ETV Bharat / city

વડોદરાના સયાજી હોસ્પિટલમાં કોવિડ વિભાગના ડૉક્ટરોએ વેક્સિન લીધી

author img

By

Published : Jan 25, 2021, 4:21 PM IST

વડોદરામાં આવેલી સયાજી હોસ્પિટલમાં રસીકરણ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. અહીં બીજા તબક્કામાં પ્રથમ વાર 300 જેટલા મેડીકલ સ્ટાફને કોરોનાની રસી આપવામાં આવી હતી. આ રસીકરણ કાર્યક્રમમાં સયાજી હોસ્પિટલના મેડીકલ સુપરિન્ટેન્ડેન્ટ રંજન ઐયર, બરોડા મેડીકલ કોલેજના ડીન ડૉક્ટર તનુજા જાવડેકર તેમ જ કોરોના વિભાગના એડમિનિસ્ટ્રેટિવ નોડલ ઓફિસર ડૉ. ઓ. બી. બેલિમ સાથે અન્ય વિભાગના ડીન તેમ જ અન્ય તબીબોએ પણ કોરોના રસી મૂકાવી રસી સુરક્ષિત હોવાનો સંદેશો આપી સૌને રસી લેવા હાકલ કરી હતી.

વડોદરાના સયાજી હોસ્પિટલમાં કોવિડ વિભાગના ડોક્ટરોએ કોરોના રસી લીધી
વડોદરાના સયાજી હોસ્પિટલમાં કોવિડ વિભાગના ડોક્ટરોએ કોરોના રસી લીધી
  • વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોવિડ વિભાગના ડોક્ટરોએ લીધી કોરોના રસી
  • તમામ તબીબોએ કોરોના રસી સંપૂર્ણ સુરક્ષિત હોવાનો તમામને આપ્યો સંદેશ
  • રસી લીધેલા ડોક્ટરોએ તમામ લોકોએ કોરોનાની રસી લેવા હાકલ પણ કરી
    વડોદરાના સયાજી હોસ્પિટલમાં કોવિડ વિભાગના ડોક્ટરોએ કોરોના રસી લીધી
    વડોદરાના સયાજી હોસ્પિટલમાં કોવિડ વિભાગના ડોક્ટરોએ કોરોના રસી લીધી

વડોદરાઃ નવા સપ્તાહના પ્રારંભે જ સયાજી હોસ્પિટલમાં મેડીકલ તેમ જ પેરા મેડિકલ સ્ટાફને હાલ રસી આપવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ ખાતે પણ રસીકરણ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. અહીં આજે બીજા તબક્કામાં પ્રથમ વાર 300 જેટલા મેડિકલ સ્ટાફને રસી આપવામાં આવી હતી, જે રસીકરણ કાર્યક્રમમાં સયાજી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ રંજન ઐયર, બરોડા મેડીકલ કોલેજના ડીન ડોક્ટર તનુજા જાવડેકર તેમ જ કોરોના વિભાગના એડમિનિસ્ટ્રેટિવ નોડલ ઓફિસર ડો ઓ. બી. બેલિમ સાથે ડિપાર્ટમેન્ટોના ડીન તેમ જ અન્ય તબીબોએ પણ રસી મુકાવી હતી. આ સાથે જ કોરોનાની રસી સંપૂર્ણરીતે સુરક્ષિત છે તેવો તમામ ડોક્ટરોએ સંદેશ આપી સૌને રસી લેવા હાકલ કરી હતી.

વડોદરાના સયાજી હોસ્પિટલમાં કોવિડ વિભાગના ડોક્ટરોએ કોરોના રસી લીધી
વડોદરાના સયાજી હોસ્પિટલમાં કોવિડ વિભાગના ડોક્ટરોએ કોરોના રસી લીધી

વરિષ્ઠ ડોક્ટરો સહિત પ્રાધ્યાપકોએ પણ કોરોના રસી લીધી

કોવિડ સારવારના નોડલ અધિકારી ડો. બેલીમ ઓ. બીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે કોવિડ સારવારના સલાહકાર અશોક પટેલ અને તબીબી અધિક્ષક ડો. રંજન ઐયરની આગેવાની હેઠળ વિવિધ વિભાગોના વડા તબીબો, વરિષ્ઠ પ્રાધ્યાપકોએ રસી મૂકાવી હતી. તેમાં વહીવટી અધિકારી ડો. બીરેન પાઠક, મેડીકલ કોલેજના ડીન ડો. તનુજા જાવડેકરનો સમાવેશ થાય છે.

