વડોદરા આજે પણ સંસ્કારી નગરીમાં 500 વર્ષ પહેલાની પરંપરા અનુસાર ગરબા ગવાઇ છે.જેમાં માત્ર પુરુષો જ ગાય છે(Only males garba time immemorial) ગરબા.જેમાં સ્ત્રીઓ ગરબીની બહાર રહી ગરબા ગાઈ શકે છે.રાત્રે મોડે સ્ત્રીઓને ગરબા ગાવાની પરવાનગી નહોતી એટલે જ આ ઘરીયાળી પોળનું બંધારણ અનુસાર અહીં ઊંચે ઝરૂખામાં નેસી સ્ત્રીઓ ગરબા જોઈ શકાય તે પ્રકારની વ્યવસ્થા હતી
નવરાત્રીમાં પુરુષો જ ગાય છે ગરબા વડોદરા શહેરના 500 વર્ષ પહેલાથી પ્રાચીન અંબા માતાના મંદિર(Ambaji Mata Temple) ખાતે દર વર્ષે ગુજરાતમાં એકમાત્ર પુરુષોના ગરબા યોજાતા આવ્યા છે. વડોદરાના હૃદય સ્થાને માતા અંબા જગતજનનીમાં હરસિદ્ધિના સ્વરૂપે ઘડિયાળી પોળમાં સદીઓથી બિરાજમાન છે અને શહેરના તેમજ શહેર બહારના લાખો ભાવિકો આખી નવરાત્રી માતાના દર્શન માટે કતારો લગાવે છે. અહી નવરાત્રિની પ્રત્યેક સંધ્યાએ માત્ર માઈ ભક્તોના ગરબી નામે ઓળખાતા અનોખા ગરબા થાય છે જેને વૈશ્વિક ખ્યાતિ મળી છે.
શુ છે આ મંદિરની કથા આ ગરબીમાં આ પોળ અને આસપાસની પોળોના માઈ ભક્તોની એક થી વધુ પેઢી માતાજીની ગરબીમાં પરંપરાથી ફરતી આવી છે. આ પ્રાચીન મંદિર છે અને આસ્થા કથા પ્રમાણે દુઃખ ભંજક રાજા વિક્રમાદિત્ય જ્યારે માં હરસિદ્ધિને તેડીને અહીથી પસાર થઈ રહ્યા હતા ત્યારે માંડવી પાસે માં પાછળ આવે છે કે નહિ તે અંગે ધરપત ન રહેતા, પાછા વળીને ન જોવાની માં ની શરત ઉથાપી બેઠા અને માં એ અહીથી આગળનો પ્રવાસ શરત પ્રમાણે અટકાવી દીધો. એટલે અહી માં અંબા હરસિદ્ધિ સ્વરૂપમાં પોતાનું સ્થાન અને હનુમાનજી સાથે બિરાજમાન છે.અહી મંત્ર પૂજાનું અનેરું મહત્વ છે. માંડવી નીચે હરસિદ્ધિ ભક્ત વિક્રમાદિત્યનું થાનક છે. બારેમાસ માં ના નિત્ય દર્શનનો આગવો મહિમા છે.
શા માટે સ્ત્રીઓને ગરબા ગાવાતા નથી મંદિરના પૂજારી દુર્ગેશ પંડિતે જણાવ્યું હતું કે આ મંદિરનો ઇતિહાસ વિક્રમ સંવત જેટલો જ જૂનો છે. અહીં પુરુષો જ માત્ર ગરબા કરી શકે છે તે માત્ર પૌરાણિક પરંપરાને જાળવી રાખવા માટે ગરબા આજે પણ પુરુષો કરી રહ્યા છે. સ્ત્રીઓ ગરબીની બહાર રહી ગરબા ગાઈ શકે છે. સાથે વડોદરા વડપત્ર તરીકે જાણીતું હતું ત્યારે અહીં રાત્રે મોડે સ્ત્રીઓને ગરબા ગાવાની પરવાનગી નહોતી(Garba not allowed women) એટલે જ આ ઘરીયાળી પોળનું બંધારણ અનુસાર અહીં ઊંચે ઝરૂખામાં નેસી સ્ત્રીઓ ગરબા જોઈ શકાય તે પ્રકારની વ્યવસ્થા હતી
દિવાની દીવાદાંડી સ્થાપિત કરાઇ છે પુરુષો માતાજીના ચોકમાં માતાજીની ચૂંદડી કે સાડી ઓઢીને માતાજીની સખી રૂપી ગરબા કરતા હતા.આ પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળી રહી છે. સાથે માતાજીના ગરબાની જ્યોત લઈ માતાજીની સામે દિવાની દીવાદાંડી સ્થાપિત કરવામાં આવે છે તેની આસપાસ પુરુષો ગરબા ગાય છે. તે દર્શાવે છે કે માતાજી સાક્ષાત સ્થિર છે અને મનુષ્ય જીવન મરણના ચક્રમાં તેની આસપાસ ફરતો રહે છે.