ETV Bharat / entertainment

YRF Pamela Chopra: YRFએ પામેલા ચોપરાના મૃત્યુની પુષ્ટિ કરી, 11 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

author img

By

Published : Apr 20, 2023, 1:16 PM IST

Updated : Apr 20, 2023, 3:26 PM IST

યશ રાજના સત્તાવાર પેજ પર યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. આ સાથે લોકોને તેમની ગોપનીયતાનો ભંગ ન કરવા વિનંતી કરવામાં આવી છે. પામેલાના અંતિમ સંસ્કારના થોડા સમય બાદ, યશ રાજના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર આ માહિતી આપવામાં આવી હતી. હવે તેમના ચાહકો તેને ભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

YRFએ પામેલા ચોપરાના મૃત્યુની પુષ્ટિ કરી, 11 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
YRFએ પામેલા ચોપરાના મૃત્યુની પુષ્ટિ કરી, 11 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિવંગત દિગ્ગજ દિગ્દર્શક યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાનું 20 એપ્રિલે સવારે નિધન થયું હતું. પામેલાના મૃત્યુની પુષ્ટિ યશ રાજ બેનરના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર કરવામાં આવી છે. આ પોસ્ટમાં માહિતી આપવામાં આવી છે કે, પામેલાએ 74 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. આજે સવારે 11 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. લોકોને તેમની ગોપનીયતાનો ભંગ ન કરવા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Cinematograph Bill 2023: સેલેબ્સે સિનેમેટોગ્રાફ એમેન્ડમેન્ટ બિલ 2023નું કર્યું સ્વાગત, હવે Piracy પર અંકુશ આવશે

YRFએ પામેલા ચોપરાના મૃત્યુની પુષ્ટિ કરી: પામેલાના અંતિમ સંસ્કારના થોડા સમય બાદ, યશ રાજના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર આ માહિતી આપવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ભારે હૃદય સાથે દરેકને જાણ કરવામાં આવે છે કે, પામેલા ચોપરાનું 74 વર્ષની વયે સવારે નિધન થયું છે. સવારે 11 વાગ્યે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અમે તમારી પ્રાર્થના માટે આભારી છીએ. કૃપા કરીને આ દુઃખની ઘડીમાં અમારા ગોપનીયતાના અધિકારનું ધ્યાન રાખો.

આ પણ વાંચો: Aaradhya Bachchan: આરાધ્યા બચ્ચને બોલિવૂડ ટાઈમ્સ સામે હાઈકોર્ટમાં અરજી કરી, 20 એપ્રિલે સુનાવણી

ચાહકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે: યશ રાજના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર પામેલાના નિધનની પુષ્ટિ પર, હવે તેના ચાહકો તેને ભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘણા સેલેબ્સ યશ ચોપરાના ઘરે જોવા મળ્યા હતા. આદિત્ય ચોપરા અને ઉદય ચોપર દ્વારા આજે ​​સવારે 11 વાગે કોઈની પણ નોંધ લીધા વિના તેમની માતાના અંતિમ સંસ્કાર કર્યા કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, પામેલા ચોપરા છેલ્લા 15 દિવસથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમિટ હતા અને તેની સતત સારવાર ચાલી રહી હતી. પામેલ તેના મૃત્યુ પહેલા વેન્ટિલેટર પર હતા.

મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિવંગત દિગ્ગજ દિગ્દર્શક યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાનું 20 એપ્રિલે સવારે નિધન થયું હતું. પામેલાના મૃત્યુની પુષ્ટિ યશ રાજ બેનરના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર કરવામાં આવી છે. આ પોસ્ટમાં માહિતી આપવામાં આવી છે કે, પામેલાએ 74 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. આજે સવારે 11 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. લોકોને તેમની ગોપનીયતાનો ભંગ ન કરવા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Cinematograph Bill 2023: સેલેબ્સે સિનેમેટોગ્રાફ એમેન્ડમેન્ટ બિલ 2023નું કર્યું સ્વાગત, હવે Piracy પર અંકુશ આવશે

YRFએ પામેલા ચોપરાના મૃત્યુની પુષ્ટિ કરી: પામેલાના અંતિમ સંસ્કારના થોડા સમય બાદ, યશ રાજના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર આ માહિતી આપવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ભારે હૃદય સાથે દરેકને જાણ કરવામાં આવે છે કે, પામેલા ચોપરાનું 74 વર્ષની વયે સવારે નિધન થયું છે. સવારે 11 વાગ્યે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અમે તમારી પ્રાર્થના માટે આભારી છીએ. કૃપા કરીને આ દુઃખની ઘડીમાં અમારા ગોપનીયતાના અધિકારનું ધ્યાન રાખો.

આ પણ વાંચો: Aaradhya Bachchan: આરાધ્યા બચ્ચને બોલિવૂડ ટાઈમ્સ સામે હાઈકોર્ટમાં અરજી કરી, 20 એપ્રિલે સુનાવણી

ચાહકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે: યશ રાજના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર પામેલાના નિધનની પુષ્ટિ પર, હવે તેના ચાહકો તેને ભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘણા સેલેબ્સ યશ ચોપરાના ઘરે જોવા મળ્યા હતા. આદિત્ય ચોપરા અને ઉદય ચોપર દ્વારા આજે ​​સવારે 11 વાગે કોઈની પણ નોંધ લીધા વિના તેમની માતાના અંતિમ સંસ્કાર કર્યા કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, પામેલા ચોપરા છેલ્લા 15 દિવસથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમિટ હતા અને તેની સતત સારવાર ચાલી રહી હતી. પામેલ તેના મૃત્યુ પહેલા વેન્ટિલેટર પર હતા.

Last Updated : Apr 20, 2023, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.