વડોદરાના સયાજી હોસ્પિટલમાં કોવિડ વિભાગના ડોક્ટરોએ કોરોના રસી લીધી
વડોદરાના સયાજી હોસ્પિટલમાં કોવિડ વિભાગના ડોક્ટરોએ કોરોના રસી લીધી

રસી લીધા પછી પણ હું પહેલાની જેમ જ કામ કરી શકું છુંઃ નોડલ અધિકારી

ડો. બેલીમે જાતે પણ આજે રસી મૂકાવી જણાવ્યું હતું કે, રસી લીધા પછી મને કોઈ મુશ્કેલી જણાતી નથી. નિરીક્ષણનો સમય પૂરો થયા પછી હું પહેલાની જેમ જ મારી કામગીરી બજાવી શક્યો છું. બપોર સુધીમાં લગભગ 150 લાભાર્થીઓએ રસી મુકાવી છે. તે જોતા સાંજ સુધીમાં 300ને રસી મૂકી શકાશે એવું લાગે છે.

  • વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોવિડ વિભાગના ડોક્ટરોએ લીધી કોરોના રસી
  • તમામ તબીબોએ કોરોના રસી સંપૂર્ણ સુરક્ષિત હોવાનો તમામને આપ્યો સંદેશ
  • રસી લીધેલા ડોક્ટરોએ તમામ લોકોએ કોરોનાની રસી લેવા હાકલ પણ કરી
    વડોદરાના સયાજી હોસ્પિટલમાં કોવિડ વિભાગના ડોક્ટરોએ કોરોના રસી લીધી
    વડોદરાના સયાજી હોસ્પિટલમાં કોવિડ વિભાગના ડોક્ટરોએ કોરોના રસી લીધી

વડોદરાઃ નવા સપ્તાહના પ્રારંભે જ સયાજી હોસ્પિટલમાં મેડીકલ તેમ જ પેરા મેડિકલ સ્ટાફને હાલ રસી આપવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ ખાતે પણ રસીકરણ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. અહીં આજે બીજા તબક્કામાં પ્રથમ વાર 300 જેટલા મેડિકલ સ્ટાફને રસી આપવામાં આવી હતી, જે રસીકરણ કાર્યક્રમમાં સયાજી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ રંજન ઐયર, બરોડા મેડીકલ કોલેજના ડીન ડોક્ટર તનુજા જાવડેકર તેમ જ કોરોના વિભાગના એડમિનિસ્ટ્રેટિવ નોડલ ઓફિસર ડો ઓ. બી. બેલિમ સાથે ડિપાર્ટમેન્ટોના ડીન તેમ જ અન્ય તબીબોએ પણ રસી મુકાવી હતી. આ સાથે જ કોરોનાની રસી સંપૂર્ણરીતે સુરક્ષિત છે તેવો તમામ ડોક્ટરોએ સંદેશ આપી સૌને રસી લેવા હાકલ કરી હતી.

વડોદરાના સયાજી હોસ્પિટલમાં કોવિડ વિભાગના ડોક્ટરોએ કોરોના રસી લીધી
વડોદરાના સયાજી હોસ્પિટલમાં કોવિડ વિભાગના ડોક્ટરોએ કોરોના રસી લીધી

વરિષ્ઠ ડોક્ટરો સહિત પ્રાધ્યાપકોએ પણ કોરોના રસી લીધી

કોવિડ સારવારના નોડલ અધિકારી ડો. બેલીમ ઓ. બીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે કોવિડ સારવારના સલાહકાર અશોક પટેલ અને તબીબી અધિક્ષક ડો. રંજન ઐયરની આગેવાની હેઠળ વિવિધ વિભાગોના વડા તબીબો, વરિષ્ઠ પ્રાધ્યાપકોએ રસી મૂકાવી હતી. તેમાં વહીવટી અધિકારી ડો. બીરેન પાઠક, મેડીકલ કોલેજના ડીન ડો. તનુજા જાવડેકરનો સમાવેશ થાય છે.

વડોદરાના સયાજી હોસ્પિટલમાં કોવિડ વિભાગના ડોક્ટરોએ કોરોના રસી લીધી
વડોદરાના સયાજી હોસ્પિટલમાં કોવિડ વિભાગના ડોક્ટરોએ કોરોના રસી લીધી

રસી લીધા પછી પણ હું પહેલાની જેમ જ કામ કરી શકું છુંઃ નોડલ અધિકારી

ડો. બેલીમે જાતે પણ આજે રસી મૂકાવી જણાવ્યું હતું કે, રસી લીધા પછી મને કોઈ મુશ્કેલી જણાતી નથી. નિરીક્ષણનો સમય પૂરો થયા પછી હું પહેલાની જેમ જ મારી કામગીરી બજાવી શક્યો છું. બપોર સુધીમાં લગભગ 150 લાભાર્થીઓએ રસી મુકાવી છે. તે જોતા સાંજ સુધીમાં 300ને રસી મૂકી શકાશે એવું લાગે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.