે પોતાના ઘરે પક્ષના સભ્યોને સંબોધન કરતા કહ્યું કે તે પક્ષની એકતાને જાળવી રાખવા દ્રઢ છે. કારણ કે એક મોટા પક્ષમાં મતભેદ, વિવાદ અને બહેસ હોવી સ્વાભાવિક છે.

ઉલ્લેખનિય છે કે પ્રચંડ સહિત પક્ષના ટોંચના નેતા વડાપ્રધાન ઓલી પાસેથી રાજીનામાની માગ કરી રહ્યાં છે. તે સમયે તે કહી રહ્યાં છે કે તેની હાલની ભારત વિરોધી ટિપ્પ્ણી ન તો રાજકીય રીતે સાચી છે ન તો રાજકીય રૂપથી ઉચીત છે.

ઓલીએ કહ્યું કે તેની સરકારે ત્રણ ભારતીય વિસ્તારોને પોતાના નકશામાં સામેલ કર્યા બાદ એક નવુ રાજકીય ચિત્ર જાહેર કર્યુ છે, ત્યારબાદ સત્તાધારી પક્ષના કેટલાક નેતા દક્ષિણી પાડોસીની સાથે ગઠબંધન કરી રહ્યાં છે જેથી તેને સત્તામાંથી દુર કરી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.