ETV Bharat / entertainment

The Kapil Sharma Show: 'ધ કપિલ શર્મા શો'ને મોટો ફટકો, કૃષ્ણા અભિષેક બાદ આ કોમેડિયને છોડ્યો શો

author img

By

Published : Feb 2, 2023, 5:47 PM IST

'કપિલ શર્મા શો' (The Kapil Sharma Show)ને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હવે શોની વર્તમાન સિઝનથી આ કોમેડિયને શો છોડી દીધો છે અને આ કોમેડિયનના શો છોડવાનું કારણ સામે આવ્યું છે. સિદ્ધાર્થ સાગર (Siddharth Sagar) પહેલા 'લાફ્ટર ક્વીન' ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક, સુનીલ ગ્રોવર, અલી અસગર, ઉપાસના સિંહ અને ચંદુ ચાયવાલેની ભૂમિકા ભજવનાર ચંદન પ્રભાકરે ફી ન ચૂકવવાના કારણે શો છોડી દીધો છે.

The Kapil Sharma Show: 'ધ કપિલ શર્મા શો'ને મોટો ફટકો, કૃષ્ણા અભિષેક બાદ આ કોમેડિયને છોડ્યો શો
The Kapil Sharma Show: 'ધ કપિલ શર્મા શો'ને મોટો ફટકો, કૃષ્ણા અભિષેક બાદ આ કોમેડિયને છોડ્યો શો

મુંબઈઃ ભારતીય ટેલિવિઝન પર વર્ષ 2013માં શરૂ થયેલો વિશ્વભરમાં લોકપ્રિય કોમેડી શો 'ધ કપિલ શર્મા શો' છેલ્લા 10 વર્ષથી લોકોને હસાવીને રાજ કરી રહ્યો છે. આ 10 વર્ષોમાં કપિલના નિવેદનો અને શોના કોમેડિયનોના એક પછી એક શો છોડવાના કારણે આ શો ઘણી વખત વિવાદોમાં સપડાયો છે. હવે ફરી એકવાર કપિલ શર્માના શો વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ વખતે શો લાઈમલાઈટમાં આવવાનું કારણ છે કોમેડિયન સિદ્ધાર્થ સાગર, જે વર્તમાન સિઝનમાં પોતાની કોમિક સ્ટાઈલથી દર્શકોને હસાવતા હોય છે. જેમણે શોને અલવિદા કહી દીધું છે. આવો જાણીએ શા માટે.

આ પણ વાંચો: Shailesh Lodha Payment: પૈસા ન આપવાના આરોપ પર નિર્માતાઓની પ્રતિક્રિયા, જાણો શૈલેષ લોઢાનું પેમેન્ટ કેમ બંધ થયું

શો છોડવાનું કારણ શું છે: 'ધ કપિલ શર્મા શો'ની વર્તમાન સીઝનમાં ઘણા નવા કોમેડિયન ચહેરાઓ જોવા મળી રહ્યા છે. જેમાં સિદ્ધાર્થ સાગર પણ તેમાંથી એક છે. વર્તમાન સિઝનમાં સિદ્ધાર્થે કૃષ્ણા અભિષેક અને સુનીલ ગ્રોવર જેવા દિગ્ગજ કોમેડિયનની જગ્યા લીધી હતી. તે દરરોજ તેના કોમિક ટાઈમિંગથી શોને લિફ્ટ કરી રહ્યો હતો. સિદ્ધાર્થની કોમેડી જોઈને દર્શકો કૃષ્ણા અને સુનીલ ગ્રોવરના કોમેડી પાત્રોને ભૂલી જતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિદ્ધાર્થ સાગર શોમાં તેના જોરદાર પ્રદર્શનને કારણે ફી વધારવા માટે બોલી રહ્યો હતો. પરંતુ નિર્માતાઓએ સિદ્ધાર્થની આ વાતને ગંભીરતાથી લીધી નથી અને સિદ્ધાર્થે નિર્ણય લીધો છે કે, તે શો છોડી રહ્યો છે.

સાગરની પ્રતિક્રિયા: જ્યારે સિદ્ધાર્થને 'ધ કપિલ શર્મા શો'માં પોતાનું કૌશલ્ય બતાવવાનો મોકો મળ્યો ત્યારે તે દિલ્હીથી મુંબઈ શિફ્ટ થઈ ગયો અને શોમાં જોડાયો. હવે તે દિલ્હી પરત ફર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિદ્ધાર્થે આ રિપોર્ટ્સ પર કંઈપણ બોલવાનો ઈન્કાર કર્યો છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે રીતે કૃષ્ણા અભિષેક અને સુનીલ ગ્રોવર શોમાં પાછા ફર્યા નથી તેવી જ રીતે સિદ્ધાર્થની પણ વાપસીની શક્યતા ઓછી છે.

આ પણ વાંચો: Pathaan South Box Office: સાઉથમાં ન ચાલ્યો કિંગખાનનો કરિશ્મા, વિદેશમાં સુપરહિટ

આ કોમેડિયનોએ શો છોડી દીધો: સિદ્ધાર્થ સાગર પહેલા 'લાફ્ટર ક્વીન' ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક, સુનીલ ગ્રોવર, અલી અસગર, ઉપાસના સિંહ અને ચંદુ ચાયવાલેની ભૂમિકા ભજવનાર ચંદન પ્રભાકરે ફી ન ચૂકવવાના કારણે શો છોડી દીધો છે. એમ કહેવું ખોટું નહીં હોય કે આ તમામ કલાકારોએ શો છોડવાનું સૌથી મોટું કારણ ફીમાં વધારો ન કરવાનું છે. શો છોડી ગયેલા આ કોમેડિયન્સ એવા છે જેમણે કપિલની સાથે શોને પણ ઉંચાઈઓ પર પહોંચાડ્યો છે. પરંતુ કપિલ પહેલા શો છોડી ચૂકેલા આ કોમેડિયનોની ફી અડધાથી પણ ઓછી હતી. તેથી તેમનામાં એક દર્દ હતું કે મહેનત ન કરવી જોઈએ. તે પછી પણ પગારમાં આટલો તફાવત કેમ ? આ અંગે તમારું શું કહેવું છે ?

