ETV Bharat / entertainment

દેશ માત્ર અને માત્ર ખાનને જ પ્રેમ કરે છે, મુસ્લિમ અભિનેત્રીઓ માટે જુસ્સો ધરાવે છે

author img

By

Published : Jan 30, 2023, 11:47 AM IST

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ની સફળતા પર પ્રતિક્રિયા આપી (Kangana Ranaut tweet on Pathaan) છે. કંગનાએ તેના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ (Kangana Ranaut new tweet) કરીને લખ્યું કે, ''ભારતીય દર્શકોએ બોલિવૂડના ત્રણેય ખાનને પસંદ કર્યા છે.'' કંગના રનૌતે કરેલા ટ્વિટ પર યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આ સાથે કંગના રનૌત સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

Kangana Ranaut Reacts to Pathaan: ભારત માત્ર ખાનને પ્રેમ કરે છે: કંગના રનૌત
Kangana Ranaut Reacts to Pathaan: ભારત માત્ર ખાનને પ્રેમ કરે છે: કંગના રનૌત

મુંબઈ: અભિનેત્રી કંગના રનૌતનું માનવું છે કે, ભારતીય પ્રેક્ષકોએ હંમેશા બોલિવૂડના ત્રણ 'ખાન'ને પસંદ કર્યા છે અને શાહરૂખ ખાનની તાજેતરની રિલીઝ 'પઠાણ'ની સફળતા એનો પુરાવો છે. માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરના નિર્માતાએ લખ્યું, ''પઠાણની અપાર સફળતા માટે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણને અભિનંદન. સાબિત કરે છે કે, હિંદુ મુસ્લિમો શાહરૂખ ખાનને સમાન રીતે પ્રેમ કરે છે, બહિષ્કાર ફિલ્મને નુકસાન કરતું નથી પરંતુ મદદ કરે છે. સારું સંગીત કામ કરે છે અને ભારત સુપર સેક્યુલર છે.''

  • Very good analysis… this country has only and only loved all Khans and at times only and only Khans…And obsessed over Muslim actresses, so it’s very unfair to accuse India of hate and fascism … there is no country like Bharat 🇮🇳 in the whole world 🥰🙏 https://t.co/wGcSPMCpq4

    — Kangana Ranaut (@KanganaTeam) January 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: Kapil Sharma Guru Randhawa Album: કપિલ શર્મા ગુરુ રંધાવા સાથે કરશે સિંગિંગ ડેબ્યૂ

કંગના રનૌતનું ટ્વિટ: હાલમાં જ ટ્વિટર પર પરત ફરેલી કંગનાએ ટ્વિટર યુઝરના ટ્વીટના જવાબમાં કહ્યું, ''ખૂબ સારું વિશ્લેષણ. આ દેશ માત્ર અને માત્ર ખાનને જ પ્રેમ કરે છે અને મુસ્લિમ અભિનેત્રીઓ માટે જુસ્સો ધરાવે છે. એટલા માટે ભારત પર નફરત અને ફાસીવાદનો આરોપ મૂકવો ખૂબ જ અયોગ્ય છે. સમગ્ર વિશ્વમાં ભારત જેવો કોઈ દેશ નથી.'' પઠાણની ટીકા કરવાને કારણે કંગના ખરાબ રીતે ટ્રોલ થઈ હતી. થોડા દિવસો પહેલા સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ની ટીકા કરવા બદલ અભિનેત્રી કંગના રનૌતને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી હતી.

આ પણ વાચો: Mandeep Roy Passes Away: 500થી વધુ ફિલ્મોમાં કામ કરનાર કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટરનું હાર્ટ એટેકના કારણે નિધન

કંગના રનૌત થઈ ટ્રોલ: કંગનાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મ પઠાણની સામગ્રી વિરુદ્ધ વાત કરી હતી. કંગનાએ ફિલ્મના નકારાત્મક પાસાઓ તરફ પણ ધ્યાન દોર્યું હતું. કંગના રનૌતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું અને લખ્યું, 'હું તેમની સાથે સહમત છું જેઓ દાવો કરે છે કે પઠાણ નફરત પર પ્રેમની જીત છે. પરંતુ કોનો પ્રેમ કોની નફરત પર છે ? ચાલો સમજીએ કે ટિકિટ કોણ ખરીદી રહ્યું છે અને તેને સફળ બનાવી રહ્યું છે ? હા, આ ભારતનો પ્રેમ અને સર્વસમાવેશકતા છે જ્યાં 80 ટકા હિંદુઓ રહે છે અને છતાં પઠાણ નામની ફિલ્મ બની રહી છે. તેના જવાબમાં તેને તેના ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર સતત ટ્રોલ કરવામાં આવી હતી.

