સુરતઃ શહેરમાં આગ લાગવાનો સિલસિલો યથાવત હોઈ તેવું લાગી રહ્યું છે. મોટા વરાછાના સનસાઇન બિલ્ડીંગના ચોથા માળે આવેલી ઓફિસના એ.સીના કોમ્પ્રેશનમાં એકાએક આગ લાગી હતી. આગ લાગતા જ લોકોમાં પણ ભાગદોડનો માહોલ સર્જાયો હતો.
બીજી તરફ આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી જઇ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બે ગેટની ફાયરની ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. હાલ એસી કોમ્રેશનમાં આગ કઈ રીતે લાગી તે અંગે તપાસ હાથ ધરી હતી.