ETV Bharat / international

અમેરિકા: ભારતવંશી રાશિદ હુસૈન બન્યા આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા રાજદૂત

author img

By

Published : Jul 31, 2021, 5:40 PM IST

Updated : Jul 31, 2021, 10:01 PM IST

રાષ્ટ્રપતિ જો બાઇડેને ભારતીય-અમેરિકી રાશિદ હુસૈનને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટે એમ્બેસેડર-એટ-લાર્જ તરીકે નામિત કર્યા છે. 41 વર્ષીય હુસેન ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી કૂટનીતિનું નેતૃત્વ કરનાર પ્રથમ મુસ્લિમ હશે.

ભારતવંશી રાશિદ હુસૈન બન્યા આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા રાજદૂત
ભારતવંશી રાશિદ હુસૈન બન્યા આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા રાજદૂત
  • એમ્બેસેડર-એટ-લાર્જ એવો રાજદૂત છે જેને ખાસ જવાબદારીઓ આપવામાં આવે છે
  • હુસૈન ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી કૂટનીતિનું નેતૃત્વ કરનાર પ્રથમ મુસ્લિમ હશે
  • ઉર્દૂ, અરબી અને સ્પેનિશ ભાષાઓમાં સારી રીતે પારંગત છે

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ભારતીય મૂળના રાશિદ હુસૈન (Rashad Hussain)ને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટે એમ્બેસેડર-એટ-લાર્જ (Ambassador-at-Large)તરીકે નામ આપ્યું છે. હુસૈન ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી કૂટનીતિનું નેતૃત્વ કરનાર પ્રથમ મુસ્લિમ હશે. એમ્બેસેડર-એટ-લાર્જ એવો રાજદૂત છે જેને ખાસ જવાબદારીઓ આપવામાં આવે છે, પરંતુ કોઈ ચોક્કસ દેશમાં નિમણૂક કરવામાં આવતી નથી.

આ પણ વાંચો- પાકિસ્તાનના નેતાઓ બેજવાબદાર નિવેદનો આપી રહ્યાં છે: વિદેશ મંત્રાલય

આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના રાજદૂત તરીકે સેવા આપનારા હુસૈન પ્રથમ મુસ્લિમ

વ્હાઇટ હાઉસે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આજની જાહેરાત રાષ્ટ્રપતિને એક એલો પ્રશાસન બનાવવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે જેમાં તમામ ધર્મના લોકોનો સમાવેશ થાય છે." આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના રાજદૂત તરીકે સેવા આપનારા હુસૈન પ્રથમ મુસ્લિમ છે.

હુસૈન અગાઉ ન્યાય વિભાગના રાષ્ટ્રીય સુરક્ષા વિભાગમાં વરિષ્ઠ સલાહકાર તરીકે સેવા આપી ચૂક્યા

ભારતીય-અમેરિકી રાશિદ હુસૈન (41) હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (National Security Council)માં ભાગીદારી અને વૈશ્વિક જોડાણ(Partnerships and Global Engagement)ના નિયામક છે. હુસૈન અગાઉ ન્યાય વિભાગના રાષ્ટ્રીય સુરક્ષા વિભાગમાં વરિષ્ઠ સલાહકાર તરીકે સેવા આપી ચૂક્યા છે.

નાયબ સહયોગી વ્હાઇટ હાઉસ કાઉન્સિલ તરીકે સેવા આપી હતી

પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના વહીવટમાં, તેમણે ઇસ્લામિક સહયોગ સંગઠન (OIC) માટે ખાસ દૂત, સામરિક આતંકવાદ રોધી સંચાર માટે યુએસના ખાસ દૂત અને નાયબ સહયોગી વ્હાઇટ હાઉસ કાઉન્સિલ તરીકે સેવા આપી હતી. રાજદૂત તરીકેની ભૂમિકાઓમાં, હુસૈને શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા, આરોગ્ય, આંતરરાષ્ટ્રીય સુરક્ષા, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા માટે OIC અને સંયુક્ત રાષ્ટ્ર, વિદેશી સરકારો અને નાગરિક સમાજ સંગઠનો જેવા બહુપક્ષીય સંગઠનો સાથે કામ કર્યું.

હુસૈને યેલ લો સ્કૂલમાંથી જ્યુરિસ ડોક્ટરની ડિગ્રી મેળવી હતી

હુસૈને યેલ લો સ્કૂલમાંથી જ્યુરિસ ડોક્ટરની ડિગ્રી મેળવી હતી, જ્યાં તેમણે યેલ લો જર્નલના સંપાદક તરીકે સેવા આપી હતી અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પબ્લિક એડમિનિસ્ટ્રેશન (કેનેડી સ્કૂલ ઓફ ગવર્નમેન્ટ) અને અરબી અને ઇસ્લામિક સ્ટડીઝમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેમણે જોર્જ ટાઉન લો સેન્ટર અને જોર્જ ટાઉન સ્કૂલ ઓફ ફોરેન સર્વિસમાં કાયદાના સહાયક પ્રોફેસર તરીકે પણ ભણાવ્યું છે. તે ઉર્દૂ, અરબી અને સ્પેનિશ ભાષાઓમાં સારી રીતે પારંગત છે.

આ પણ વાંચો- પાકિસ્તાને મોદી સરકાર પાસે ભગત સિંહ માટે માગ્યો ભારત રત્ન

ખિજ્ર ખાન USCIRFના કમિશનર તરીકે નિયુક્ત

રાષ્ટ્રપતિ બાઇડેને હુસૈન સિવાય પાકિસ્તાની-અમેરિકી ખિજ્ર ખાનને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી આયોગ (USCIRF) ના કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે.

લિપસ્ટાડ યહૂદી બાબતોના જાણીતા વિદ્વાન છે

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ડેબોરા લિપસ્ટાડને યહૂદી બાબતો માટે મોનિટર અને કોમ્બેટ એન્ટી-સેમિટિઝમ સામે લડવા માટે ખાસ દૂત તરીકે નામ આપવામાં આવ્યું છે, જે રાજદૂતના પદની સમકક્ષ છે. વધુમાં, યુએસસીઆઈઆરએફ કમિશનર તરીકે શેરોન ક્લેનબામ નામ આપવામાં આવ્યું છે. વ્હાઈટ હાઉસે અહેવાલ આપ્યો કે લિપસ્ટાડ યહૂદી બાબતોના જાણીતા વિદ્વાન છે.

  • એમ્બેસેડર-એટ-લાર્જ એવો રાજદૂત છે જેને ખાસ જવાબદારીઓ આપવામાં આવે છે
  • હુસૈન ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી કૂટનીતિનું નેતૃત્વ કરનાર પ્રથમ મુસ્લિમ હશે
  • ઉર્દૂ, અરબી અને સ્પેનિશ ભાષાઓમાં સારી રીતે પારંગત છે

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ભારતીય મૂળના રાશિદ હુસૈન (Rashad Hussain)ને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટે એમ્બેસેડર-એટ-લાર્જ (Ambassador-at-Large)તરીકે નામ આપ્યું છે. હુસૈન ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી કૂટનીતિનું નેતૃત્વ કરનાર પ્રથમ મુસ્લિમ હશે. એમ્બેસેડર-એટ-લાર્જ એવો રાજદૂત છે જેને ખાસ જવાબદારીઓ આપવામાં આવે છે, પરંતુ કોઈ ચોક્કસ દેશમાં નિમણૂક કરવામાં આવતી નથી.

આ પણ વાંચો- પાકિસ્તાનના નેતાઓ બેજવાબદાર નિવેદનો આપી રહ્યાં છે: વિદેશ મંત્રાલય

આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના રાજદૂત તરીકે સેવા આપનારા હુસૈન પ્રથમ મુસ્લિમ

વ્હાઇટ હાઉસે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આજની જાહેરાત રાષ્ટ્રપતિને એક એલો પ્રશાસન બનાવવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે જેમાં તમામ ધર્મના લોકોનો સમાવેશ થાય છે." આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના રાજદૂત તરીકે સેવા આપનારા હુસૈન પ્રથમ મુસ્લિમ છે.