મુંબઈ: અભિનેત્રી કંગના રનૌતનું માનવું છે કે, ભારતીય પ્રેક્ષકોએ હંમેશા બોલિવૂડના ત્રણ 'ખાન'ને પસંદ કર્યા છે અને શાહરૂખ ખાનની તાજેતરની રિલીઝ 'પઠાણ'ની સફળતા એનો પુરાવો છે. માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરના નિર્માતાએ લખ્યું, ''પઠાણની અપાર સફળતા માટે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણને અભિનંદન. સાબિત કરે છે કે, હિંદુ મુસ્લિમો શાહરૂખ ખાનને સમાન રીતે પ્રેમ કરે છે, બહિષ્કાર ફિલ્મને નુકસાન કરતું નથી પરંતુ મદદ કરે છે. સારું સંગીત કામ કરે છે અને ભારત સુપર સેક્યુલર છે.''

  • Very good analysis… this country has only and only loved all Khans and at times only and only Khans…And obsessed over Muslim actresses, so it’s very unfair to accuse India of hate and fascism … there is no country like Bharat 🇮🇳 in the whole world 🥰🙏 https://t.co/wGcSPMCpq4

    — Kangana Ranaut (@KanganaTeam) January 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: Kapil Sharma Guru Randhawa Album: કપિલ શર્મા ગુરુ રંધાવા સાથે કરશે સિંગિંગ ડેબ્યૂ

કંગના રનૌતનું ટ્વિટ: હાલમાં જ ટ્વિટર પર પરત ફરેલી કંગનાએ ટ્વિટર યુઝરના ટ્વીટના જવાબમાં કહ્યું, ''ખૂબ સારું વિશ્લેષણ. આ દેશ માત્ર અને માત્ર ખાનને જ પ્રેમ કરે છે અને મુસ્લિમ અભિનેત્રીઓ માટે જુસ્સો ધરાવે છે. એટલા માટે ભારત પર નફરત અને ફાસીવાદનો આરોપ મૂકવો ખૂબ જ અયોગ્ય છે. સમગ્ર વિશ્વમાં ભારત જેવો કોઈ દેશ નથી.'' પઠાણની ટીકા કરવાને કારણે કંગના ખરાબ રીતે ટ્રોલ થઈ હતી. થોડા દિવસો પહેલા સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ની ટીકા કરવા બદલ અભિનેત્રી કંગના રનૌતને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી હતી.

આ પણ વાચો: Mandeep Roy Passes Away: 500થી વધુ ફિલ્મોમાં કામ કરનાર કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટરનું હાર્ટ એટેકના કારણે નિધન

કંગના રનૌત થઈ ટ્રોલ: કંગનાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મ પઠાણની સામગ્રી વિરુદ્ધ વાત કરી હતી. કંગનાએ ફિલ્મના નકારાત્મક પાસાઓ તરફ પણ ધ્યાન દોર્યું હતું. કંગના રનૌતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું અને લખ્યું, 'હું તેમની સાથે સહમત છું જેઓ દાવો કરે છે કે પઠાણ નફરત પર પ્રેમની જીત છે. પરંતુ કોનો પ્રેમ કોની નફરત પર છે ? ચાલો સમજીએ કે ટિકિટ કોણ ખરીદી રહ્યું છે અને તેને સફળ બનાવી રહ્યું છે ? હા, આ ભારતનો પ્રેમ અને સર્વસમાવેશકતા છે જ્યાં 80 ટકા હિંદુઓ રહે છે અને છતાં પઠાણ નામની ફિલ્મ બની રહી છે. તેના જવાબમાં તેને તેના ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર સતત ટ્રોલ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.