વડોદરાઃ કોરોનાની મહામારી સામેની જંગમાં લોકડાઉનલોડને કારણે મુશ્કેલી અનુભવતા ગરીબ લોકોને સહાયરૂપ થવા જિલ્લા વહીવટી તંત્રના પુરુષાર્થમાં અટલાદરા સ્વામિનારાયણ બી.એ.પી.એસ.ના સંતો અને મહંતો પણ જોડાયા છે.
અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે જીવન નિર્વાહ માટે જરૂરિયાત મંદ લોકો માટે પુરવઠાની કીટ તૈયાર કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં સંતો સાથે 500થી વધુ સ્વયંસેવકો જોડાયા છે. અંદાજે 1 લાખ જેટલી અનાજની કીટો તૈયાર કરી જરૂરિયાત મંદ પરિવારોને વિતરણ કરવામાં આવશે.