ETV Bharat / international

તાંઝાનિયામાં તેલ ટેંકરમાં વિસ્ફોટ થતાં 60ના મોત - બ્લાસ્ટ

દાર અસ્સલામ: તાંઝાનિયાના મોરોગોરો વિસ્તારમાં શનિવારે એક તેલ ટેંકર પલટી ગયું હતું, ત્યાર બાદ તેનાથી થયેલા વિસ્ફોટમાં 60 લોકોના મોત થઈ ગયા છે તથા લગભગ 70થી પણ વધારે લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે ટેંકરમાંથી તેલ એકઠુ કરવા લોકો ભેગા થયા હતાં અને અચાનક બ્લાસ્ટ થયો હતો.

ians
author img

By

Published : Aug 11, 2019, 11:09 AM IST

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો વિસ્તારના સ્થાનિક લોકો તથા રાહદારીઓ કે જેઓ અહીંથી પસાર થઈ રહ્યા હતાં તેઓ આ દુર્ઘટનાની ઝપટમાં આવી ગયા હતાં.

એક ખાનગી ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર મોટા ભાગના મૃતદેહ બળીને ખાક થઈ ગયા છે. જેને કારણે તેમની ઓળખાણ કરવી પણ પોલીસ માટે મુશ્કેલ થઈ રહ્યું છે.

આ દુર્ઘટના મોરોગોરોના મસામૂવ મેન બસ ટર્મિનલ પાસેના રોડ પર ઘટી હતી, જ્યાં મોટા ભાગે કાર્ગોના ટ્રક પસાર થતાં હોય છે, જે દાર અસ્સલામ બંદર પરથી તેલના ટેંકર ભરી અવર-જવર કરતાં હોય છે.

ians photo
ians photo

પોલીસ હજૂ પણ આ ઘટનામાં બ્લાસ્ટનું કારણ શોધી શકી નથી, જો કે, પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ટેંકરની બાજુમાં ઊભેલા એક વ્યક્તિને સિગારેટ પીતા જોયો હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈ આ દુર્ઘટના ઘટી હોવાનું અનુમાન લગાવી શકાય છે.

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો વિસ્તારના સ્થાનિક લોકો તથા રાહદારીઓ કે જેઓ અહીંથી પસાર થઈ રહ્યા હતાં તેઓ આ દુર્ઘટનાની ઝપટમાં આવી ગયા હતાં.

એક ખાનગી ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર મોટા ભાગના મૃતદેહ બળીને ખાક થઈ ગયા છે. જેને કારણે તેમની ઓળખાણ કરવી પણ પોલીસ માટે મુશ્કેલ થઈ રહ્યું છે.

આ દુર્ઘટના મોરોગોરોના મસામૂવ મેન બસ ટર્મિનલ પાસેના રોડ પર ઘટી હતી, જ્યાં મોટા ભાગે કાર્ગોના ટ્રક પસાર થતાં હોય છે, જે દાર અસ્સલામ બંદર પરથી તેલના ટેંકર ભરી અવર-જવર કરતાં હોય છે.

ians photo
ians photo

પોલીસ હજૂ પણ આ ઘટનામાં બ્લાસ્ટનું કારણ શોધી શકી નથી, જો કે, પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ટેંકરની બાજુમાં ઊભેલા એક વ્યક્તિને સિગારેટ પીતા જોયો હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈ આ દુર્ઘટના ઘટી હોવાનું અનુમાન લગાવી શકાય છે.

Intro:Body:

તાંઝાનિયામાં તેલ ટેંકરમાં વિસ્ફોટ થતાં 60ના મોત





દાર અસ્સલામ: તાંઝાનિયાના મોરોગોરો વિસ્તારમાં શનિવારે એક તેલ ટેંકર પલટી ગયું હતું, ત્યાર બાદ તેનાથી થયેલા વિસ્ફોટમાં 60 લોકોના મોત થઈ ગયા છે તથા લગભગ 70થી પણ વધારે લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે ટેંકરમાંથી તેલ એકઠુ કરવા લોકો ભેગા થયા હતાં અને અચાનક બ્લાસ્ટ થયો હતો.



પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો વિસ્તારના સ્થાનિક લોકો તથા રાહદારીઓ કે જેઓ અહીંથી પસાર થઈ રહ્યા હતાં તેઓ આ દુર્ઘટનાની ઝપટમાં આવી ગયા હતાં.



એક ખાનગી ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર મોટા ભાગના મૃતદેહ બળીને ખાક થઈ ગયા છે. જેને કારણે તેમની ઓળખાણ કરવી પણ પોલીસ માટે મુશ્કેલ થઈ રહ્યું છે.



આ દુર્ઘટના મોરોગોરોના મસામૂવ મેન બસ ટર્મિનલ પાસેના રોડ પર ઘટી હતી, જ્યાં મોટા ભાગે કાર્ગોના ટ્રક પસાર થતાં હોય છે, જે દાર અસ્સલામ બંદર પરથી તેલના ટેંકર ભરી અવર-જવર કરતાં હોય છે.



પોલીસ હજૂ પણ આ ઘટનામાં બ્લાસ્ટનું કારણ શોધી શકી નથી, જો કે, પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ટેંકરની બાજુમાં ઊભેલા એક વ્યક્તિને સિગારેટ પીતા જોયો હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈ આ દુર્ઘટના ઘટી હોવાનું અનુમાન લગાવી શકાય છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.