મુંબઈઃ ભારતીય ટેલિવિઝન પર વર્ષ 2013માં શરૂ થયેલો વિશ્વભરમાં લોકપ્રિય કોમેડી શો 'ધ કપિલ શર્મા શો' છેલ્લા 10 વર્ષથી લોકોને હસાવીને રાજ કરી રહ્યો છે. આ 10 વર્ષોમાં કપિલના નિવેદનો અને શોના કોમેડિયનોના એક પછી એક શો છોડવાના કારણે આ શો ઘણી વખત વિવાદોમાં સપડાયો છે. હવે ફરી એકવાર કપિલ શર્માના શો વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ વખતે શો લાઈમલાઈટમાં આવવાનું કારણ છે કોમેડિયન સિદ્ધાર્થ સાગર, જે વર્તમાન સિઝનમાં પોતાની કોમિક સ્ટાઈલથી દર્શકોને હસાવતા હોય છે. જેમણે શોને અલવિદા કહી દીધું છે. આવો જાણીએ શા માટે.

આ પણ વાંચો: Shailesh Lodha Payment: પૈસા ન આપવાના આરોપ પર નિર્માતાઓની પ્રતિક્રિયા, જાણો શૈલેષ લોઢાનું પેમેન્ટ કેમ બંધ થયું

શો છોડવાનું કારણ શું છે: 'ધ કપિલ શર્મા શો'ની વર્તમાન સીઝનમાં ઘણા નવા કોમેડિયન ચહેરાઓ જોવા મળી રહ્યા છે. જેમાં સિદ્ધાર્થ સાગર પણ તેમાંથી એક છે. વર્તમાન સિઝનમાં સિદ્ધાર્થે કૃષ્ણા અભિષેક અને સુનીલ ગ્રોવર જેવા દિગ્ગજ કોમેડિયનની જગ્યા લીધી હતી. તે દરરોજ તેના કોમિક ટાઈમિંગથી શોને લિફ્ટ કરી રહ્યો હતો. સિદ્ધાર્થની કોમેડી જોઈને દર્શકો કૃષ્ણા અને સુનીલ ગ્રોવરના કોમેડી પાત્રોને ભૂલી જતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિદ્ધાર્થ સાગર શોમાં તેના જોરદાર પ્રદર્શનને કારણે ફી વધારવા માટે બોલી રહ્યો હતો. પરંતુ નિર્માતાઓએ સિદ્ધાર્થની આ વાતને ગંભીરતાથી લીધી નથી અને સિદ્ધાર્થે નિર્ણય લીધો છે કે, તે શો છોડી રહ્યો છે.

સાગરની પ્રતિક્રિયા: જ્યારે સિદ્ધાર્થને 'ધ કપિલ શર્મા શો'માં પોતાનું કૌશલ્ય બતાવવાનો મોકો મળ્યો ત્યારે તે દિલ્હીથી મુંબઈ શિફ્ટ થઈ ગયો અને શોમાં જોડાયો. હવે તે દિલ્હી પરત ફર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિદ્ધાર્થે આ રિપોર્ટ્સ પર કંઈપણ બોલવાનો ઈન્કાર કર્યો છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે રીતે કૃષ્ણા અભિષેક અને સુનીલ ગ્રોવર શોમાં પાછા ફર્યા નથી તેવી જ રીતે સિદ્ધાર્થની પણ વાપસીની શક્યતા ઓછી છે.

આ પણ વાંચો: Pathaan South Box Office: સાઉથમાં ન ચાલ્યો કિંગખાનનો કરિશ્મા, વિદેશમાં સુપરહિટ

આ કોમેડિયનોએ શો છોડી દીધો: સિદ્ધાર્થ સાગર પહેલા 'લાફ્ટર ક્વીન' ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક, સુનીલ ગ્રોવર, અલી અસગર, ઉપાસના સિંહ અને ચંદુ ચાયવાલેની ભૂમિકા ભજવનાર ચંદન પ્રભાકરે ફી ન ચૂકવવાના કારણે શો છોડી દીધો છે. એમ કહેવું ખોટું નહીં હોય કે આ તમામ કલાકારોએ શો છોડવાનું સૌથી મોટું કારણ ફીમાં વધારો ન કરવાનું છે. શો છોડી ગયેલા આ કોમેડિયન્સ એવા છે જેમણે કપિલની સાથે શોને પણ ઉંચાઈઓ પર પહોંચાડ્યો છે. પરંતુ કપિલ પહેલા શો છોડી ચૂકેલા આ કોમેડિયનોની ફી અડધાથી પણ ઓછી હતી. તેથી તેમનામાં એક દર્દ હતું કે મહેનત ન કરવી જોઈએ. તે પછી પણ પગારમાં આટલો તફાવત કેમ ? આ અંગે તમારું શું કહેવું છે ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.