હુસૈન અગાઉ ન્યાય વિભાગના રાષ્ટ્રીય સુરક્ષા વિભાગમાં વરિષ્ઠ સલાહકાર તરીકે સેવા આપી ચૂક્યા

ભારતીય-અમેરિકી રાશિદ હુસૈન (41) હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (National Security Council)માં ભાગીદારી અને વૈશ્વિક જોડાણ(Partnerships and Global Engagement)ના નિયામક છે. હુસૈન અગાઉ ન્યાય વિભાગના રાષ્ટ્રીય સુરક્ષા વિભાગમાં વરિષ્ઠ સલાહકાર તરીકે સેવા આપી ચૂક્યા છે.

નાયબ સહયોગી વ્હાઇટ હાઉસ કાઉન્સિલ તરીકે સેવા આપી હતી

પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના વહીવટમાં, તેમણે ઇસ્લામિક સહયોગ સંગઠન (OIC) માટે ખાસ દૂત, સામરિક આતંકવાદ રોધી સંચાર માટે યુએસના ખાસ દૂત અને નાયબ સહયોગી વ્હાઇટ હાઉસ કાઉન્સિલ તરીકે સેવા આપી હતી. રાજદૂત તરીકેની ભૂમિકાઓમાં, હુસૈને શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા, આરોગ્ય, આંતરરાષ્ટ્રીય સુરક્ષા, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા માટે OIC અને સંયુક્ત રાષ્ટ્ર, વિદેશી સરકારો અને નાગરિક સમાજ સંગઠનો જેવા બહુપક્ષીય સંગઠનો સાથે કામ કર્યું.

હુસૈને યેલ લો સ્કૂલમાંથી જ્યુરિસ ડોક્ટરની ડિગ્રી મેળવી હતી

હુસૈને યેલ લો સ્કૂલમાંથી જ્યુરિસ ડોક્ટરની ડિગ્રી મેળવી હતી, જ્યાં તેમણે યેલ લો જર્નલના સંપાદક તરીકે સેવા આપી હતી અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પબ્લિક એડમિનિસ્ટ્રેશન (કેનેડી સ્કૂલ ઓફ ગવર્નમેન્ટ) અને અરબી અને ઇસ્લામિક સ્ટડીઝમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેમણે જોર્જ ટાઉન લો સેન્ટર અને જોર્જ ટાઉન સ્કૂલ ઓફ ફોરેન સર્વિસમાં કાયદાના સહાયક પ્રોફેસર તરીકે પણ ભણાવ્યું છે. તે ઉર્દૂ, અરબી અને સ્પેનિશ ભાષાઓમાં સારી રીતે પારંગત છે.

આ પણ વાંચો- પાકિસ્તાને મોદી સરકાર પાસે ભગત સિંહ માટે માગ્યો ભારત રત્ન

ખિજ્ર ખાન USCIRFના કમિશનર તરીકે નિયુક્ત

રાષ્ટ્રપતિ બાઇડેને હુસૈન સિવાય પાકિસ્તાની-અમેરિકી ખિજ્ર ખાનને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી આયોગ (USCIRF) ના કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે.

લિપસ્ટાડ યહૂદી બાબતોના જાણીતા વિદ્વાન છે

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ડેબોરા લિપસ્ટાડને યહૂદી બાબતો માટે મોનિટર અને કોમ્બેટ એન્ટી-સેમિટિઝમ સામે લડવા માટે ખાસ દૂત તરીકે નામ આપવામાં આવ્યું છે, જે રાજદૂતના પદની સમકક્ષ છે. વધુમાં, યુએસસીઆઈઆરએફ કમિશનર તરીકે શેરોન ક્લેનબામ નામ આપવામાં આવ્યું છે. વ્હાઈટ હાઉસે અહેવાલ આપ્યો કે લિપસ્ટાડ યહૂદી બાબતોના જાણીતા વિદ્વાન છે.

Last Updated : Jul 31, 2021, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.