- 17 તારીખ સુધી ગામની દુકાનો બપોર પછી બંધ રહેશે
- કોરાનાનું સંક્રમણ અટકાવવા ગતરોજ ગ્રામ પંચાયત એ લીધેલ નિર્ણયનું કડક અમલીકરણ
- બપોરના 1 વાગ્યા પછી ગામની દુકાનો થઇ ટપોટપ બંધ
- સાત દિવસ સુધી દુકાન ખોલવાનો સમય સવારના 6થી બપોરના1 સુધીનો રહેશે
સુરત: કોરાના વાયરસની ચેન તુટે અને ગામના કોરાનાનું સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે ગતરોજ કીમ ગ્રામ પંચાયતના સરપંચ શૈલેશ મોદીએ ગામના વેપારી આગેવાનો સાથે રાખી નિર્ણય લીધો હતો.
![Surat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05:54:59:1620735899_gj-surat-rural-01-dukano-tapotap-bandh-gj10065_11052021171822_1105f_1620733702_178.jpg)
કીમ ગામમાં પંચાયતના નિર્ણય કડક અમલવારી જોવા મળી
આવતીકાલથી એટલે કે આજે મંગળવારથી 17 મે સુધી ગામની દુકાનો ખોલવાનો સમય સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. તેમજ દુકાન ચાલુ હોય તે દરમિયાન દુકાનદારે ગ્રાહકો પાસે કોરાના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જે નિર્ણયની આજરોજ કીમ ગામમાં કડક અમલવારી જોવા મળી હતી. ગામની દુકાનો બપોરના 1 વાગતા જ ટપોટપ બંધ થઈ ગઈ હતી અને ગ્રામ પંચાયતમાં નિર્ણયનો અમલ કર્યો હતો.
ગ્રામ પંચાયતના આ નિર્ણયનો અમુક દુકાનોદારોને હતો છૂપો રોષ
કોરાના વાયરસની ચેન તોડવા ગ્રામ પંચાયત એ બપોર પછી દુકાનો બંધ રાખવાના નિર્ણયનો અમુક વેપારીઓએ બંધ બારણે વિરોધ કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે,કમાવવાનો મહિનો હોય જેથી આ નિર્ણય પંચાયતનો ખોટો છે.