મહારાષ્ટ્ર: લગ્ન બાદ તેના પ્રેમી સાથેના ગેરકાયદેસર સંબંધોમાં અડચણરૂપ બની રહેલા તેના ડોક્ટર પતિને પાઠ ભણાવવા માટે એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેને એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપી મારવાનો પ્રયાસ કર્યો(Wife Tried To Kill Husband) હતો. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. 33 દિવસ સુધી જીદંગી સાથે લડાઈ લડ્યા બાદ આખરે ગુરુવારે ડોક્ટરની હાર થઈ હતી.(doctor died) ડોક્ટરની બીજી પત્નીએ તેના પ્રેમી સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ કેસમાં મૃતક ડોક્ટરનું નામ સતીશ કેશવરાવ દેશમુખ છે. પોલીસે જણાવ્યું કે મૃતકની પત્ની સુહાસિની દેશમુખ અને અરુણ કાંડેકર પર હત્યાનો આરોપ (Accused of murder)છે. હાલ બંને ફરાર (Both are absconding now) છે. આ ચોંકાવનારી ઘટના 10 સપ્ટેમ્બરના રોજ રેઝી મ્હેસરૂલ સ્થિત પરીક્ષિત હોસ્પિટલમાં બની હતી.
ડૉક્ટરની હત્યા: આ કેસમાં ડો.દેશમુખના પુત્ર પરીક્ષિતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, મ્હેસરૂલ પોલીસ સ્ટેશનમાં બે લોકો વિરુદ્ધ ડૉક્ટરની હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો હતો. મ્હેસરુલમાં એક પરીક્ષિત હોસ્પિટલ છે અને તે દેશમુખની ખાનગી હોસ્પિટલ છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ડૉ. દેશમુખની આરોપી પત્ની સુહાસિની અને તેનો પ્રેમી અરુણ કાંડેકર 10 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલમાં ગયા હતા. સત્ય જાણીને દેશમુખે જ્યારે તેમને બંને વચ્ચેના સંબંધ વિશે પૂછ્યું તો ત્રણેય વચ્ચે ખૂબ બોલાચાલી થઈ.
પોલીસ તપાસ: આ પછી આરોપી પ્રેમી ત્યાંથી ચાલ્યો ગયો હતો અને આરોપી પત્ની સુહાસિની તેના ડૉક્ટર પતિ સાથે હોસ્પિટલના વિશ્રાંત રૂમમાં ગઈ હતી. ત્યાં તેણે ડોક્ટરને એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપીને મારવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ડોક્ટરે તેના પુત્ર પરીક્ષિતને આ અંગે જણાવ્યું તો તેણે પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન, અધિકારી અને મદદનીશ નિરીક્ષક આહીરે જણાવ્યું હતું કે સિનિયરો સાથે ચર્ચા કર્યા બાદ નોંધાયેલા ગુનામાં વધારાની કલમો હેઠળ તપાસ કરવામાં આવશે.
ડૉક્ટરના અનૈતિક સંબંધ: ડૉ.દેશમુખની પહેલી પત્નીએ થોડાં વર્ષ પહેલાં ડૉક્ટરના સુહાસિની સાથેના અનૈતિક સંબંધો(doctor love affair)ને કારણે આત્મહત્યા કરી લીધી હતી. ડો. દેશમુખે આત્મહત્યા માટે ઉશ્કેરવાના(Incitement to suicide) ગુનામાં પાંચ-છ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. દેશમુખની બીજી પત્ની સુહાસિનીને એક બાળક છે. દેશમુખ જેલમાં હતો ત્યારથી સુહાસિનીએ બીજા લગ્ન કર્યા. જેની સાથે તેણે લગ્ન કર્યા હતા તેનું પણ થોડાં વર્ષ પહેલાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. કોરોના પહેલા ડોક્ટર દેશમુખ જેલમાંથી છૂટ્યા બાદ પોતાની પહેલી પત્નીના પુત્ર સાથે રહેવા લાગ્યા હતા. જે બાદ હાલની આરોપી પત્નીને કોરોના થયો અને તેણે ડો.દેશમુખની જ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. અહીંથી બંને ફરી એકસાથે થઇ ગયા હતાં. અને રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા.